શંકર-એહસાન-લૉયની ત્રિપુટીએ અમેરિકામાં સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈને ટૂરનો કર્યો પ્રારંભ

12 April, 2026 11:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મંદિર દર્શન દરમ્યાન તેમણે શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યાં અને આ મુલાકાત તેમના માટે ખાસ આધ્યાત્મિક અનુભવ બની હતી.

શંકર-એહસાન-લૉયની ત્રિપુટીએ અમેરિકામાં સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈને ટૂરનો કર્યો પ્રારંભ

સંગીતકાર શંકર-એહસાન-લૉયની ત્રિપુટી અમેરિકાની ટૂર પર છે. તેમણે તાજેતરમાં અમેરિકાસ્થિત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈને પોતાની આ ટૂરનો પ્રારંભ કર્યો હતો. મંદિર દર્શન દરમ્યાન તેમણે શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યાં અને આ મુલાકાત તેમના માટે ખાસ આધ્યાત્મિક અનુભવ બની હતી. આ ગ્રુપમાંથી શંકર મહાદેવને સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને સંદેશ લખ્યો, ‘અમારી ટૂરની શરૂઆત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઈને કરવી એ ખરેખર આશીર્વાદરૂપ બની. આ આત્માને સ્પર્શી જતો અનુભવ હતો. અહીંના તમામ સ્વામીઓ અને ભક્તોએ અમારા પર જે પ્રેમ અને સ્નેહ વરસાવ્યો એના માટે હું દિલથી આભાર માનું છું. અમે સૌના આશીર્વાદ લીધા અને આ પવિત્ર ક્ષણ માટે ખૂબ આભારી છીએ. આભાર અને કૃતજ્ઞતા સાથે જય સ્વામીનારાયણ. પૂજ્ય નીલકંઠસેવા સ્વામીનો આભાર, પૂજ્ય પ્રણવમુનિ સ્વામીનો આભાર.’

shankar mahadevan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news