Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રક્ષાબંધન ત્યારે જ ખરી જ્યારે રાખડી તો રૂબરૂ જ બંધાય

હવે તો પોસ્ટ અને કુરિયરમાં રાખડી મોકલી આપવાનું ચલણ ખૂબ વધી ગયું છે; પરંતુ આ બહેનોએ રક્ષાબંધનમાં ભાઈને રાખડી બાંધવાનો શિરસ્તો કદી તોડ્યો નથી, ભલેને ભાઈ દેશના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય?

28 August, 2026 04:32 IST | Mumbai | Darshini Vashi

રાખડીના એક તાંતણે બંધાય છે ત્રણથી ચાર પેઢીનો આખો પરિવાર

મુંબઈના કેટલાક પરિવારોમાં રક્ષાબંધન આજે પણ માત્ર ભાઈ-બહેનનો તહેવાર નથી પરંતુ ૩-૪  પેઢીઓને સાથે લાવતું વાર્ષિક ફૅમિલી રીયુનિયન બની ગયું છે. ત્યારે મળીએ એવા પરિવારોને જ્યાં રક્ષાબંધન વિશાળ પરિવારની સાથે ઊજવાય છે

28 August, 2026 04:21 IST | Mumbai | Heena Patel

ત્રિપુરાનું એક એવું ગામ જ્યાં કાચાં ઘરોની દીવાલો ખીલી ઊઠી છે સુંદર રંગોળીઓથી

પશ્ચિમ ત્રિપુરાના કપાલી પારામાં આવેલું લાંકામુરા ગામ તેની અનોખી અલ્પના કળાને કારણે ‘અલ્પના ગ્રામ’ તરીકે જાણીતું બન્યું છે. અગરતલાથી ૬ કિલોમીટર દૂર આવેલું આ ગામ સ્થાનિકોના સહયોગથી આજે જીવંત લોકકલા અને સાંસ્કૃતિક પર્યટનનું આકર્ષક કેન્દ્ર બન્યું છે.

23 August, 2026 05:49 IST | Alpana Gram | Laxmi Vanita

પહલી રાખી તો મેરે મહાદેવ કો

બળેવના પર્વે ઉજ્જૈનના મહાકાલને ભસ્મ આરતીમાં ખાસ રાખડી બાંધવામાં આવે છે, જે બાબા જન્માષ્ટમી સુધી ધારણ કરે છે. અમેઠીના રામપુર પવારામાં બહેનો પહેલાં દત્તેહરેશ્વરનાથને રાખડી બાંધે છે, પછી પોતાના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધે છે.

23 August, 2026 05:37 IST | Amethi | Alpa Nirmal


અન્ય આર્ટિકલ્સ

મંદિરનું ગર્ભગૃહ અને મરાઠા શૈલીના વાડાની યાદ અપાવતો સભામંડપ.

શ્રાવણમાં કાશી વિશ્વનાથધામ ન જઈ શકો તો મુંબઈના કાશી વિશ્વેશ્વર મંદિરમાં અચૂક જજો

મુંબઈના માટુંગામાં આવેલું ૨૪૩ વર્ષ જૂનું કાશી વિશ્વેશ્વર મંદિર પેશવાઈ સ્થાપત્ય, લાકડાની કારીગરી અને દાઢી-મૂછવાળી દુર્લભ શિવ પ્રતિમા માટે જાણીતું છે. શ્રાવણમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

22 August, 2026 01:50 IST | Mumbai | Kajal Rampariya
કાવડયાત્રા એટલે ગંગાનું પવિત્ર જળ લઈને પવિત્રતાની શોધમાં નીકળવું

કાવડયાત્રા એટલે ગંગાનું પવિત્ર જળ લઈને પવિત્રતાની શોધમાં નીકળવું

શ્રાવણમાં ગંગાજળ લઈને મહાદેવને અર્પણ કરવાની કાવડયાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ સંકલ્પ, સંયમ, ત્યાગ અને શ્રદ્ધાની કઠિન સાધના છે. જાણીએ આ પરંપરાની શરૂઆત, પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક મહત્ત્વ.

