12 June, 2021 05:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાનને લઈને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ ગુસ્સામાં છે. ટ્વિટર પર #BoycottKareenaKhan સતત ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો કરીના કપૂરેન બૉયકૉટ કરવાની માગ કરી રહ્યા છે અને એવું એક સમાચારને કારણે થઈ રહ્યું છે. આ સમાચાર પ્રમાણે રામાયણ પર બનતી એક ફિલ્મ માટે કરીને કપૂરને સીતામાતાનો રોલ ઑફર થયો છે અને કરીનાએ આ રોલ કરવા માટે 12 કરોડ રૂપિયાની માગ કરી છે.
ટ્વિટર પર ટ્રેન્ડ થયું બૉયકૉટ કરીના
આ સમાચાર વાંચ્યા પછી યૂઝર્સ ગુસ્સામાં છે. લોકો આ સમાચારના સ્ક્રીનશૉટ્સ શૅર કરીને કરીનાને બૉયકૉટ કરવાની માગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કરીના કેવી રીતે સીતાનું પાત્ર ભજવી શકે છે જ્યારે તેણે એક મુસલમાન સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે કરીના કપૂર ખાન બની ચૂકી છે. તો ટ્વિટર પર હૅશટૅગ બૉયકૉટ કરીના કપૂર ખાન ટ્રેન્ડ થઈ રહ્યું છે.
ફિલ્મ મેકર્સે પહેલા જ કર્યું આ સમાચારનું ખંડન
જો રે, સ્પૉટબૉયના રિપોર્ટ પ્રમાણે ફિલ્મના રાઇટર વી વીજેન્દ્ર પ્રસાદે આ સમાચાર પર પોતાનું રિએક્શન આપતા આ સમાચારને ખોટા જણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે કરીનાને ફિલ્મ ઑફર કરવામાં આવી નથી. તેમણે એ પણ જણાવ્યું કે ચર્ચા હતી કે કરીના આ ફિલ્મ માટે પરફેક્ટ નથી એ પણ ખોટું છે. અફવાઓનો ખુલાસો થયા પછી પણ યૂઝર્સ આ વાતને સાંભળીને ગુસ્સામાં છે અને તે કરીના કપૂર પર ભડકેલા છે.
રણવીર સિંહ બનશે રાવણ!
જો કે, ચર્ચા એ પણ છે કે આ ફિલ્મમાં રાવણનું પાત્ર રણવીર સિંહને ઑફર કરવામાં આવ્યું છે. જો કે, આ વિશે કોઇ ઑફિશિયલ નિવેદન આવ્યું નથી. જો વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના ટૂંક સમયમાં જ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં દેખાવાની છે.