`બટવારા 1947` બોક્સઓફિસ પર મોટી સફળતા મેળવશે: આગાહી

18 June, 2026 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્ષ 2001માં, `લગાન` અને `ગદર` એક જ દિવસે રિલીઝ થઈ હતી, જેણે બોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત બોક્સ-ઓફિસ મુકાબલા માટે મંચ તૈયાર કર્યો હતો. જ્યારે `ગદર` એક ઐતિહાસિક બ્લોકબસ્ટર તરીકે ઉભરી આવી અને ત્યારે `લગાન` પણ એક મોટી સફળતા સાબિત થઇ હતી.

પહેલાં આ ફિલ્મ લાહોર 1947 ના નામે બનવાની હતી

`લગાન` અને `ગદર: એક પ્રેમ કથા` એ ભારતીય સિનેમામાં સૌથી યાદગાર બોક્સ-ઓફિસ ટક્કર સર્જી હતી તેના પચ્ચીસ વર્ષ પછી, આમિર ખાન અને સન્ની દેઓલ `બટવારા 1947` માં સ્ક્રીન શેર કરવા માટે તૈયાર છે. 14 ઑગસ્ટના રિલીઝ થનારી આ ફિલ્મ બે એવા કલાકારોને ફરી સાથે લાવે છે જેમની કારકિર્દી અવારનવાર બોલિવૂડના કેટલાક મોટા સીમાચિહ્નો સાથે જોડાયેલી રહી છે.

વર્ષ 2001માં, `લગાન` અને `ગદર` એક જ દિવસે રિલીઝ થઈ હતી, જેણે બોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત બોક્સ-ઓફિસ મુકાબલા માટે મંચ તૈયાર કર્યો હતો. જ્યારે `ગદર` એક ઐતિહાસિક બ્લોકબસ્ટર તરીકે ઉભરી આવી અને તે સમયના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, ત્યારે `લગાન` પણ એક મોટી સફળતા હતી. આ ફિલ્મે વ્યાપક વિવેચકોની પ્રશંસા મેળવી અને એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બની હતી. આ ટક્કરે બંને કલાકારોનું કદ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ વધારી દીધું હતું. હવે, જ્યારે `બટવારા 1947` આ બંને કલાકારોને એકબીજાની સામે ઉતારવાને બદલે સાથે લાવી રહી છે, ત્યારે જાણીતા જ્યોતિષી વિક્રમ ચંદિરામાની માને છે કે આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે.

વિક્રમ ચંદિરામાનીએ જણાવ્યું કે, "બટવારા 1947 બૉક્સ-ઓફિસ પર એક મોટી સફળતા સાબિત થશે. સન્ની દેઓલ અને આમિર ખાન બંનેની કુંડળી ખૂબ જ પ્રબળ છે અને હાલમાં તેઓ ઉત્તમ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. હું માનું છું કે આ ફિલ્મ બંને કલાકારો માટે મોટા સાનુકૂળ તબક્કાની શરૂઆત છે. આગામી બાર મહિના તેમના માટે નોંધપાત્ર વ્યાવસાયિક વિકાસ, મોટી જાહેરાતો અને મહત્વપૂર્ણ સર્જનાત્મક સહયોગ લાવી શકે છે. રસપ્રદ વાત એ છે કે પચ્ચીસ વર્ષ પહેલાં જેઓ સામસામે સ્પર્ધા કરી રહ્યા હતા, તેઓ આ વખતે એક જ પક્ષે છે. આ એક અત્યંત શક્તિશાળી સંયોજન (કોમ્બિનેશન) સાબિત થશે."

અગાઉની સચોટ ભવિષ્યવાણીઓ 

આ આગાહી એટલા માટે નોંધપાત્ર છે કારણ કે વિક્રમે `ગદર ૨` ની રિલીઝના લગભગ એક વર્ષ પહેલાં જ સન્ની દેઓલના શાનદાર કમબેકની ભવિષ્યવાણી કરી હતી. તે સમયે, ફિલ્મ ઉદ્યોગમાં ઘણી શંકાઓ હતી. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે શું દર્શકો બે દાયકા પછી આવી રહેલી સિક્વલને સ્વીકારશે, ખાસ કરીને જે ભાગલા (Partition) ની આસપાસ કેન્દ્રિત હોય? એવો પણ સવાલ હતો કે સાઈઠના દાયકામાં પહોંચેલા સન્ની દેઓલ ફરી બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો બનાવી શકશે?

પરંતુ પરિણામ આપણી સામે છે, `ગદર ૨` એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. વિક્રમ માને છે કે સન્ની દેઓલનો ફરી ઊંચાઈ પહોંચવાની સફર હજી પૂરી નથી થઇ. મેકર્સ અને સ્ટુડિયોઝ તેમને આગામી સમયમાં પણ `મોસ્ટ બેન્કેબલ` સ્ટાર તરીકે જોશે. આ સિવાય, વિક્રમે આમિર ખાનની `સિતારે ઝમીન પર` ની વ્યાવસાયિક સફળતાની પણ સાચી આગાહી કરી હતી, જે આમિર માટે લાંબા સમય પછી મોટી હિટ સાબિત થઈ.

બંને સુપરસ્ટાર્સ પર શનિ ગ્રહનો પ્રભાવ

જ્યોતિષી વિક્રમ ચંદિરામાની બંને અભિનેતાઓની કારકિર્દીમાં એક સમાન દોરો વણાયેલો જુએ છે. ભલે તેમની વ્યાવસાયિક સફર ખૂબ જ અલગ રસ્તાઓ પર ચાલી હોય, પણ બંનેની કારકિર્દી શનિ ગ્રહ દ્વારા ભારપૂર્વક પ્રભાવિત છે. શનિ એ શિસ્ત, દ્રઢતા, ધીરજ અને સતત પ્રયત્નો દ્વારા મેળવેલા પ્રચંડ પુરસ્કારો સાથે જોડાયેલો ગ્રહ છે.

`બટવારા 1947` ના પ્રથમ ટીઝર અને ટ્રેલરની હજી રાહ જોવાઈ રહી હોવાથી દર્શકો પાસે મૂલ્યાંકન કરવા માટે બહુ ઓછી સામગ્રી છે. જો કે, ચંદિરામાની તેમની ગણતરી પર અડગ છે. પચ્ચીસ વર્ષ પહેલાં હરીફ તરીકે બોક્સ-ઓફિસ પર ઇતિહાસ રચનારા આ બે દિગ્ગજો આ વખતે સહયોગી તરીકે નવો ઇતિહાસ રચવા તૈયાર છે.

aamir khan sunny deol Vikkramm Chandirramani bollywood news astrologer shabana azmi karan deol