29 March, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના હાલમાં ‘મહાકાલી’ નામની ફિલ્મમાં અસુરગુરુ શુક્રાચાર્યનો રોલ કરી રહ્યો છે.
અક્ષય ખન્ના હાલમાં ‘મહાકાલી’ નામની ફિલ્મમાં અસુરગુરુ શુક્રાચાર્યનો રોલ કરી રહ્યો છે. આ રોલ માટે અક્ષયનો ફિઝિકલ લુક અને મેક-અપ એટલો ખાસ છે કે તે શુક્રાચાર્યના રોલમાં ઓળખાતો જ નથી. ગઈ કાલે અક્ષય ખન્નાની ૫૧મી વર્ષગાંઠ હતી અને આ દિવસે ‘મહાકાલી’ના ડિરેક્ટર પ્રશાંત વર્માએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અક્ષય ખન્ના સાથેની સેટ પરની એક ખાસ તસવીર શૅર કરી હતી. આ પોસ્ટમાં પ્રશાંત વર્માએ લખ્યું હતું કે અક્ષય ખન્ના એક એવો કલાકાર છે જે સાબિત કરે છે કે સાચી ટૅલન્ટને કોઈ પ્રદર્શનની જરૂર નથી. આ સાથે જ તેણે કહ્યું હતું કે અક્ષય ખન્ના સાથે કામ કરવું એ ગૌરવની વાત છે અને તે દુનિયાને બતાવવા માગે કે તેણે સાથે મળીને શું બનાવ્યું છે.