TRP ગિર ગઈ, કિસીકો મારો

06 July, 2024 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિરિયલમાં આવી રીતે ટ્‌વિસ્ટ લાવતી એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂરે તેની ફૅમિલી-ડ્રામા સિરિયલોથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં તોફાન મચાવી દીધું હતું. તેની ‘કસૌટી ઝિંદગી કી’માં શ્વેતા તિવારીએ પ્રેરણાનો રોલ કરીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. સિરિયલના TRPમાં ઘટાડો દેખાય તો એકતા કપૂર લોકોને જકડી રાખવા માટે શોના ઍક્ટરના અવસાનનો ટ્રૅક લાવતી હતી. એ વિશે શ્વેતા તિવારી કહે છે, ‘અમે એક અઠવાડિયાના એપિસોડ બનાવીને રાખતા હતા. અમે સેટ પર જતાં તો અચાનક અમને કહેવામાં આવતું કે આવતી કાલનો એપિસોડ શૂટ કરવાનો છે. આ બધું TRP માટે થતું હતું. એકતાને જ્યારે પણ લાગતું કે શોના TRP સારા નથી તો તે કહેતી કે શોમાં કોઈને મારી નાખો. એકતા કહેતી કે ‘TRP ગિર ગઈ, કિસીકો મારો.’ પહેલાંના શો સારા હતા. અત્યારના જે શો છે એ રિયલ નથી દેખાતા, લોકો એની સાથે જોડાઈ નથી શકતા.’

ekta kapoor television news indian television shweta tiwari entertainment news