વાસ્તુ Vibes: વાસ્તુ માત્ર ઘરનું નહીં પણ મનનું પણ સુધરે તો જ સાચી સમૃદ્ધિ મળે

03 November, 2025 05:13 PM IST  |  Mumbai | Hetvi Karia

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટનાયુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશુંહોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દૃષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...

કોનશીયસ
વાસ્તુપ્રાચીન જ્ઞાન અને આધુનિક સમજણનું સંયોજન છે, જે જીવનમાં સુમેળ અને સંતુલન લાવે છે. આ દૃષ્ટિએ ઘરની ડિઝાઇન કે આર્કિટેક્ચરને માત્ર શારીરિક માળખું નહીં, પરંતુ ઊર્જાનું પ્રતિબિંબ માનવામાં આવે છે. કોનશીયસ વાસ્તુ આપણા સ્થાન અને વ્યક્તિગત ઊર્જાને સમતોલ બનાવીને, માનસિક શાંતિ, સ્પષ્ટતા અને આરોગ્ય માટે માર્ગદર્શન આપે છે.

વાસ્તુ દોષ અને જીવનના અનુભવો
ઘણા લોકો પોતાના જીવનના તણાવ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા સંબંધોમાં અશાંતિ માટેવાસ્તુ દોષ’ને જવાબદાર ઠેરવે છે. વાસ્તુ દોષનો અર્થ ડિઝાઇન અથવા દિશાની ખામીઓ થાય છે જે ઘર અથવા કાર્યસ્થળમાં ઊર્જાના પ્રવાહને વિક્ષેપિત કરે છે. આવા દોષોને કારણે, ઘણા લોકો તાત્કાલિક ઉકેલો શોધવા માટે ઉતાવળ કરે છે, ફર્નિચર બદલી દેવું, ઇન્ટીરિયર ફેરવી દેવું કે અંધવિશ્વાસી ઉપાય અજમાવવું. પરંતુ કોનશીયસ વાસ્તુ કહે છે કે સાચો પરિવર્તન બાહ્ય વ્યવસ્થાથી નહીં, પરંતુ આંતરિક સમજણથી શરૂ થાય છે.

સ્થાનને દોષ આપવાનો સામાન્ય વલણ
પ્રોપર્ટીમાં શિફ્ટ થયા પછીબધું બગડ્યું, આવું તમે પણ ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે.નાણાકીય તણાવ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા સંબંધોમાં તણાવ જેવી પરિસ્થિતિઓ માટે લોકો જગ્યા અથવા ઘરની રચનાને જવાબદાર ઠેરવે છે. પરંતુવિચારસરણી મોટાભાગે અજ્ઞાન કે પૂર્વગ્રહિત માન્યતાઓ પર આધારિત હોય છે. યોગ્ય વિશ્લેષણ વિના કરાયેલા ફેરફારો ક્યારેક ફાયદા કરતાં વધુ સમસ્યાઓનું કારણ બને છે. સાચી સુખાકારી માટે આંતરિક અને બાહ્ય બંને ઊર્જાનો સંતુલિત સમન્વય જરૂરી છે.

વ્યક્તિગત ઊર્જાની ભૂમિકા
જીવનમાં મુશ્કેલીઓ હંમેશા ખોટા વાસ્તુને કારણે નથી આવતી. જ્યારે વ્યક્તિની આંતરિક ઉર્જા નબળી હોય છે, ત્યારે નાની વસ્તુઓ પણ મોટી લાગવા લાગે છે. જો સ્થળ અને વ્યક્તિ બંનેની ઉર્જા સંતુલિત હોય, તો મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ પણ વધે છે.

મન અને જગ્યા વચ્ચેનો સંબંધ
જો કોઈ વ્યક્તિ વારંવાર પોતાના ઘર કે ઓફિસનેઅશુભઅથવાદોષિતગણાવે, તો મનનકારાત્મક વિચારને સ્વીકારી લે છે અને તેને વાસ્તવિક અનુભવોમાં ફેરવી દે છે. સતત નકારાત્મક વિચાર ધારા આંતરિક ઊર્જાને ખંખેરી નાખે છે. તેથી પ્રથમ પગલું એ જ છે કે તમારા સ્થાનને નકારાત્મક ટેગ આપવાનું બંધ કરો. જગ્યા અને મન બંનેની ઊર્જા સૂક્ષ્મ છે, પરંતુ અસ્તિત્વ ધરાવે છે. “જે વાવશો તે લણશો”, આ કહેવત આપણને યાદ અપાવે છે કે વિચારની દિશાઊર્જાનું બીજ છે.

નિષ્કર્ષ
કોનશીયસ વાસ્તુફક્ત દિશા કે માળખાકીય ખામીઓને સુધારવા માટેનું સાધન નથી, પરંતુ ચેતના, ભાવનાત્મક સ્પષ્ટતા અને ઉર્જા સંતુલનનું વિજ્ઞાન છે. જ્યારે આપણે આપણા વિચારો અને અવકાશ બંનેને સુમેળમાં લાવીએ છીએ, ત્યારે સાચું સંતુલન જન્મે છે. પરિવર્તનની શરૂઆત એક વિચારથી થાય છે, દોષ આપવાનું બંધ કરો, સમન્વય શરૂ કરો. જગ્યા અને જાત બંને જોડાય ત્યારે જ સાચી સમૃદ્ધિ મળે છે.

Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui

conscious vaastu vaastu vibes astrology culture news life and style lifestyle news gujarati mid day exclusive dr harshit kapadia hetvi karia