Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શિવજીની કૃપાથી જ બ્રહ્મા સૃષ્ટિરૂપ, વિષ્ણુ સ્થિતિરૂપ, રુદ્ર સંહારરૂપ કાર્ય કરે

શિવજીના વિભૂતિરૂપ મહેશ્વર તિરોભાવનું કાર્ય કરે છે, પણ અનુગ્રહ તો ફક્ત શિવજી જ કરે છે એટલા માટે શિવજી મોક્ષદાતા છે

26 June, 2026 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આગથી, વાઘથી અને સાપથી ડરવાવાળા તો જોવા મળે; પણ પાપથી ડરનારા?

૩૬ વર્ષનો યુવક, કપડાં કહે છે કે આર્થિક સ્થિતિ બહુ સારી નથી. મુખ પરની વ્યગ્રતા જોઈને લાગે કે મુશ્કેલીમાં છે. ચાલમાં રહેલી ચંચળતા કહે કે ઉતાવળ પણ છે. 

25 June, 2026 11:37 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

નવનિધિની સંપદા જેની પાસે હોય તે માત્ર સફળ જ નહીં, સુફળ પણ છે

મારી એક વિનંતી છે કે કોઈના પ્રભાવમાં આવવું નહીં, પોતાના સ્વભાવમાં જીવવું. સંતોષ અને અસંતોષ વચ્ચે સંતુલન રાખવું, વિકાસ અને વિશ્રામ વચ્ચે સંતુલન રાખવું.

24 June, 2026 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અનુભવીના ડહાપણમાં હંમેશાં જીવનશૈલીનાં રહસ્યો છુપાયેલાં હોય છે

ઘડપણના ડહાપણમાં જીવનશૈલીનાં રહસ્યો છુપાયાં હોય છે.

23 June, 2026 03:13 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રણવ અને પંચાક્ષર મંત્ર બન્ને મળીને જે મંત્ર બને એ છે ‘ૐ નમઃ શિવાય’

વિષ્ણુ સંબંધી જે વૈષ્ણવપુરાણ છે અથવા શિવ સંબંધી જે શૈવપુરાણ અથવા શૈવગ્રંથો છે એમાં ક્યાંક ભગવાન વિષ્ણુના મહિમાનું ગાયન થયું છે અને ક્યાંક ભગવાન શિવને સર્વોપરી બતાવવામાં આવ્યા છે

19 June, 2026 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોની ત્રીજી સીઝનનું આગમન જ એ વાતની સાબિતી છે કે લોકો તેને કેટલો ચાહી રહ્યા

`રાજાધિરાજ` શો તેની અદ્ભુત ત્રીજી સીઝન સાથે પાછો ફરશે

શ્રીકૃષ્ણના જીવન, પ્રેમ, અજોડ નેતૃત્વ અને તેમના કાલાતીત જ્ઞાનને વણતી આ અદ્ભુત પ્રસ્તુતિએ તેના ભાવનાત્મક ઊંડાણ, ભવ્ય દ્રશ્યો અને પાવરફુલ સ્ટોરીટેલિંગથી લાખો દિલ જીતી લીધા છે. તેના ઓપનિંગ શોથી જ આ પ્રોડક્શન એક મોટી સાંસ્કૃતિક ઘટના બની ગયું છે.

18 June, 2026 05:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ દેશપાંડે ભક્તિ પરંપરા સાથે કરશે પ્રવાસ - તસવીર સૌજન્ય પીઆર

રાહુલ દેશપાંડે: ‘ભક્તિ આંદોલનનો સમાનતા અને માનવતાનો સંદેશ આજના સમયમાં વધુ જરૂરી

આ ટૂર માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રાદેશિક સીમાઓથી પર લઈ જઈને દેશના નવા શ્રોતાઓ સાથે જોડવાનો એક મોટો સાંસ્કૃતિક પ્રયાસ છે. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથની રચનાઓ ગવાશે.

18 June, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: થોડાં મુક્તક, થોડી ગઝલો અને નઝમો લઈને આવ્યો છે `યુસુફ`

તાજેતરમાં જ ભવન્સ અંધેરીમાં સ્વર્ગસ્થ કવિ યુસુફ બુકવાલાના કાવ્યસંપુટ `ચહેરા`ની બીજી આવૃત્તિનો લોકાર્પણ પ્રસંગ યોજાયો. કવિ યુસુફ એટલે ગુજરાતી ભાષાને જેણે મુક્તકોથી શણગારી છે. કવિની જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આવો કવિવારના માધ્યમથી તેમની ભાવવંદના કરીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
30 June, 2026 12:54 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આજનો નવો વેદમંત્ર છે પ્રકૃતિ દેવો ભવ

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અતિથિ દેવો ભવ જેવાં વચનો માતા-પિતા અને અતિથિને દેવનો દરજ્જો આપીને ઉપાસના કરવા પ્રેરે છે

09 June, 2026 01:14 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રેમ મુક્તિ છે, મોહ બંધન

આ બધી પીડાઓ બે વ્યક્તિ વચ્ચેના વિશુદ્ધ પ્રેમમાં ક્યારેય જોવા નથી મળતી, કારણ કે તેઓ એ જાણતા હોય છે કે વાસ્તવિક સૌંદર્ય શરીરનું નહીં પરંતુ આત્માનું હોય છે અને એટલે જ આવી વ્યક્તિઓ શારીરિક આકર્ષણને જરાય મહત્ત્વ નથી આપતી

08 June, 2026 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાઈ કોર્ટે ધારની ભોજશાલામાં પહેલાં મંદિર હતું એ સ્વીકાર્યા પછી ભક્તોએ ભોજશાલા પરિસરમાં હવન અને સરસ્વતીદેવીની પૂજા કરી હતી.

રાજા ભોજે સ્થાપેલી ભોજશાલાને ન્યાય મળતાં ૧૦૦૦ વર્ષ લાગ્યાં

વર્ષો વીત્યાં એમ-એમ ભારતનાં બીજાં અનેક મંદિરોની જેમ મોગલ હુમલાખોરોએ ભોજશાલા પર પણ અનેક વાર હુમલાઓ કર્યા, એને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો અને આ બધી ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓથી પણ સંતોષ ન થતાં મુસ્લિમોએ ભોજશાલાને પણ મસ્જિદમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો.

07 June, 2026 03:13 IST | Mumbai | Aashutosh Desai

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK