કવિવારમાં આજે ગુજરાતી ગઝલ સર્જકોમાં અગ્ર ક્રમે આવતા કવિ જવાહર બક્ષીની ગઝલો મૂકવી છે. જવાહર બક્ષી આ નામ જ તેમનો પરિચય આપવા પર્યાપ્ત છે. છેલ્લા પાંચ દાયકાથી પણ વધુ સમયથી જેણે ગુજરાતી ગઝલને પોષી છે એવા જવાહર બક્ષી પાસેથી આપણને બે ગઝલસંગ્રહો મળે છે- `તારાપણાના શહેરમાં` અને `પરપોટાના કિલ્લા`. તેમનો જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક શિક્ષણ પણ ત્યાંની સ્વામી વિવેકાનંદ વિનયમંદિરમાં લીધું. મુંબઈની સિડનહામ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી કોમર્સ સ્ટ્રીમમાંથી સ્નાતક તહીને 1964માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યાવસાયિક સફર શરૂ કરી.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
19 May, 2026 12:26 IST | Mumbai | Dharmik Parmar