Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



વિચાર, વ્યવહાર અને ઉચ્ચાર : સત્યના આ છે ૩ સાચા સાગરીત

વ્યવહાર સત્ય થાય ત્યાર બાદ એનું ઉચ્ચારણ સત્ય માની શકાય. વ્યવહાર સત્ય કર્યા પછી તે જે બોલશે એને જ સત્ય માનવામાં આવશે

21 May, 2026 01:03 IST | Mumbai | Morari Bapu

વિશ્વકર્માએ એક જ રાતમાં બનાવ્યું હતું વિષ્ણુનું આ મંદિર

આજે મલમાસ (અધિક મહિનો) બેસી ગયો છે અને આ પવિત્ર માસમાં ધર્મસ્થાનોની યાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, ઉપવાસ આદિ ધર્મકાર્ય કરવાનું વિશેષ ફળદાયી છે આથી આપણે કરીએ જાંજગીરના વિષ્ણુ મંદિરની માનસયાત્રા, પણ એ પૂર્વે પુરુષોત્તમ માસ વિશે થોડુંક.

17 May, 2026 02:24 IST | Mumbai | Alpa Nirmal

મા એ પહેલી ગુરુ છે તો એનાથી અવળું પણ, ગુરુ એ પહેલી મા પણ છે

સંસ્કારદાત્રી માતાઓમાં પણ જેમ જડ અને ચેતન બધા ગુરુ એમ સંસ્કારદાત્રી ગ્રંથના રૂપમાં પણ હોય અને સ્ત્રીના રૂપમાં પણ હોય

15 May, 2026 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીપીએમાં આર્ટીઝ ફેસ્ટિવલ ઈન્ડિયાની 30મી આવૃત્તિમાં ‘મોસ્ટલી બીથોવન’

દિગ્ગજ સંગીતકાર લુડવિગ વાન બીથોવનની 200મી પુણ્યતિથિ પહેલાં એનસીપીએ ‘મોસ્ટલી બીથોવન’ નામની ખાસ શ્રેણી લઈને આવી રહ્યું છે, જેમાં બીથોવનના તમામ સ્ટ્રિંગ ક્વાર્ટેટ્સ રજૂ થશે. આ ફેસ્ટિવલ ચાર મહિનાની અવધિમાં 2026 અને 2027 દરમિયાન યોજાશે.

14 May, 2026 04:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટના મેદાનની ક્રીઝથી લઈને રામાયણની લક્ષ્મણરેખા સુધી બધે જ મર્યાદાને સ્થાન

રાત્રે કેટલા વાગ્યા સુધી જાગવું અને સવારે કેટલા વાગ્યા સુધી ઊંઘતા રહેવું એ બધું મર્યાદા સાથે જ યોગ્ય ગણાય

12 May, 2026 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Vaastu Vibes: લોભ નહીં, સંતુલન જ લાવે છે સાચી સમૃદ્ધિ

Vaastu Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

11 May, 2026 06:12 IST | Mumbai | Hetvi Karia
પ્રતીકાત્મક તસવીર

આત્મિક જ્ઞાનનો અભાવ : સમસ્ત સંસારની દરેક સમસ્યાનું આ છે મૂળ કારણ

આવા લોકોને એ પૂછવું જોઈએ કે કર્મનો ત્યાગ કઈ રીતે સંભવ થશે? ખાવું, પીવું, કમાવું, સાંભળવું, સંભળાવવું તો બંધ થઈ જશે; પરંતુ મનના વિચારોનો વેપાર તો ચાલતો જ રહેશેને? 

11 May, 2026 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે : જવાહર બક્ષી

કવિવારમાં આજે ગુજરાતી ગઝલ સર્જકોમાં અગ્ર ક્રમે આવતા કવિ જવાહર બક્ષીની ગઝલો મૂકવી છે. જવાહર બક્ષી આ નામ જ તેમનો પરિચય આપવા પર્યાપ્ત છે. છેલ્લા પાંચ દાયકાથી પણ વધુ સમયથી જેણે ગુજરાતી ગઝલને પોષી છે એવા જવાહર બક્ષી પાસેથી આપણને બે ગઝલસંગ્રહો મળે છે- `તારાપણાના શહેરમાં` અને `પરપોટાના કિલ્લા`. તેમનો જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક શિક્ષણ પણ ત્યાંની સ્વામી વિવેકાનંદ વિનયમંદિરમાં લીધું. મુંબઈની સિડનહામ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી કોમર્સ સ્ટ્રીમમાંથી સ્નાતક તહીને 1964માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યાવસાયિક સફર શરૂ કરી. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
19 May, 2026 12:26 IST | Mumbai | Dharmik Parmar

રઘુ રાય, તેજીલી આંખોથી કચકડામાં સમય જીવતો રાખનારા તસવીરકાર - સૌજન્યઃવિક્રમજીત કાકતી , વિકિમિડિયા કોમન્સ

A Tribute: વહેતા સમયને ફ્રેમમાં જડી ઇતિહાસને ફોટોગ્રાફમાં રજૂ કરતા રઘુ રાય

રાય ભોપાલ ગૅસ દુર્ઘટના વખતે ત્યાં ગયા હતા ત્યારે તેમણે ઝેરી મિથેન ગૅસથી મરણ પામેલી દીકરીને દાટતા પહેલાં છેલ્લી વાર પંપાળતા બાપનો હાથ અને મૃત બાળકના ચહેરાનો ફોટો લીધો હતો. બાળકની આંખ ઝેરી ગૅસની અસરથી સુજી ગઈ છે અને ભુખરી થઈ ગઈ છે.

29 April, 2026 03:28 IST | Mumbai | Avaneesh Bhatt
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પૂજા કરવી સરળ છે પણ પ્રેમ કરવો ઉચ્ચ બાબત છે

પ્રેમનું ફળ મુક્તિ નથી, પ્રેમ જ છે. મુક્તિ પ્રેમના ઘરમાં વાસણ માંજે છે, કપડાં ધુએ છે, દાસી બનીને રહે છે

29 April, 2026 01:02 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પૈસાની હાજરી કરતાં ગેરહાજરી વધુ બળવાન છે

બચત એ વધારાનો ‘ભાઈ’ બની શકે એ વિચાર હવે વરાળ થઈ રહ્યો છે. બચત એટલે ઑલ ટાઇમ સિક્યૉરિટી ઍન્ડ ઍની ટાઇમ લિક્વિડિટી!

28 April, 2026 12:49 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK