05 October, 2022 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તેજસ્વી પ્રકાશ
તેજસ્વી પ્રકાશને લગ્નનો સવાલ કરવામાં આવતાં તેણે જણાવ્યું કે પસ્તાવો કરવા કરતાં બે વખત વિચારી લેવું જોઈએ. તેજસ્વી અને કરણ કુન્દ્રા ઘણા સમયથી રિલેશનમાં છે. બન્નેની મુલાકાત ‘બિગ બૉસ’ના હાઉસમાં થઈ હતી. શો પૂરો થયા બાદ પણ તેમના રિલેશન કાયમ છે. તેઓ છાશવારે સાથે દેખાય છે અને તેમને જોઈને તેમના ફૅન્સ પણ હરખાઈ જાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેજસ્વીએ એક મીમ શૅર કર્યું છે. એમાં ટેક્સ્ટ દેખાય છે કે પૅપ્સ તેને પૂછે છે કે શાદી કબ હોગી? એનો જવાબ આપતાં તેજસ્વી કહે છે ‘મુઝે નહીં પતા હૈ, મુઝે નહીં પૂછના.’
આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તેજસ્વીએ કૅપ્શન આપી હતી, ‘એક ગંભીર વાત કહેવા માગું છું કે પસ્તાવા કરતાં એક વખત ખાતરી કરી લેવી સારી વાત છે. આ વાત દરેક યુવતીને લાગુ પડે છે. તમને જરૂર હોય એટલો પૂરતો સમય લઈ લો.’