Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચાલો જગન્નાથપ્રભુની જાનમાં

૧૭૦થી વધુ વર્ષથી ચાલતી આવતી આ પરંપરા અન્ય જગન્નાથજીની રથયાત્રાથી ભિન્ન છે, પરંતુ શ્રદ્ધાળુઓનો ભક્તિભાવ અનન્ય અને જબરદસ્ત છે

19 July, 2026 02:02 IST | Rajasthan | Alpa Nirmal

ત્યાગની વૃત્તિ જો મનમાં જન્મે તો દાનની વૃત્તિ પણ આપોઆપ વધે

જૂની વાતોને મગજમાંથી કાઢી નાખવાથી દિમાગ કેટલું સાફ થઈ જાય. રાખવાયોગ્ય જે કામની વાતો છે એને દિમાગમાં રાખીએ. જે હિસાબ ઘરનો છે એ જ હિસાબ દિમાગનો છે. જે રીતે આપણે ઘર સાફ કરીએ છીએ, સજાવીએ છીએ એ જ રીતે આપણા દિલને પણ સજાવીએ

17 July, 2026 04:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કરોડો રૂપિયા કરતાં પણ બોલાતા જૂઠાણાનો ભાર વસમો

અમેરિકામાં સ્થાયી થયાના ત્રીજા વર્ષે મારાથી કાર-ઍક્સિડન્ટ થયો જેમાં એક અમેરિકન બહેનના હાથે ફ્રૅક્ચર થયું. તેમણે મારી સામે કેસ કર્યો

16 July, 2026 11:28 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

જે સાંભળો એ કરવાનું શરૂ કરો તો ઘટના ઘટે અને તો જ સફળતા મળે

આંખો ખોલવી વિચાર છે, આંખો બંધ કરવી વિશ્વાસ છે. આંખો ક્યારે ખોલવી અને આંખો ક્યારે બંધ કરવી એનું નામ પુરુષાર્થ છે

15 July, 2026 04:04 IST | Mumbai | Morari Bapu


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જો શક્ય હોય તો તમારાં સંતાનોને એક વાર સેલ્યુલર જેલની કાળી કોટડીઓ દેખાડજો

ભારતથી દૂર નિર્જન જંગલમાં કેદીને સેલ્યુલર જેલની કાળી કોટડીમાં ધકેલી દેવામાં આવતો. આ જેલ મેં જોઈ છે. કોટડીમાં પુરાયેલા કેદીને કશું જ દેખાય નહીં. હવા માટેની એક સાવ નાની બારી. એ પણ સાત-આઠ ફુટ ઊંચી

13 July, 2026 01:03 IST | Mumbai | Swami Satchidananda
પદયાત્રા કરી રહેલી અને રસ્તામાં તરસ છિપાવતી ગાયો.

૪૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને ૨૧ ગાયોએ કર્યાં દ્વારકાધીશનાં દર્શન

ગાયોએ કરેલી આ પદયાત્રાની ખૂબી એ હતી કે જેમની પાસે એક પણ ગાય નથી એવા અમદાવાદના સંદીપ ખંભાળિયાએ આ ગૌપદયાત્રા યોજી હતી. આવો જાણીએ ગાયોની આ અનોખી પદયાત્રા વિશે.

12 July, 2026 04:02 IST | Mumbai | Shailesh Nayak
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના ગજવેશ શણગારનાં દર્શન, જગન્નાથ મંદિરની ગાદી પર બિરાજમાન મહંત દિલીપદાસજી મહારાજ. તસવીરો : જનક પટેલ

દાદાની આંગળી પકડીને જે મંદિરમાં છોકરો આવતો એ જ મંદિરમાં બન્યો મહંત

જગતના નાથ જગન્નાથજીની ગોદમાં બેસીને સેવા કરવાનો અવસર જેમને પ્રાપ્ત થયો છે તે અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની મહંત તરીકેની સફર અને અમદાવાદની પૌરાણિક રથયાત્રાની જાણી-અજાણી વાતોનો કરીએ સત્સંગ

12 July, 2026 03:32 IST | Mumbai | Shailesh Nayak


ફોટો ગેલેરી

કવિવાર: મારી પાસે ગુર્જરી બારાખડીમાં આવજે- કવિ અશરફ ડબાવાલા

કવિવારની શ્રેણીના આ મણકામાં શિકાગોસ્થિત કવિ અશરફ ડબાવાલાની રચનાઓ રજૂ કરવી છે. ભાષાના કવિઓને વિદેશની ધરતી પર માન-સન્માન આપનાર અશરફભાઈ અને તેમનાં ધર્મપત્ની ડૉ. મધુમતી મહેતા તો ભાષાનું ઘરેણું છે. આ ડૉક્ટર દંપતી શિકાગોમાં ભાષાસંવર્ધન માટે સતત પ્રયાસરત રહે છે. અશરફભાઈનો જન્મ અમેરલીમાં ૧૯૪૮ની સાલમાં ૧૩મી જુલાઇએ થયેલો. તેઓની પાસેથી આપણને `અલગ`, `ધબકારાનો વારસ` અને `વાણીપત` નામના સંગ્રહો મળે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
28 July, 2026 02:38 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સંગ્રહવાળાને તો લોકો ઓળખે, જ્યારે ઉદારને લોકો ચાહતા હોય

અર્થાત્ તમે તમારા સુખને જો વહેંચતા રહો એ જ તમારી ચાહત છે, એનું જ નામ પ્રેમ છે.

02 July, 2026 02:50 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માણસ પોતાનું મોઢું અરીસામાં જોવાનું ટાળે તો સમજવું કે ચહેરો કદરૂપો છે

વધતી ગરમી, લંબાતો ઉનાળો, ખેંચાતો વરસાદ અને પરિણામે મંડરાતી મોંઘવારી આ બધું અત્યારે અકળાવે છે. આપણને સ્વીકારવું અઘરું લાગશે પણ આ પરિસ્થિતિમાં ઉપરોક્ત ત્રણેય કક્ષાના લોકોનું યોગદાન અસાધારણ છે

30 June, 2026 03:07 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ભ્રષ્ટાચાર જન્મસિદ્ધ અધિકાર ક્યારે બને એ બરાબર રીતે સમજવાની જરૂર છે

દેશની પહેલી સરકાર કૉન્ગ્રેસની બની એટલે કૉન્ગ્રેસની જવાબદારી થતી હતી કે થતા દરેક કૌભાંડ સાથે એ કાયદાને વધુ ને વધુ કડક અને આકરો બનાવે જેથી દેશમાં ભ્રષ્ટાચાર કે આ પ્રકારની ચોરીઓ બંધ થાય

29 June, 2026 01:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK