આલીશાન અપાર્ટમેન્ટ ખરીદ્યો હોવાની ચર્ચાને નકાર આપતાં કેટલાક લોકોનો ઊધડો લીધો વિવેક અગ્નિહોત્રીએ

05 December, 2022 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ન્યુઝ વેબસાઇટે એવી અફવા ફેલાવી હતી કે વિવેક અગ્નિહોત્રી અને તેની વાઇફ પલ્લવી જોશીએ વર્સોવામાં ૧૭.૯૨ કરોડમાં એક ભવ્ય અપાર્ટમેન્ટ ખરીદ્યો છે

વિવેક અગ્નિહોત્રી

વિવેક અગ્નિહોત્રીએ આલીશાન અપાર્ટમેન્ટ ખરીદ્યો હોવાની ચર્ચા શરૂ થતાં એને નકાર આપતાં તેણે કેટલાક લોકોનો ઊધડો લીધો છે. એક ન્યુઝ વેબસાઇટે એવી અફવા ફેલાવી હતી કે વિવેક અગ્નિહોત્રી અને તેની વાઇફ પલ્લવી જોશીએ વર્સોવામાં ૧૭.૯૨ કરોડમાં એક ભવ્ય અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. સાથે જ એના માટે તેમણે ૧.૦૭ કરોડની સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવી હોવાની પણ ચર્ચા છે. આ તમામ અફવાઓ પર વિરામ મૂકતાં ટ‍્વિટર પર એ ન્યુઝને શૅર કરીને વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે ‘હું એ તમામ કૉન્ગ્રેસીઓ, આપવાળા અને બેરોજગાર બૉલીવુડનો આભારી છું કે જેઓ દરરોજ મારા માટે એક નવો અપાર્ટમેન્ટ ઊભો કરી દે છે અને સાથે જ એમાં આલીશાન ફર્નિચર હોવાની પણ વાત કહે છે. ૧૦, જનપથથી આવતા સોફા મને ખૂબ પસંદ છે. દરેકનો આભાર.’

entertainment news bollywood news bollywood gossips bollywood vivek agnihotri