નાગઝિલામાં કાર્તિક આર્યનની હિરોઇન બનશે પ્રતિભા રાંટા?

09 November, 2025 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યનની આવનારી ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ શરૂ થઈ છે અને હવે ફિલ્મની લીડ ઍક્ટ્રેસ વિશે નવી માહિતી સામે આવી છે.

પ્રતિભા રાંટા

કાર્તિક આર્યનની આવનારી ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ શરૂ થઈ છે અને હવે ફિલ્મની લીડ ઍક્ટ્રેસ વિશે નવી માહિતી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં કાર્તિક આર્યનની હિરોઇન તરીકે પ્રતિભા રાંટાને સાઇન કરવામાં આવી શકે છે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મ માટે સાન્યા મલ્હોત્રાને ફાઇનલ કરવામાં આવી છે, પણ હવે તેની જગ્યાએ પ્રતિભા રાંટાને લેવામાં આવી શકે છે. જોકે હજી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પ્રિયંવદેશ્વર પ્યારેચંદ નામના એક ઇચ્છાધારી નાગની ભૂમિકા ભજવી રહ્યો છે. ‘નાગઝિલા’ નાગપંચમીના દિવસે એટલે કે આવતા વર્ષે ૧૪ ઑગસ્ટે રિલીઝ થશે.

kartik aaryan upcoming movie bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news