16 August, 2026 07:38 IST | Mumbai | Aashutosh Desai
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શ્રાવણ મહિનામાં સાપનું દેખાવું ધાર્મિક આસ્થા કે પર્યાવરણીય વિજ્ઞાનનો સંગમ?

Shravan 2026 special: શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શહેરો અને ગામડાઓમાં સાપ દેખાવાની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો આવે; પવિત્ર મોસમમાં સાપના ભ્રમણ પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ચોમાસાનું વિજ્ઞાન, જીવવિજ્ઞાન, પર્યાવરણીય અનુકૂલન પણ એટલું જ જવાબદાર

13 August, 2026 11:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં? કવિ અશોક ચાવડા `બેદિલ`

આજે કવિવારમાં વાત કરવી છે કવિ અશોક ચાવડા `બેદિલ`ની. સાંપ્રત સમયમાં સાહિત્યસર્જનમાં આદરપૂર્વક લઇ શકાય એવું નામ. કવિ, વાર્તાકાર અને વિવેચક અશોક ચાવડા એટલે પંકાયેલી અને મંજાયેલી કલમ. તેમનો કાવ્યસંગ્રહ `ડાળખીથી સાવ છૂટાં`ને વર્ષ ૨૦૧૩ માં સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર એનાયત થયેલો. તે ઉપરાંત સર્જક પાસેથી આપણને પગલાં તળાવમાં, પગરવ તળાવમાં, તું કહું કે તમે, પિટ્યો અશ્કો, શબ્દોદય અને ગઝલિસ્તાન જેવા માતબર સંગ્રહો પ્રાપ્ત થાય છે. ૨૩ ઑગસ્ટ ૧૯૭૮ના રોજ ભાવનગરમાં પિતામ્બરભાઈ અને હંસાબહેનના ત્યાં તેમનો જન્મ. ૧૯૯૮માં અશોક ચાવડાએ અમદાવાદની સી.યુ. શાહ કોમર્સ કૉલેજમાંથી એકાઉન્ટિંગમાં બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી. ૨૦૦૧માં તેમણે અમદાવાદની એચ.કે. આર્ટસ કૉલેજમાંથી અંગ્રેજી લિટરેચરમાં કોમર્સ સ્નાતકની પણ ડિગ્રી મેળવી.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
25 August, 2026 02:31 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે સાંભળો એ કરવાનું શરૂ કરો તો ઘટના ઘટે અને તો જ સફળતા મળે

આંખો ખોલવી વિચાર છે, આંખો બંધ કરવી વિશ્વાસ છે. આંખો ક્યારે ખોલવી અને આંખો ક્યારે બંધ કરવી એનું નામ પુરુષાર્થ છે

15 July, 2026 04:04 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સોશ્યલ મીડિયા વિશે આજના આપણા નિર્ણયો આગામી પેઢીઓને પ્રભાવિત કરશે

સોશ્યલ મીડિયા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ સામે ગંભીર ખતરો પણ દેખાઈ રહ્યો છે. બાળકો શીખવાનું શીખે એના કરતાં ન શીખવાનું શીખે છે.

14 July, 2026 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જો શક્ય હોય તો તમારાં સંતાનોને એક વાર સેલ્યુલર જેલની કાળી કોટડીઓ દેખાડજો

ભારતથી દૂર નિર્જન જંગલમાં કેદીને સેલ્યુલર જેલની કાળી કોટડીમાં ધકેલી દેવામાં આવતો. આ જેલ મેં જોઈ છે. કોટડીમાં પુરાયેલા કેદીને કશું જ દેખાય નહીં. હવા માટેની એક સાવ નાની બારી. એ પણ સાત-આઠ ફુટ ઊંચી

13 July, 2026 01:03 IST | Mumbai | Swami Satchidananda

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK