મુસલમાન હોવાને નાતે શરમ આવે છે- પહલગામ હુમલા પર સલીમ મર્ચન્ટ

24 April, 2025 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલા પર સિંગર સલીમ મર્ચન્ટની પ્રતિક્રિયા આવી છે. સલીમ મર્ચન્ટે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આ હુમલાની નિંદા કરી છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સલીમ મર્ચન્ટ (ફાઈલ તસવીર)

Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલા પર સિંગર સલીમ મર્ચન્ટની પ્રતિક્રિયા આવી છે. સલીમ મર્ચન્ટે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આ હુમલાની નિંદા કરી છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

બૉલિવૂડ સિંગર સલીમ મર્ચન્ટ ભડકી ગયા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યું કે ઇસ્લામ, નિર્દોષ લોકોની હત્યા કરવાનું નથી શીખવતો. તેમણે કહ્યું, "પહલગામમાં મારી નાખવામાં આવેલા નિર્દોષ લોકો એટલા માટે મારી નાખવામાં આવ્યા કારણકે તે હિંદૂ હતા, મુસલમાન નહીં. શું આ હત્યારા મુસલમાન છે? નહીં, તે આતંકવાદી છે કારણકે ઇસ્લામ આવું નથી શીખવતો."

"ક્યારે ખતમ થશે આ બધું?"
સલીમ મર્ચન્ટે વીડિયોમાં આગળ કહ્યું, "એક મુસલમાન હોવાને નાતે મને શરમ આવી રહી છે કે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. મારા નિર્દોષ હિંદુ ભાઈ-બહેનોને એટલી નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા. ફક્ત એટલા માટે કારણકે તે હિંદુ છે. કાશ્મીરના રહેવાસી છે જે છેલ્લા બે-ત્રણ વર્ષથી બરાબર રહી રહ્યા હતા, તેમના જીવનમાં ફરી એ જ મુશ્કેલીઓ. સમજાતું નથી કે હું મારી પીડા કેવી રીતે વ્યક્ત કરું અને મારો ગુસ્સો કેવી રીતે બતાવું. હું માથું નમાવીને પ્રાર્થના કરું છું કે જે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ઈશ્વર તેમના પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ."

ગાયકે હુમલાની નિંદા કરી
સલીમ મર્ચન્ટ, જે એક પ્રખ્યાત સંગીતકાર અને ગાયક પણ છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં, સંગીતકારે પહેલગામ હુમલા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કહ્યું, `પહલગામમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને એટલા માટે માર્યા ગયા કારણ કે તેઓ હિન્દુ હતા, મુસ્લિમ નહીં.` શું આ હત્યારાઓ મુસ્લિમ છે? ના, તેઓ આતંકવાદી છે. કારણ કે ઇસ્લામ આવું શીખવતું નથી. કુરાન સુરા અલ-બકરાહ, આયત 256માં જણાવે છે કે ધર્મના મામલામાં કોઈ બળજબરી નથી. આ કુરાન-એ-શરીફમાં લખેલું છે.

મુનવ્વરે કર્યું રિએક્ટ
લોકપ્રિય હાસ્ય કલાકાર-અભિનેતા મુનાવર ફારુકીએ તેમની ઇન્સ્ટા સ્ટોરી પર સલીમ મર્ચન્ટનો વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું `હકીકત!`

આ સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી
શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, અક્ષય કુમાર, સલમાન ખાન, કરીના કપૂર ખાન, ઈશાન ખટ્ટર, જાવેદ અખ્તર, કરીના કપૂર, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, સંજય દત્ત, રવિના ટંડન જેવા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક ફેલાયો છે આ સાથે લોકોના મનમાં ગુસ્સો પણ છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓનો સફાયો કરવા કડક અભિયાન ચલાવવાની માગ કરી રહી છે. આ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે પણ આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત આતંકવાદીઓના આ કાયર કૃત્યનો હુમલો કરશે અને જવાબ આપશે. ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું કે હું મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યો છું. જે લોકો આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમણે તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે. આ ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

salim merchant Pahalgam Terror Attack terror attack jammu and kashmir national news