Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



નવનિધિની સંપદા જેની પાસે હોય તે માત્ર સફળ જ નહીં, સુફળ પણ છે

મારી એક વિનંતી છે કે કોઈના પ્રભાવમાં આવવું નહીં, પોતાના સ્વભાવમાં જીવવું. સંતોષ અને અસંતોષ વચ્ચે સંતુલન રાખવું, વિકાસ અને વિશ્રામ વચ્ચે સંતુલન રાખવું.

24 June, 2026 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અનુભવીના ડહાપણમાં હંમેશાં જીવનશૈલીનાં રહસ્યો છુપાયેલાં હોય છે

ઘડપણના ડહાપણમાં જીવનશૈલીનાં રહસ્યો છુપાયાં હોય છે.

23 June, 2026 03:13 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

ચાર દાયકા પછી પણ ‘CATS’હિટ શા માટે? NMACCમાં ગ્લોબલ મ્યુઝિકલનું મિયાંઉ

એન્ડ્રુ લોયડ વેબરનું વિશ્વવિખ્યાત મ્યુઝિકલ CATS હવે NMACC, મુંબઈમાં. જાણો શા માટે 40 વર્ષથી વધુ સમય બાદ પણ આ શો વિશ્વભરના દર્શકોને આકર્ષી રહ્યો છે.

22 June, 2026 05:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રણવ અને પંચાક્ષર મંત્ર બન્ને મળીને જે મંત્ર બને એ છે ‘ૐ નમઃ શિવાય’

વિષ્ણુ સંબંધી જે વૈષ્ણવપુરાણ છે અથવા શિવ સંબંધી જે શૈવપુરાણ અથવા શૈવગ્રંથો છે એમાં ક્યાંક ભગવાન વિષ્ણુના મહિમાનું ગાયન થયું છે અને ક્યાંક ભગવાન શિવને સર્વોપરી બતાવવામાં આવ્યા છે

19 June, 2026 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

રાહુલ દેશપાંડે ભક્તિ પરંપરા સાથે કરશે પ્રવાસ - તસવીર સૌજન્ય પીઆર

રાહુલ દેશપાંડે: ‘ભક્તિ આંદોલનનો સમાનતા અને માનવતાનો સંદેશ આજના સમયમાં વધુ જરૂરી

આ ટૂર માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રાદેશિક સીમાઓથી પર લઈ જઈને દેશના નવા શ્રોતાઓ સાથે જોડવાનો એક મોટો સાંસ્કૃતિક પ્રયાસ છે. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથની રચનાઓ ગવાશે.

18 June, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કૉમેડી કે વિકૃતિ?

જાહેરમાં અભદ્ર વાત કરનારી વ્યક્તિ ગુનેગાર હોય તો એ સમયે તેને સાંભળીને વધાવનારા ઑડિયન્સનું શું?

18 June, 2026 12:29 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જે રામાયણ હોય છે એ જીભની જ તો હોય છે

શ્રોતાઓના આ મસ્ત પ્રતિભાવને જોઈને હું ખુશ થઈ ગયો. સૌએ પ્રસન્નચિત્તે એનો નિયમ તો લીધો, પણ ચારેક દિવસ બાદ એક યુવક મળવા આવ્યો.

18 June, 2026 12:22 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj


ફોટો ગેલેરી

કવિવાર: વિશ્વને પ્રેમનું પટોળું કરવા નીકળેલા કવિ હરજીવન દાફડા

કવિવારની આજની શ્રેણીના વાત અમેરલીના કવિ હરજીવન દાફડાની. અમરેલીના દેવળિયા ગામમાં એમનો જન્મ. વ્યવસાયે સિવિલ એન્જિનિયરિંગ હોવાથી ગુજરાત પાણીપુરવઠા બોર્ડમાં સેવા બજાવી. હાલમાં તેઓ સેવાનિવૃત્ત થઈને આયુર્વેદિક ક્લિનિક ચલાવી રહ્યા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
23 June, 2026 03:30 IST | Mumbai | Dharmik Parmar

હાઈ કોર્ટે ધારની ભોજશાલામાં પહેલાં મંદિર હતું એ સ્વીકાર્યા પછી ભક્તોએ ભોજશાલા પરિસરમાં હવન અને સરસ્વતીદેવીની પૂજા કરી હતી.

રાજા ભોજે સ્થાપેલી ભોજશાલાને ન્યાય મળતાં ૧૦૦૦ વર્ષ લાગ્યાં

વર્ષો વીત્યાં એમ-એમ ભારતનાં બીજાં અનેક મંદિરોની જેમ મોગલ હુમલાખોરોએ ભોજશાલા પર પણ અનેક વાર હુમલાઓ કર્યા, એને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો અને આ બધી ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓથી પણ સંતોષ ન થતાં મુસ્લિમોએ ભોજશાલાને પણ મસ્જિદમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો.

07 June, 2026 03:13 IST | Mumbai | Aashutosh Desai
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી પસાર થતા હો ત્યારે સાયન-ઈસ્ટના ગોકુલ રોડ પર આવેલું આ મંદિર વિઝિટ કરવા જેવું છે.

સાયનનું ગોકુલઃ જ્યાં નજર ફેરવો ત્યાં કૃષ્ણ જ કૃષ્ણ

મુંબઈનાં યુનિક મંદિરોની યાદીમાં સાયનમાં આવેલા શ્રી ગોપાલકૃષ્ણ મંદિરનો સમાવેશ અચૂક થાય છે. પ્રવેશતાંની સાથે જ જ્યાં નજર ફેરવો ત્યાં ભગવાન કૃષ્ણની લીલાઓ અને વિષ્ણુના દશાવતાર જોવા મળે છે

06 June, 2026 12:02 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં કર્મને યજ્ઞની ઊંચાઈ પર પહોંચાડવાની વાત કરે છે

એકવીસમી સદીમાં આ વિષાદમાંથી મુક્ત થવા અને પ્રસન્નતાનો પ્રસાદ પામવા માટે શ્રીકૃષ્ણના ચરિત્ર જેવું ઉપયુક્ત ચરિત્ર બીજું કોઈ ન હોઈ શકે

05 June, 2026 02:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK