Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જીવનના દરેક કાર્યનું પહેલું પગલું એક જ હોય : સંકલ્પ

ભગવાન બુદ્ધના એક પ્રસંગમાં માટીથી પથ્થર, લોખંડ, અગ્નિ, પાણી અને પવન સુધીની શક્તિ સમજાવવામાં આવે છે. અંતે બુદ્ધ કહે છે કે પવન કરતાં પણ બળવાન સંકલ્પ છે, કારણ કે દૃઢ નિશ્ચય માણસને આગળ વધવાની શક્તિ આપે છે.

16 September, 2026 06:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સબકૉન્શ્યસ માઇન્ડમાંથી વેરનાં મૂળિયાં ઉખાડવાની પ્રોસેસ એટલે મિચ્છા મિ દુક્કડં

કાચ સાફ કરવાથી મોઢા પરનો ડાઘ નથી ભૂંસાતો એમ સાચી ક્ષમાપના એ સામા માણસને નહીં; પોતાનાં કર્મો, પૂર્વગ્રહો અને અજ્ઞાત મનના સંસ્કારોને સાફ કરવાનું વિજ્ઞાન છે

16 September, 2026 05:03 IST | Mumbai | Ruchita Shah

આત્મશુ‌દ્ધિમાં લેબલ કરતાં લેવલ અ‌તિ જરૂરી છે

ક્ષમાપના પાયાની જરૂ‌રિયાત છે. ક્ષમા‌વિહોણું જીવનનો તો રણ જેટલુંય ર‌ળિયામણું નથી લાગતું. રણમાંય રાત પડ્યે રેતીનો સુંવાળો અને શીળો-શીળો સ્પર્શ સાંપડે છે

16 September, 2026 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિઓની પૂજા શા માટે કરવામાં આવે છે? આ પૌરાણિક કથા ખબર છે?

Rishi Panchami 2026: શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે; આ દિવસ મુખ્યત્વે સપ્તઋષિઓના પૂજન અને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમર્પિત છે ત્યારે જાણીએ આજના દિવસનું મહત્વ

15 September, 2026 10:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

આરતી

આરતી આપણને આટલીબધી શાંતિનો અનુભવ કેમ કરાવે છે?

ઘંટનો રણકાર, ઢોલ-નગારાંનો તાલ, મંજીરાનો ઝણકાર, શંખની ગુંજ અને અગરબત્તી-કપૂરની સુગંધ, આરતીની થાળી... આ બધું મળીને આપણા મન અને શરીર પર કેવી અસર કરે છે? આરતી દરમ્યાન ધ્વનિ, કંપન, શ્વાસ અને સુગંધના આ સંગમ પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ

14 September, 2026 11:32 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

શુભેચ્છાઓનું ખાતું ક્યારેય ખાલી ન રાખશો

આપણે બૅન્કમાં પૈસા સાચવીએ છીએ, પણ ‘શુભેચ્છાઓનું ખાતું’ ખોલીને પ્રેમ, દયા અને કરુણાની લાગણીઓ પણ વહેંચી શકીએ છીએ. સકારાત્મક વિચારો અને સંકલ્પશક્તિથી દુઃખી લોકો સુધી શુભેચ્છાના સ્પંદનો પહોંચાડી શકાય છે.

14 September, 2026 11:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂ. ધીરજમુનિ મ.સા.

જગતમાં વસવું એનું નામ પ્રદૂષણ અને જાતમાં વસવું એનું નામ પર્યુષણ

ઝિંદગી મેં મુશ્કિલોં કા આના પાર્ટ ઑફ લાઇફ હૈ ઔર ઉનમેં સે હંસકર બહાર આના આર્ટ ઑફ લાઇફ હૈ.

14 September, 2026 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ગણેશોત્સવ 2026: ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે લાડકા બાપ્પા બિરાજમાન, જુઓ તસવીરો

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ ચાલી રહી છે. મોટા મોટા મંડળો સાથે ઘરે-ઘરે બાપ્પાનું આગમન થઈ ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચકોએ તેમના લાડકા બાપ્પાની તસવીરો ભવ્ય અને અનોખા ડેકોરેશન સાથે શૅર છે.
16 September, 2026 04:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધર્મની શરૂઆત ફક્ત હાથ જોડવાથી નથી થતી, કોઈના કલ્યાણ માટે હાથ લંબાવવાથી થાય છે — નમ્રમુનિ

દાનને નામ નહીં, નિઃસ્વાર્થ સેવાનું માધ્યમ બનાવો

પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે આપ્યો ટ્રાન્સફૉર્મેશનનો સંદેશ

12 September, 2026 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભગવાન મહાવીરના મોટા ભાઈ નંદિવર્ધને ભગવાનની હયાતીમાં બનાવેલી ક્ષત્રિયકુંડમાં બિરાજિત પ્રતિમાજી.

ડિપ્રેશન, વેર અને પારિવારિક કંકાસથી બચવું છે? અપનાવો ભગવાન મહાવીરનાં ૬ લાઇફ-લેસન

મહાવીર સુપરહીરો કેમ કહેવાયા? શૌર્યથી લઈને સમતા સુધીનાં અનટોલ્ડ સીક્રેટ્સ : ક્રોધ સામે ક્ષમા, મુશ્કેલીઓમાં આંતરિક પાવર અને સંબંધો સાચવવાની પ્રૅક્ટિકલ ફૉર્મ્યુલા જે આજના દરેક પરિવાર માટે લાઇફ-ચેન્જર સાબિત થશે

12 September, 2026 12:08 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મારો એકરાર... સંકલ્પને બનાવીશ સિદ્ધ સંકલ્પ!

હસતા ચહેરાવાળી વ્યક્તિ સાથે હાથ મિલાવવા બધા જઈ શકે, પણ ઝેર વરસાવતી આંખો સામે જઈ પ્રેમ વરસાવવો એ કરુણા હતી ભગવાન મહાવીરની! આવી કરુણા જેનામાં આવે તે ભગવાન મહાવીરના ભક્ત હોય!

12 September, 2026 11:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK