આજે નવી પેઢીના શાયર રાકેશ હાંસલિયાની રચનાઓ તરફ જવું છે. તેમનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ રાજકોટના ખજૂરડામાં થયેલો. તાજેતરમાં જ કવિનો નવો ગઝલસંગ્રહ `તારું શિખર તને મળી જાશે` આવ્યો. તે પહેલાં કવિએ અન્ય મિત્રો સાથે મળીને `તત્ત્વ` નામનો સંગ્રહ પ્રગટ કરેલો. તેમની પાસેથી આપણને `જે તરફ તું લઇ જશે` અને`ક્યારેક ઉત્તર પણ મળે` નામનો સંગ્રહ આપણને મળ્યો છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
21 July, 2026 10:09 IST | Mumbai | Dharmik Parmar