Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વિકાસ જોઈતો હોય તો તમારી પાસે શું-શું હોવું જોઈએ?

નારદજીના જીવનનું ઉદાહરણ આપતાં સમજાવવામાં આવ્યું છે કે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાંથી વિકાસ કરી શકે છે. ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય જેવી છ વસ્તુઓ વ્યક્તિને સાચા અર્થમાં મહાન બનાવે છે.

09 September, 2026 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મારો એકરાર - મારા વચનને બનાવીશ પુણ્ય વચન

દુર્લભ એવા મનુષ્યભવમાં મળેલા શ્રેષ્ઠ વચનયોગ દ્વારા તો પ્રભુના ગુણગ્રામ ગાવા જોઈએ અને સામેવાળી વ્યક્તિને શાતા અને સમાધિ પમાડવી જોઈએ.

09 September, 2026 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અહિંસા માત્ર ધાર્મિક મુદ્દો નહી આર્થિક, પર્યાવરણીય અને સામાજિક મુદ્દો બન્યો છે

અહિંસાની જગ્યાએ “હિંસા વિરુદ્ધનો વિચાર” રાખીને, આ લેખમાં પ્રકૃતિ, પર્યાવરણ અને સમાજ સાથે માનવના સંબંધની વાત કરવામાં આવી છે. કરુણા અને જીવદયા અપનાવવાથી જીવન વધુ સુરક્ષિત બની શકે છે.

08 September, 2026 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉ. મુકેશ બત્રાનાં 58માં ફોટોગ્રાફી પ્રદર્શનમાં ઝાયેદ ખાન અને મંદિરા બેદી

મેજિક મોમેન્ટ્સ: થ્રૂ ધ કીવી લેન્સ’માં જોવા મળશે ન્યૂઝીલેન્ડનું કુદરતી સૌંદર્ય; પ્રદર્શનની આવક દૃષ્ટિહીન બાળકો માટે વપરાશે. ડૉ. બત્રાએ ન્યૂઝીલેન્ડના હિમાચ્છાદિત શિખરોનું પ્રતિબિંબ ઝીલતાં સરોવરો, સમુદ્રકિનારા, ગાઢ જંગલો અને શહેરો કૅમેરામાં કેદ કર્યાં.

08 September, 2026 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

સ્વામી સચ્ચિદાનંદ (સૌજન્ય : મિડ-ડે)

સાચો ધર્મ માણસને આત્મનિર્ભર, નીડર અને કર્મશીલ બનાવે

ધર્મના નામે થતા વૈભવના દેખાડા અને સંપત્તિના સંગ્રહને બદલે મંદિરો તથા ધાર્મિક ટ્રસ્ટોની સંપત્તિ શિક્ષણ, આરોગ્ય, સંશોધન અને રોજગાર જેવા સમાજના જીવતા માણસોના કલ્યાણ માટે વાપરવાની વાત લેખમાં રજૂ કરાઈ છે.

07 September, 2026 03:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

તમને નથી લાગતું કે ગણેશ-ઉપાસનાનું સાચું સ્વરૂપ ધીમે-ધીમે લુપ્ત થતું જાય છે?

મૂર્તિઓ મોટી બનાવવાથી ન તો ભક્તિની ઊંચાઈ વધે છે કે ન તો પરમાત્મા સાથે એકતા સાધવાની ગહનતા વધે છે

07 September, 2026 10:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

શ્રીકૃષ્ણના ઉપદેશોમાં નાણાકીય આયોજનનું જ્ઞાન

ભગવદ્ગીતાના નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞતા અને ધર્મના સિદ્ધાંતોને નાણાકીય આયોજન, રોકાણ, સંપત્તિ સર્જન અને નાણાકીય સ્વતંત્રતા સાથે કેવી રીતે જોડી શકાય તે જાણો.

06 September, 2026 03:14 IST | Mumbai | Foram Shah


ફોટો ગેલેરી

કવિવાર: ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો - કવિ કૈલાસ પંડિત

આજે કવિવારની સફર પહોંચી છે કૈલાસ પંડિત પાસે. કવિનો જન્મ મધ્યપ્રદેશના હોશંગાબાદના જબલપુરમાં થયેલો. તેમણે મુંબઈની એક કંપનીમાં અસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકેની સેવા આપી અને પછી તેઓ મુંબઈમાં જ સ્થાયી થયા. તેઓ મૂળ હિન્દીભાષી, પણ ગુર્જરીને અતિ સહજ અને સુંદર રીતે શણગારી છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
08 September, 2026 12:16 IST | Mumbai | Dharmik Parmar

મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા

મનુસ્મૃતિને ગાળો આપતાં પહેલાં એક વાર મનુસ્મૃતિ વિશે સાચી રીતે જાણો તો ખરા

તાજેતરમાં રાહુલ ગાંધીએ કરેલા મનુસ્મૃતિની ટિપ્પણીઓને કારણે ઐતિહાસિક સમયથી વિવાદિત રહેલો આ ગ્રંથ ફરી એક વાર ચર્ચામાં છે. અવારનવાર વામપંથીઓ ‘મનુવાદ’થી આઝાદી માગતા હોય છે. એ બધા જ સવાલોના જવાબો મનુસંહિતાનો વિગતવાર અભ્યાસ કરનારાઓ નિષ્ણાતો પાસેથી જ મેળવીએ

30 August, 2026 12:48 IST | Mumbai | Ruchita Shah
આજના યુવાનોમાં વધી રહ્યો છે સંસ્કૃત ભાષા પ્રત્યે અનોખો પ્રેમ

આજના યુવાનોમાં વધી રહ્યો છે સંસ્કૃત ભાષા પ્રત્યે અનોખો પ્રેમ

આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે મળીએ મુંબઈના કેટલાક એવા લોકોને જેમના માટે સંસ્કૃત એ માત્ર શ્ળોકો ગોખવાની ભાષા નથી રહી પણ પ્રાચીન જ્ઞાનને પોતાની રીતે ડીકોડ કરવાની એક નવી રીત બની રહી છે

28 August, 2026 04:44 IST | Mumbai | Kajal Rampariya
રક્ષાબંધન ત્યારે જ ખરી જ્યારે રાખડી તો રૂબરૂ જ બંધાય

રક્ષાબંધન ત્યારે જ ખરી જ્યારે રાખડી તો રૂબરૂ જ બંધાય

હવે તો પોસ્ટ અને કુરિયરમાં રાખડી મોકલી આપવાનું ચલણ ખૂબ વધી ગયું છે; પરંતુ આ બહેનોએ રક્ષાબંધનમાં ભાઈને રાખડી બાંધવાનો શિરસ્તો કદી તોડ્યો નથી, ભલેને ભાઈ દેશના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય?

28 August, 2026 04:32 IST | Mumbai | Darshini Vashi

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK