પંજાબના પૂર-પીડિતો માટે શાહરુખે વ્યક્ત કરી સંવેદના

04 September, 2025 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપરસ્ટાર શાહરુખ ખાને આ પીડિતો માટે પ્રાર્થના વ્યક્ત કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

સુપરસ્ટાર શાહરુખ ખાન

પંજાબ છેલ્લા ચાર દાયકાના સૌથી ભયાનક પૂર-સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાને આ પીડિતો માટે પ્રાર્થના વ્યક્ત કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર શાહરુખે કહ્યું છે કે ‘પંજાબમાં આ વિનાશક પૂરથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે મારું હૃદય દ્રવિડ થાય છે. પ્રાર્થનાઓ અને શક્તિ મોકલું છું... પંજાબનો ઉત્સાહ ક્યારેય તૂટશે નહીં... ભગવાન બધાનું સારું કરે.’

Shah Rukh Khan punjab Weather Update bollywood buzz bollywood news bollywood entertainment news