27 March, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર અને છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ ઘણા સમયથી દેશભરનાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે હવે નરેન્દ્ર મોદી સંસદભવનમાં આ ફિલ્મ જોવાના છે. ‘છાવા’ ૧૪ ફેબ્રુઆરીએ દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
આ ફિલ્મનું ૨૭ માર્ચે સંસદમાં સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય પ્રધાનો, સંસદસભ્યો, આ ફિલ્મના સમગ્ર કલાકારો અને ક્રૂ હાજર રહેશે. આ સ્ક્રીનિંગ સંસદભવનના પુસ્તકાલયના બાલયોગી ઑડિટોરિયમમાં થવાનું છે. આ ફિલ્મમાં સંભાજી મહારાજની ભૂમિકા ભજવનાર વિકી કૌશલ પણ હશે. મુઘલ શાસક ઔરંગઝેબ સામે છત્રપતિ સંભાજી મહારાજની હિંમત અને સંઘર્ષ દર્શાવતી ફિલ્મની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કર્યાના એક મહિના પછી આ ફિલ્મ હવે સંસદભવનમાં પ્રદર્શિત થઈ રહી છે.