Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શ્રાવણમાં કાશી વિશ્વનાથધામ ન જઈ શકો તો મુંબઈના કાશી વિશ્વેશ્વર મંદિરમાં અચૂક જજો

મુંબઈના માટુંગામાં આવેલું ૨૪૩ વર્ષ જૂનું કાશી વિશ્વેશ્વર મંદિર પેશવાઈ સ્થાપત્ય, લાકડાની કારીગરી અને દાઢી-મૂછવાળી દુર્લભ શિવ પ્રતિમા માટે જાણીતું છે. શ્રાવણમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

22 August, 2026 01:50 IST | Mumbai | Kajal Rampariya

કાવડયાત્રા એટલે ગંગાનું પવિત્ર જળ લઈને પવિત્રતાની શોધમાં નીકળવું

શ્રાવણમાં ગંગાજળ લઈને મહાદેવને અર્પણ કરવાની કાવડયાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ સંકલ્પ, સંયમ, ત્યાગ અને શ્રદ્ધાની કઠિન સાધના છે. જાણીએ આ પરંપરાની શરૂઆત, પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક મહત્ત્વ.

16 August, 2026 07:38 IST | Mumbai | Aashutosh Desai

શ્રાવણ મહિનામાં સાપનું દેખાવું ધાર્મિક આસ્થા કે પર્યાવરણીય વિજ્ઞાનનો સંગમ?

Shravan 2026 special: શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શહેરો અને ગામડાઓમાં સાપ દેખાવાની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો આવે; પવિત્ર મોસમમાં સાપના ભ્રમણ પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ચોમાસાનું વિજ્ઞાન, જીવવિજ્ઞાન, પર્યાવરણીય અનુકૂલન પણ એટલું જ જવાબદાર

13 August, 2026 11:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્યાં શબ્દોમાં ખોવાઈ જવાય એવું ભારતનું પહેલું ભાષાસંગ્રહાલય

કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં શરૂ થયેલું ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે, જ્યાં આધુનિક ટેક્નૉલૉજીથી દેશની લગભગ ૩૮૦ ભાષાઓ, લિપિઓ અને ભાષાકીય વિરાસતની અનોખી સફરનો અનુભવ કરાવવામાં આવે છે.

09 August, 2026 04:15 IST | Kolkata | Laxmi Vanita


અન્ય આર્ટિકલ્સ

ધરતી માતાના આમું મૂળ રાજા

ધરતી માતાના આમું મૂળ રાજા

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રકૃતિના પૂજક એવા ગુજરાતના આદિવાસી સમાજની દુનિયામાં એક ડોકિયું કરીએ

09 August, 2026 03:27 IST | Tapi | Shailesh Nayak
ભારતીય કળા અને સંસ્કૃતિના વિકાસ માટે કલ્ચર કોન પ્રકારનો મંચ અનિવાર્ય છે - ફાઇલ તસવીર

CultureCon 2026: મુંબઈમાં 6-7 ઓગસ્ટે યોજાશે ક્રિએટિવ ઇકોનોમી પર કોન્ફરન્સ

Creative Economyથી લઈને AI, Performing Arts, Networking અને Creative Careers સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા દેશભરના કલાકારો, ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાતો મુંબઈના NCPA ખાતે CultureCon 2026માં મળશે.

04 August, 2026 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જેન-ઝીના અસભ્ય વર્તન માટે ખરા અર્થમાં જવાબદાર તેમનાં માબાપ છે

દિલ્હીમાં જે પ્રકારે યુવાનોએ વર્તન કર્યું છે એ વર્તનમાંથી મોટા ભાગનું વર્તન વિચાર્યા વિનાનું કે એનું પરિણામ શું આવે એ સમજ્યા વિનાનું કર્યું છે

27 July, 2026 02:53 IST | Mumbai | Swami Satchidananda


ફોટો ગેલેરી

કવિવાર: નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું – કવિ ગોપાલ શાસ્ત્રી

આજે કવિવારની શ્રેણીમાં વડોદરાના કવિ ગોપાલ શાસ્ત્રીની કૃતિઓની વાત કરવાનો ઉપક્રમ છે. `તારા વિના`  પુસ્તકમાં એમનાં કાવ્યો સંગ્રહિત છે. એમની કેટલીક જાણીતી રચનાઓ થકી માણીએ એમની સર્જનસફર. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
18 August, 2026 12:18 IST | Mumbai | Dharmik Parmar

ખારઘરનું જગન્નાથ મંદિર

પુરીની જગન્નાથજીની રથયાત્રાનો માહોલ માણવા મળશે ખારઘરના જગન્નાથ મંદિરે

ખારઘરના આ ભવ્ય જગન્નાથ મંદિરની સ્થાપના અને એના સંચાલન પાછળ MOWAનો સિંહફાળો રહ્યો છે. આ સંસ્થાનો પાયો ૧૯૯૮માં કળંબોલીમાં રહેતા ૧૭ ઓડિયા પરિવારોના એક જૂથ દ્વારા નાખવામાં આવ્યો હતો. MOWA એક સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે.

11 July, 2026 03:18 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એક માણસની મુસ્કુરાહટને લીધે હું આ જગ્યાએ પહોંચ્યો

ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્ત‌િ બનશે અને જીવન સાધના બનશે.

10 July, 2026 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રસન્નતાનો અનુભવ મધુર વ્યવહાર અકબંધ રખાવે

પ્રસન્નતાનો અનુભવ એક વખત કરશો તો પછી તમને આ પ્રકારનો મધુર વ્યવહાર રાખવાનું ક્યારેય ચુકાશે નહીં. એક વખત નાના માણસને દૂધનો ગ્લાસ પિવડાવશો તો દૂધ તે પીશે પણ તૃપ્તિ તમને મળશે.

09 July, 2026 01:58 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK