18 September, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાન્ત મેસી
વિક્રાન્ત મેસી ‘મુસાફિર કૅફે’ની સફળતાનો આનંદ માણ્યા બાદ પણ એમાંથી બહાર નીકળવાના મૂડમાં નથી. રિપોર્ટ પ્રમાણે વિક્રાન્ત હવે બિઝનેસની દુનિયામાં પણ હાથ અજમાવવા જઈ રહ્યો છે અને તે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ‘મુસાફિર કૅફે’ નામે બે નવાં કૅફે ખોલી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે બન્ને સ્થળોએ કૅફેના નિર્માણનું કામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે આ કૅફેને તેના લોકપ્રિય શોમાં જોવા મળેલા કૅફેની જેમ જ ડિઝાઇન કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત એમાં કલાકારોના રહેવા માટે આશરે ૨૦ રૂમ પણ બનાવવામાં આવશે. આ રીતે ‘મુસાફિર કૅફે’ની દુનિયાને સ્ક્રીનની બહાર વાસ્તવિક દુનિયામાં પણ આકાર આપવામાં આવી રહ્યો છે. આ કૅફેમાં બનાવવામાં આવનારી આર્ટિસ્ટ રેસિડન્સી સ્પેસ દુનિયાભરમાંથી આવતા કલાકારોને રહેવાની સાથે કામ કરવા માટે પણ યોગ્ય વાતાવરણ પૂરું પાડશે.