માધવ મિશ્રા આમ આદમી હોવાથી દરેક સાથે કનેક્ટ થઈ શકે છે : પંકજ ​ત્રિપાઠી

19 August, 2022 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝન ૨૬ ઑગસ્ટે ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે

પંકજ ​ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે માધવ​ મિશ્રા આમ આદમી હોવાથી દરેક સાથે સરળતાથી કનેક્ટ થઈ શકે છે. તેની ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝન ૨૬ ઑગસ્ટે ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. આ શોમાં તે માધવ મિશ્રાનું પાત્ર ભજવી રહ્યો છે. પહેલી બે સીઝનમાં તેના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘માધવ મિશ્રા એક આમ આદમી છે જેથી આ પાત્ર દરેક સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે. તેનું વર્તન, મૅનરિઝમ, તેનું ટાઇ​મિંગ, તેની બૉડી-લૅન્ગ્વેજ દરેક વસ્તુ એકદમ સરળ હોવાથી સરળતાથી સમજી શકાય છે. તે એકદમ રેગ્યુલર વ્યક્તિ છે જે તમને સરળતાથી મુંબઈ લોકલમાં મળી શકે છે. આથી જ દર્શકો આ પાત્ર સાથે ખૂબ જ કનેક્ટ થયા છે.’

entertainment news Web Series web series hotstar pankaj tripathi