Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પુરીની જગન્નાથજીની રથયાત્રાનો માહોલ માણવા મળશે ખારઘરના જગન્નાથ મંદિરે

ખારઘરના આ ભવ્ય જગન્નાથ મંદિરની સ્થાપના અને એના સંચાલન પાછળ MOWAનો સિંહફાળો રહ્યો છે. આ સંસ્થાનો પાયો ૧૯૯૮માં કળંબોલીમાં રહેતા ૧૭ ઓડિયા પરિવારોના એક જૂથ દ્વારા નાખવામાં આવ્યો હતો. MOWA એક સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે.

11 July, 2026 03:18 IST | Mumbai | Heena Patel

એક માણસની મુસ્કુરાહટને લીધે હું આ જગ્યાએ પહોંચ્યો

ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્ત‌િ બનશે અને જીવન સાધના બનશે.

10 July, 2026 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રસન્નતાનો અનુભવ મધુર વ્યવહાર અકબંધ રખાવે

પ્રસન્નતાનો અનુભવ એક વખત કરશો તો પછી તમને આ પ્રકારનો મધુર વ્યવહાર રાખવાનું ક્યારેય ચુકાશે નહીં. એક વખત નાના માણસને દૂધનો ગ્લાસ પિવડાવશો તો દૂધ તે પીશે પણ તૃપ્તિ તમને મળશે.

09 July, 2026 01:58 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

પ્રગતિ જોઈતી હોય તો તમારી પાસે શું-શું હોવું જોઈએ?

વિકાસ સ્પર્ધાથી થાય અને વિનાશ ઈર્ષ્યાથી થાય. પોતાની લીટી લાંબી કરવી એ સ્પર્ધા છે, પરંતુ બીજાની લીટી ટૂંકી કરવી એ ઈર્ષ્યા છે

08 July, 2026 02:02 IST | Mumbai | Morari Bapu


અન્ય આર્ટિકલ્સ

બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે જણાવતું આ પુસ્તક આ મહિને રિલીઝ થશે

અમીશની પહેલી ચિલ્ડ્રન્સ બુક `ધ્રુવ-તારા` 27 જુલાઈએ રિલીઝ થશે

અમીશ ત્રિપાઠી હવે બાળકોનું પુસ્તક `ધ્રુવ-તારા એન્ડ ધ ગ્રેટ ઈન્ડિયન હિસ્ટ્રી ક્વિઝ` લઈને આવી રહ્યા છે. આ પુસ્તક 27 જુલાઈએ રિલીઝ થશે અને બાળકોને ભારતના ઈતિહાસ સાથે રસપ્રદ રીતે પરિચિત કરાવશે.

05 July, 2026 09:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિર

વિશ્વમાં સૌથી વધુ દાન મેળવતાં મંદિરોમાં દાનની સુરક્ષા માટે કેવી-કેવી વ્યવસ્થાઓ

રામ મંદિરની દાનચોરીનો મામલો ગાજી રહ્યો છે ત્યારે જાણીએ

05 July, 2026 04:26 IST | Mumbai | Shailesh Nayak
જગન્નાથજીની રથયાત્રાની છત્રીઓને ફાઇનલ ઓપ આપતા પિપલીના કલાકાર.

જગન્નાથ રથયાત્રાના રંગોનું ગામ : પિપલી

જ્યાં સોય, દોરો અને શ્રદ્ધા મળીને સરજાય છે અદ્ભુત ચાંદુઆ કળા

05 July, 2026 03:35 IST | Mumbai | Aashutosh Desai


ફોટો ગેલેરી

કવિવાર: અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર- કવિ મકરંદ દવે

મકરંદ દવેનો જન્મ ગોંડલમાં થયેલો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા અભ્યાસને પડતો મૂક્યો હતો. તેમની કવિતાઓમાં પરમ અનુભૂતિનો સ્પર્શ આપણને થાય છે, તે તેમના ગુરુ નાથાલાલ જોશીને લીધે. તેમના સહવાસે મકરંદભાઈએ આત્મ તરફની યાત્રા આરંભી. લેખિકા કુન્દનિકા કાપડિયા સાથે લગ્ન બાદ તેઓએ વલસાડના ધરમપુર ખાતે નંદીગ્રામની સંકલ્પના સાકારીને આધ્યાત્મિકતાની ધૂણી ધખાવી. તેમણે કુમાર, ઉર્મિ નવરચના, સંગમ, પરમાર્થી વગેરે સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદનનું કામ પણ બખૂબી કર્યું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
07 July, 2026 04:35 IST | Mumbai | Dharmik Parmar

‘CATS’ને 50થી વધુ દેશોમાં 77 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે

ચાર દાયકા પછી પણ ‘CATS’હિટ શા માટે? NMACCમાં ગ્લોબલ મ્યુઝિકલનું મિયાંઉ

એન્ડ્રુ લોયડ વેબરનું વિશ્વવિખ્યાત મ્યુઝિકલ CATS હવે NMACC, મુંબઈમાં. જાણો શા માટે 40 વર્ષથી વધુ સમય બાદ પણ આ શો વિશ્વભરના દર્શકોને આકર્ષી રહ્યો છે.

22 June, 2026 05:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રણવ અને પંચાક્ષર મંત્ર બન્ને મળીને જે મંત્ર બને એ છે ‘ૐ નમઃ શિવાય’

વિષ્ણુ સંબંધી જે વૈષ્ણવપુરાણ છે અથવા શિવ સંબંધી જે શૈવપુરાણ અથવા શૈવગ્રંથો છે એમાં ક્યાંક ભગવાન વિષ્ણુના મહિમાનું ગાયન થયું છે અને ક્યાંક ભગવાન શિવને સર્વોપરી બતાવવામાં આવ્યા છે

19 June, 2026 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોની ત્રીજી સીઝનનું આગમન જ એ વાતની સાબિતી છે કે લોકો તેને કેટલો ચાહી રહ્યા

`રાજાધિરાજ` શો તેની અદ્ભુત ત્રીજી સીઝન સાથે પાછો ફરશે

શ્રીકૃષ્ણના જીવન, પ્રેમ, અજોડ નેતૃત્વ અને તેમના કાલાતીત જ્ઞાનને વણતી આ અદ્ભુત પ્રસ્તુતિએ તેના ભાવનાત્મક ઊંડાણ, ભવ્ય દ્રશ્યો અને પાવરફુલ સ્ટોરીટેલિંગથી લાખો દિલ જીતી લીધા છે. તેના ઓપનિંગ શોથી જ આ પ્રોડક્શન એક મોટી સાંસ્કૃતિક ઘટના બની ગયું છે.

18 June, 2026 05:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK