Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સોશ્યલ મીડિયા વિશે આજના આપણા નિર્ણયો આગામી પેઢીઓને પ્રભાવિત કરશે

સોશ્યલ મીડિયા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ સામે ગંભીર ખતરો પણ દેખાઈ રહ્યો છે. બાળકો શીખવાનું શીખે એના કરતાં ન શીખવાનું શીખે છે.

14 July, 2026 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જો શક્ય હોય તો તમારાં સંતાનોને એક વાર સેલ્યુલર જેલની કાળી કોટડીઓ દેખાડજો

ભારતથી દૂર નિર્જન જંગલમાં કેદીને સેલ્યુલર જેલની કાળી કોટડીમાં ધકેલી દેવામાં આવતો. આ જેલ મેં જોઈ છે. કોટડીમાં પુરાયેલા કેદીને કશું જ દેખાય નહીં. હવા માટેની એક સાવ નાની બારી. એ પણ સાત-આઠ ફુટ ઊંચી

13 July, 2026 01:03 IST | Mumbai | Swami Satchidananda

૪૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને ૨૧ ગાયોએ કર્યાં દ્વારકાધીશનાં દર્શન

ગાયોએ કરેલી આ પદયાત્રાની ખૂબી એ હતી કે જેમની પાસે એક પણ ગાય નથી એવા અમદાવાદના સંદીપ ખંભાળિયાએ આ ગૌપદયાત્રા યોજી હતી. આવો જાણીએ ગાયોની આ અનોખી પદયાત્રા વિશે.

12 July, 2026 04:02 IST | Mumbai | Shailesh Nayak

દાદાની આંગળી પકડીને જે મંદિરમાં છોકરો આવતો એ જ મંદિરમાં બન્યો મહંત

જગતના નાથ જગન્નાથજીની ગોદમાં બેસીને સેવા કરવાનો અવસર જેમને પ્રાપ્ત થયો છે તે અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની મહંત તરીકેની સફર અને અમદાવાદની પૌરાણિક રથયાત્રાની જાણી-અજાણી વાતોનો કરીએ સત્સંગ

12 July, 2026 03:32 IST | Mumbai | Shailesh Nayak


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એક માણસની મુસ્કુરાહટને લીધે હું આ જગ્યાએ પહોંચ્યો

ઈશ્વર આપણી સાથે જ છે અને પુરુષાર્થ કરવાની, કર્મ કરવાની શક્તિ ઈશ્વર જ આપે છે એવી ભાવના લઈને જીવીશું તો આપણા જીવનમાં દિવ્યતા આવશે, આપણું કર્મ ભક્ત‌િ બનશે અને જીવન સાધના બનશે.

10 July, 2026 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રસન્નતાનો અનુભવ મધુર વ્યવહાર અકબંધ રખાવે

પ્રસન્નતાનો અનુભવ એક વખત કરશો તો પછી તમને આ પ્રકારનો મધુર વ્યવહાર રાખવાનું ક્યારેય ચુકાશે નહીં. એક વખત નાના માણસને દૂધનો ગ્લાસ પિવડાવશો તો દૂધ તે પીશે પણ તૃપ્તિ તમને મળશે.

09 July, 2026 01:58 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રગતિ જોઈતી હોય તો તમારી પાસે શું-શું હોવું જોઈએ?

વિકાસ સ્પર્ધાથી થાય અને વિનાશ ઈર્ષ્યાથી થાય. પોતાની લીટી લાંબી કરવી એ સ્પર્ધા છે, પરંતુ બીજાની લીટી ટૂંકી કરવી એ ઈર્ષ્યા છે

08 July, 2026 02:02 IST | Mumbai | Morari Bapu


ફોટો ગેલેરી

કવિવાર: આવો ને મેહુલિયા! ધરતીનાં તપ છોડાવો - કવિ પ્રહ્લાદ પારેખ

કવિ પ્રહ્લાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયેલો. ૧૯૩૦માં તેઓએ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. ઉત્તમ બાળગીતો અને બાલવાર્તાઓ સર્જનારા આ કવિ દક્ષિણામૂર્તિમાં પણ જોડાયા હતા. રવિન્દ્રનાથ ટાગોરની નિશ્રામાં તેમની કાવ્યસર્જન યાત્રાનો આરંભ થયો હતો. મુંબઈ અને ભાવનગરની શાળાઓમાં શિક્ષક તરીકે પણ સેવા આપી. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
14 July, 2026 12:55 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શિવજીની કૃપાથી જ બ્રહ્મા સૃષ્ટિરૂપ, વિષ્ણુ સ્થિતિરૂપ, રુદ્ર સંહારરