18 May, 2021 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ તલપડે
શ્રેયસ તલપડેએ ખુલાસો કરતાં જણાવ્યું છે કે તેની પીઠમાં તેના જ ફ્રેન્ડ્સે છૂરો ખોસ્યો છે. તેનું એમ કહેવું છે કે ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો અસલામતી અનુભવતા તેની સાથે સ્ક્રીન શૅર નથી કરતા. ફ્રેન્ડ્સ સાથે થયેલા કડવા અનુભવ વિશે શ્રેયસે કહ્યું હતું કે ‘મેં માત્ર ફ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને કેટલીક ફિલ્મો કરી હતી, પરંતુ એ જ મિત્રોએ મારી પીઠમાં વાર કર્યા છે. એવા કેટલાક ફ્રેન્ડ્સ છે જેમણે મારા વગર ફિલ્મો બનાવી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું તેઓ ખરેખર મારા ફ્રેન્ડ્સ છે? વાસ્તવમાં તો ઇન્ડસ્ટ્રીમાં ૯૦ ટકા લોકો સાથે તમારી ઓળખ હોય છે અને માત્ર ૧૦ ટકા તમારી સફળતાથી ખુશ થાય છે. અહીં અહંકાર ખૂબ નાજુક હોય છે.’