અભિનેત્રી પૂનમ ઢિલ્લોન અચાનક હૉસ્પિટલમાં દાખલ, CINTAA વિવાદ વચ્ચે તબિયત લથડી

22 August, 2026 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

CAWT અંગે, પૂનમે જણાવ્યું હતું કે ટ્રસ્ટની સ્થાપના દિલીપ કુમાર, અમરીશ પુરી અને અમજદ ખાન જેવા વરિષ્ઠ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે તાજેતરના એક કાર્યક્રમ દ્વારા CINTAA માટે રૂ. 1 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.

પૂનમ ઢિલ્લોં

અભિનેત્રી અને CINTAA (સિને અને ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન) ના પ્રમુખ પૂનમ ઢિલ્લોંને ડૅન્ગ્યુ થયા બાદ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ત્યાં સારવાર લઈ રહી છે, અને તેની તબિયત હવે સુધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પૂનમ CINTAA વિવાદને લઈને પણ ચર્ચામાં હતી

પૂનમ ઢિલ્લોં તાજેતરમાં CINTAA ની કારોબારી સમિતિમાંથી આઠ સભ્યોના રાજીનામા બાદ હેડલાઇન્સમાં આવી હતી. રાજીનામું આપનારા સભ્યોએ સંગઠનના વર્તમાન નેતૃત્વમાં વિશ્વાસનો અભાવ હોવાનું જણાવીને નવી ચૂંટણીઓની માગ કરી હતી. પૂનમ ઢિલ્લોને તેના અને ઉપપ્રમુખ પદ્મિની કોલ્હાપુરે પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું, "મુદ્દો એ હતો કે વસ્તુઓ તેના મંજૂર માર્ગે ચાલી રહી ન હતી. તે CAWT દ્વારા CINTAA સભ્યો પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે તે કામ ન કર્યું, ત્યારે તેણે અમારી સામે વિચિત્ર અને ગંભીર આરોપો લગાવવાનું શરૂ કર્યું." તેણે આરોપોમાં વપરાયેલી ભાષા અંગે પણ નારાજગી વ્યક્ત કરી. પૂનમે કહ્યું, "તમે વિશ્વાસ નહીં કરો કે આરોપો કેટલા અશ્લીલ હતા. તે એટલા વાંધાજનક હતા કે, જો અમે ઇચ્છતા હોત, તો અમે સામેલ દરેક વ્યક્તિ સામે માનહાનિની કાર્યવાહી કરવાનું વિચારી શક્યા હોત. આવા આરોપો, દુઃખદાયક નિવેદનો અને અપમાનજનક ભાષા વ્યાપકપણે પ્રસારિત થઈ હતી."

કાર્યક્રમમાંથી એકત્ર કરાયેલા ભંડોળ અંગે સ્પષ્ટતા

CAWT અંગે, પૂનમે જણાવ્યું હતું કે ટ્રસ્ટની સ્થાપના દિલીપ કુમાર, અમરીશ પુરી અને અમજદ ખાન જેવા વરિષ્ઠ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે તાજેતરના એક કાર્યક્રમ દ્વારા CINTAA માટે રૂ. 1 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું, “રાજીનામું આપનારા સભ્યો અમારા પર સાડીઓ ખરીદવાનો આરોપ લગાવી રહ્યા છે. શું અમે તે સાડીઓ પોતાના માટે ખરીદી હતી? અમે સ્વીકારીએ છીએ કે આ કલાકારોએ અમારા માટે ફી લીધા વિના પ્રદર્શન કર્યું હતું, તેથી જ તેમને આ ભેટો આપવામાં આવી હતી. પદ્મિની અને મેં વ્યક્તિગત રીતે તેમને ફોન કરીને પ્રદર્શન કરવા વિનંતી કરી હતી. આ ગાયકોએ CINTAA ને મદદ કરી. અમે આ પ્રદર્શનોમાંથી રૂ. 1 કરોડ એકઠા કર્યા. તો, જો આપણે કલાકારો માટે ભેટો પર રૂ. 1 લાખ ખર્ચ કરીએ તો શું વાંધો છે?”

“હું 42 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું”

પોતાની લાંબી કારકિર્દી પર બોલતા, પૂનમ ઢિલ્લોને કહ્યું, “અમે 42 વર્ષથી આ ઉદ્યોગમાં છીએ. કેટલાક 45 વર્ષથી તેનો ભાગ છે, તો કેટલાક 48 વર્ષથી. શું તમને ખરેખર લાગે છે કે આટલા વર્ષો પછી અમે આટલો વિશ્વાસઘાત કરી શકીએ? હું તમારી સાથે ખૂબ જ વ્યક્તિગત વાત શૅર કરવા માગુ છું. છેલ્લા એક કે દોઢ વર્ષમાં, ઘણી વખત એવું લાગ્યું કે મને CINTAA ની ઍક્ઝિક્યુટિવ કમિટીમાંથી રાજીનામું આપીને ચાલ્યા જવું જોઈએ.” તેણે કહ્યું કે વિપક્ષે તેના માટે કામ કરવાનું મુશ્કેલ બનાવ્યું, કારણ કે દરેક પહેલનો પ્રતિકાર થયો. પૂનમ ઢિલ્લોં મે 2024 થી CINTAA ના પ્રમુખ છે. તે 2024-2027 ના કાર્યકાળ માટે ચૂંટાઈ હતી.

poonam dhillon padmini kolhapure cintaa bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news