નામ કી ફિલ્મી કહાની

24 October, 2021 04:42 PM IST  |  Mumbai | Harsh Desai

કાજોલ પરથી રાખવામાં આવ્યું હતું સિમરન કૌરનું નામ

સિમરન કૌર

ઝીટીવી પર આવી રહેલા નવા શો ‘અગર તુમ ના હોતે’માં જોવા મળી રહેલી સિમરન કૌરનું કહેવું છે કે મારું નામ કાજોલના પાત્ર પરથી રાખવામાં આવ્યું હતું. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કાજોલનું નામ સિમરન હતું. આ સિરિયલમાં સિમરન નિયતિ મિશ્રાનું પાત્ર ભજવી રહી છે. આ સિરિયલમાં તે ખૂબ મહેનતુ નર્સનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં સિમરને કહ્યું હતું કે ‘મને પહેલેથી બૉલીવુડની ફિલ્મો ખૂબ ગમે છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કાજોલના પાત્ર સિમરન પરથી મારા પેરન્ટ્સે મારું નામ રાખ્યું હતું આ ફિલ્મ રિલીઝ થયાનાં બે વર્ષ બાદ મારો જન્મ થયો હતો. એમ છતાં કાજોલ અને શાહરુખ ખાનની કેમિસ્ટ્રી પાછળ લોકો ગાંડા હતા. મને લાગે છે કે એથી જ બૉલીવુડ રોમૅન્સ મને ગમે છે. મને ઓળખનાર વ્યક્તિને ખબર છે કે હું ફિલ્મના ડાયલૉગ પકડું છું અને મને જ્યાં એની જરૂર લાગે ત્યાં હું એનો ઉપયોગ કરું છું. ઘણી વાર મારા ફ્રેન્ડ્સને પણ સમય લાગે છે કે મેં કઈ ફિલ્મનો કોના ડાયલૉગનો ઉપયોગ કર્યો છે. ફિલ્મ પ્રત્યેના આ પ્રેમને કારણે જ હું અહીં સુધી આવી છું. રોમૅન્ટિક ડ્રામા ‘અગર તુમ ના હોતે’માં મને કામ મળ્યું એ બદલ હું તેમની આભારી છું.’

entertainment news indian television television news tv show dilwale dulhania le jayenge kajol harsh desai