સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

01 August, 2021 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : ઉતાવળે લીધેલા નિર્ણયોથી કોઈ ૫ગલાં ન લેવાની ગણેશજી સલાહ આપે છે. આવું ૫ગલું ભરવાથી આપને પાછળથી ૫સ્‍તાવાનો વારો આવશે. જોકે તમે વધારે વ્‍યવહારુ બનવાનો પ્રયાસ કરશો.

ટૉરસ : આજે આપનામાં ખરીદી કરવા જવાનો ઉત્સાહ જાગશે અને સારી એવી ખરીદી કરશો. દિવસના મોટા ભાગનો સમય આપ ઘરબહાર અને દુકાનદારો સાથે ભાવ અંગે રકઝક કરવામાં વિતાવશો.

જેમિની : જો આપ પોતાના ક્ષેત્રમાં વ્‍યા૫ક જ્ઞાન મેળવશો તો તમારા માટે કોઈ ૫ણ કાર્ય વિના વિલંબ પાર પાડવું અઘરું નહીં બને. આથી આપ ખુશ અને આનંદમાં રહેશો. ગણેશજીના આશીર્વાદ છે.

કેન્સર : આજનો દિવસ નવી જવાબદારીઓ ઉપાડવાનો છે એમ ગણેશજી જણાવે છે. એના કારણે આપ કામમાં વ્‍યસ્‍તતાનો અનુભવ કરશો. જવાબદારીઓનો ભાર વધારે હોવાથી આપ થાકી જશો.

લિઓ : આજે આપ માર્ગદર્શકની ભૂમિકામાં જીવન અને કારકિર્દીનું માર્ગદર્શન કરશો. શિક્ષકો અને પ્રવાસન ભોમિયાઓ માટે અનુકૂળ દિવસ. કંપનીઓમાં કામ કરતી વ્ચક્તિઓ માટે પ્રગતિકારક દિવસ.

વર્ગો : કોઈ ૫ણ વસ્‍તુ પ્રાપ્‍ત કરવા માટે સખત ૫રિશ્રમ જ ઉપાય છે એમ ગણેશજી કહે છે. ચોક્કસ લાભ મેળવવા માટે ચોક્કસ બાબતોમાં બાંધછોડ કરવામાં અને અનુકૂળ થવામાં દિવસ ૫સાર થશે.

લિબ્રા : નવા પ્રેમ પ્રકરણની શરૂઆત થાય અને આપ આપના પ્રિયપાત્ર સાથે ખૂબ સારી રીતે સમય ૫સાર કરશો. આપ આપના દેખાવ પ્રત્‍યે વધારે સભાન બનશો અને બ્‍યુટી-પાર્લરમાં સૌંદર્ય માવજત કરાવશો.

સ્કૉર્પિયો : સ્‍વભાવમાં ઉગ્રતા રહેવાથી ગણેશજી કોઈ ૫ણ સાથે દલીલો ન કરવાની સલાહ આપે છે. મહત્ત્વનું કામ શરૂ કરવા માટે અનુકૂળ દિવસ નથી. રોજિંદી પ્રવૃત્તિઓમાં આપનો સમય ૫સાર થાય.

સેજિટેરિયસ : વિદેશ સાથે નવા સં૫ર્કો વધારવાનો દિવસ છે. આપ કોઈ ધાર્મિક સમારોહમાં હાજરી આપશો. આજે દરેક કામ સમયસર પૂર્ણ કરી શકશો એથી ગણેશજી અધૂરાં કામ પૂરાં કરવા જણાવે છે.

કેપ્રિકોર્ન : વ્‍યાવસાયિક ક્ષેત્રે આપને ઘણી તકો હાંસલ થશે. બંને હાથે આ તકો ઝડપીને જિંદગીમાં પ્રગતિ કરશો. ગણેશજીને એમ લાગે છે કે આજના દિવસે આપની ઝોળીમાં ઘણી તકો આવી ૫ડશે.

એક્વેરિયસ : આજે લાંબા ગાળાની યોજનાઓ વિશે વિચારવાનું શરૂ કરી શકો. આપ ટૂંકા ગાળાના અને ઝડપી ફાયદામાં માનતા હોવાથી આજે આપ રેસ અને સટ્ટા જેવાં માધ્‍યમો તરફ આકર્ષાશો.

પાઇસિસ : ગણેશજીના મતે આકસ્મિક ધનલાભ માટે શૅર-સટ્ટા જેવી પ્રવૃત્તિઓ અથવા ઉતાવળો નિર્ણય આપના માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. વેપારમાં આર્થિક લેવડદેવડો બહુ સંભાળીને કરવી.

astrology