Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આ દાદાજી એક કિડની સાથે બમણા જોશથી નૃત્ય કરે છે

૧૮ વર્ષથી એક કિડની સાથે નીરોગી જીવન જીવતા ઘાટકોપરના ૭૫ વર્ષના રોહિત પારેખ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત રાસગરબા અને લોકનૃત્ય રજૂ કરે છે તથા છંદ, દુહાઓ અને ગુજરાતી લોકગીતો ગાઈને લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે...

09 April, 2026 08:52 IST | Mumbai | Varsha Chitaliya

વૈરાગ્યના અગ્નિમાં વાસનાને સળગાવો, એ જ ધૂપ થઈ જશે

ભગવાન ભક્તનાં બધાં જ કર્મોને ખાઈ જાય છે. એક જ શરત કે ભગવાનને બધું જ અર્પણ કરો.

08 April, 2026 09:54 IST | Mumbai | Morari Bapu

સંકટના સમયને શિક્ષાનો સમય સમજીને જાગ્રત બનીએ

સંયોગો અને સંકટોનો ચહેરો પલટાય છે, પણ કતારો કાયમ રહે છે. અત્યારે LPGનાં સિલિન્ડરો અને પેટ્રોલ-ડીઝલ માટે કતારો લાગે છે

07 April, 2026 02:50 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

Vaastu Vibes:ઍર ફ્રેશનર નહીં,ફ્રેશ ઍર:કારમાં પણ શુદ્ધ હવાની આવ-જા શા માટે જરૂરી?

Vaastu Vibes: ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

06 April, 2026 04:55 IST | Mumbai | Hetvi Karia


અન્ય આર્ટિકલ્સ

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.

માણો એક અનોખા ગામને જ્યાંની રહેણીકરણી અને જીવનશૈલી પ્રાચીન વૈદિકકાળમાં લઈ જાય છે

શ્રીકાકુલમ જિલ્લામાં ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.

05 April, 2026 12:41 IST | Mumbai | Laxmi Vanita
લાલ રાંભિયા

કચ્છી સંગીતના મશાલચી

કચ્છનાં ગામડાંઓમાં ડાયરાઓ દ્વારા લોકજાગૃતિનું કામ કરતા લાલ રાંભિયાના ૭૫મા જન્મદિવસની આજે જાહેર ઉજવણી થઈ રહી છે ત્યારે તેમની સફર પર એક નજર કરીએ

05 April, 2026 08:52 IST | Mumbai | Vasant Maru
જૅપનીઝ બુદ્ધ મંદિરનો આ શ્વેત અને શાંત નજારો; મંદિરમાં પ્રવેશતાં જ જોવા મળતો વિશાળ પ્રાર્થનાહૉલ; તાઇકો ડ્રમ

જાણો વરલીમાં આવેલા મુંબઈના એકમાત્ર જૅપનીઝ મંદિર વિશે

મુંબઈની સતત દોડતી જિંદગી વચ્ચે વરલીમાં આવેલું જૅપનીઝ બુદ્ધ ટેમ્પલ ભારત અને જપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. અહીંનું શાંત વાતાવરણ જૅપનીઝ સંસ્કૃતિનો પરિચય કરાવે છે જે મુંબઈમાં રહીને એક વાર ચોક્કસ અનુભવવા જેવું છે

04 April, 2026 06:57 IST | Mumbai | Heena Patel


ફોટો ગેલેરી

કવિવાર: તારાથી જે થાય કરી લે... કવિ તેજસ દવે

કવિવારની શ્રેણીમાં આજે યુવાકવિ તેજસ દવેની રચનાઓ માણવી છે. તેજસ દવે ઉત્તમ સંચાલન પણ કરી જાણે છે. કવિતાઓ, ગીતો, અછાંદસો, નાટકો લખનાર તેજસ દવે પાસેથી આપણને `ઓગળતી જિંદગીના સમ` નામે સંગ્રહ મળે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.  
07 April, 2026 02:29 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વીરતા પરમો ધર્મઃ તાકાત નહીં, તાકાત ક્યાં દેખાડવામાં આવે છે એ મહત્ત્વનું છે

યુદ્ધ ખરાબ છે, છે અને છે જ. પણ એ કેવા સંજોગોમાં કરવું પડ્યું છે એ જાણ્યા પછી જ આવું વિધાન કરવું જોઈએ

23 March, 2026 02:05 IST | Mumbai | Swami Satchidananda
પગથી માથા સુધી રામરામનાં ટૅટૂ કરાવતો અનોખો રામભક્ત રામનામી સમાજ

પગથી માથા સુધી રામરામનાં ટૅટૂ કરાવતો અનોખો રામભક્ત રામનામી સમાજ

કેન્દ્રીય ભારતમાં ૧૯મી સદી દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક આંદોલનો ઊભાં થયાં હતાં જેમણે એ સમયની રાજકીય અને ધાર્મિક રચનાઓને પડકારી હતી. ઉચ્ચ કુળ દ્વારા નીચા કુળના લોકોને મૂળભૂત અને સામાન્ય હકોથી વંચિત રાખવામાં આવતા હતા.

22 March, 2026 01:29 IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બેમનથી કરો

યોગાભ્યાસના સાતત્યથી સ્વભાવમાં પણ રૂપાંતરણ આવી જાય છે એટલે યોગનો અભ્યાસ, પ્રાણાયામ, તનનું સ્વાસ્થ્ય અને મનની પ્રસન્નતા - આ બન્નેનો પ્રસાદ યોગાભ્યાસથી પ્રાપ્ત થાય છે

20 March, 2026 10:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK