09 February, 2026 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાન્ત મેસી
હાલમાં રિપોર્ટ હતા કે નિતેશ તિવારીની ‘રામાયણ’માં રાવણના દીકરા મેઘનાદના રોલ માટે રાઘવ જુયાલને સાઇન કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પહેલાં વિક્રાન્ત મેસીનો આ રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પણ આખરે તેને રિપ્લેસ કરીને રાઘવ જુયાલને સાઇન કરી લેવામાં આવ્યો છે. હવે વિક્રાન્ત મેસીએ ‘રામાયણ’માં તેને રિપ્લેસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા મામલે સ્પષ્ટતા કરી છે.
વિક્રાન્ત મેસીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જે તેણે પછી ડિલીટ પણ કરી દીધી. આ સ્ટોરીમાં તેણે લખ્યું હતું, ‘હું આ અફવાઓને અહીં જ રોકું છું. હું ક્યારેય પણ આ ફિલ્મનો ભાગ નહોતો. આમ છતાં ‘રામાયણ’ ફિલ્મની આખી ટીમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. હું ચોક્કસ ટિકિટ ખરીદી આ ફિલ્મ જોવા જઈશ.’