શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ : ગહેના વસિષ્ઠ

29 September, 2021 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે તે આજે જે કંઈ પણ છે એ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિને કારણે છે

શર્લિન ચોપડાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ : ગહેના વસિષ્ઠ

પૉર્ન કેસમાં રાજ કુન્દ્રાને જામીન મળી ગયા છે ત્યારે ગહેના વસિષ્ઠે જણાવ્યું હતું કે શર્લિન ચોપડા આજે જે કંઈ છે એ તેની મહેરબાની છે. તેનું કહેવું છે કે શર્લિને તો તેની પૂજા કરવી જોઈએ. શર્લિન વારંવાર રાજ પર વિવિધ આરોપો મઢતી રહે છે. ગહેનાનું કહેવું છે કે તે હલકી પબ્લિસિટી માટે આવું કરતી રહે છે. શર્લિનની નિંદા કરતાં ગહેના વસિષ્ઠે કહ્યું હતું કે ‘તેની પાસે કોઈ કામ નથી અને પોતાને ન્ય‍ુઝમાં રાખવા માટે તે આવું કરે છે. પોતાના પર બોલ્ડ કન્ટેન્ટના દોષનો છાંટો ન ઊડે એ માટે શર્લિન આવું કરી રહી છે. હવે તો તે શિલ્પા શેટ્ટી કુન્દ્રા પર પર્સનલ આરોપો કરવા માંડી છે, જે તેના નિવેદનને કોઈ મહત્ત્વ નથી આપી રહી. શિલ્પાને તેના પર માનહાનિનો દાવો કરવા જેવું પણ અગત્યનું નથી લાગતું. શર્લિન આજે જે કંઈ છે એ રાજ કુન્દ્રાની મહેરબાનીને કારણે છે. તેણે તો તેનો આભાર માનવો જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ. ખરું કહું તો શર્લિન જ છે કે જેણે બોલ્ડ કન્ટેન્ટ માટે રાજ કુન્દ્રાને ઉકસાવ્યો હતો. તે જ એક હતી જે પૉર્ન બનાવતી હતી અને ૨૦૧૨થી તો ખૂબ જ ગંદી કન્ટેન્ટ કરતી હતી. રાજને તો તે માત્ર અઢી વર્ષ અગાઉ જ મળી છે.’

sherlyn chopra bollywood news bollywood raj kundra shilpa shetty bollywood gossips entertainment news