02 October, 2021 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિતાભ બચ્ચન
દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીએ (Pankaj Tripathi) બૉલિવૂડમાં (Bollywood) પોતાની માટે એક આગવું સ્થાન બનાવ્યું છે. ગેન્ગ્સ ઑફ વાસેપુરથી લઈને મિર્ઝાપુર (Mirzapur) સુધી દરેક નાના-મોટા પ્રૉજેક્ટમાં તેમનું કામ વખણાયું છે. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film Industry) આવતા પહેલા પંકજ ત્રિપાઠીએ (Pankaj Tripathi was a Cook in Hotel of Patna) જમવાનું બનાવવાનું પણ કામ કર્યું છે. અભિનેતાએ કૌન બનેગા કરોડપતિના (Kaun Banega Crorepati) શાનદાર શુક્રવાર એપિસોડમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
શૉમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), પંકજ (Pankaj Tripathi) અને પ્રતીક ગાંધી (Pratik Gandhi)ને પૂછે છે કે તેમને જમવાનું બનાવતા આવડે છે કે નહીં. આ બાબતે પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) જણાવે છે કે તેઓ એક પ્રૉફેશનલ કુક ( A Professional Cook) રહી ચૂક્યા છે અને એક હોટેલમાં કુકિંગનું કામ પણ કર્યું છે. પંકજે જણાવ્યું કે, "પટનાની એક હોટેલમાં કુકનું કામ કરતો હતો હું. ત્યાં નાઇટની ડ્યૂટિ કરતો બતો અને દિવસમાં થિયેટર રિહર્સલ કરતો હતો." પંકજનો આ ભેદ અમિતાભ માટે ખૂબ જ સરપ્રાઈઝિંગ હતો. તે શૉકિંગ રિએક્શન આપતા કહે છે કે, "મને તો આની માહિતી જ નહોતી."
પંકજે સંભળાવી પોતાના સંઘર્ષની સ્ટોરી
શૉમાં પંકજે પોતાના સંઘર્ષના દિવસોમાં પત્ની પાસેથી મળેલા સાથનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, હું વર્ષ 2004માં મુંબઇ આવ્યો હતો. પણ ગેન્ગ્સ ઑફ વાસેપુરનું શૂટિંગ વર્ષ 2012માં થયું. 8 વર્ષ સુધી કોઈને ખબર જ નહોતી કે હું કરી શું રહ્યો છું. મને ક્યારેય ખૂબ જ ભાર અને જવાબદારી જેવું લાગ્યું નહોતું. મારી પત્ની બાળકોને ભણાવી દેતી. અમે નાના ઘરમાં રહેતા હતા અને તે અમારી માટે કમાતી હતી. આ જ કારણે મારા સંઘર્ષમાં અંધેરી સ્ટેશન પર સૂવું સામેલ નથી.
પંકજે સંભળાવ્યિં અમિતાભ બચ્ચનના ડાયલૉગનું બિહારી વર્ઝન
શૉમાં પ્રતીક ગાંધીએ પણ પોતાના સ્ટ્રગલ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે ફિલ્મ ગાંધીમાં તેમણે તે સીન કર્યો હતો જેમાં ગાંધીને ટ્રેનમાંથી બાહર ફેંકી દેવામાં આવ્યો હતો. શૉમાં અમિતાભે પંકજ અને પ્રતીકને પોતાના જાણીતા ડાયલૉગ `આજ ખુશ તો બહુત હોગે તુમ`નું બિહારી અને ગુજરાતી વર્ઝન પણ સંભળાવવા કહ્યું હતું.