રાજકુમાર રાવની પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી ૭ ઑગસ્ટે થશે રિલીઝ

10 June, 2026 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર રાવ હાલમાં બાયોગ્રાફિકલ ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’માં કામ કરી રહ્યો છે

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ હાલમાં બાયોગ્રાફિકલ ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જ્વલ નિકમ સ્ટોરી’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ દેશના જાણીતા વકીલ ઉજ્જ્વલ નિકમના જીવનથી પ્રેરિત છે. હવે આ ફિલ્મની રિલીઝ-ડેટ જાહેર કરી દેવામાં આવી છે અને એને ૭ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત વામિકા ગબ્બી, સિકંદર ખેર અને જયદીપ અહલાવત પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મમાં ઉજ્જ્વલ નિકમનો લુક મેળવવા માટે રાજકુમાર રાવે ખાસ તૈયારી કરી છે. તેણે કોઈ કૃત્રિમ મેકઅપ કે પ્રોસ્થેટિક્સનો સહારો લીધા વિના ખરેખર પોતાનું વજન વધાર્યું હતું જેથી તે પાત્રને વધુ વાસ્તવિક રીતે રજૂ કરી શકે.

rajkummar rao upcoming movie indian cinema bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news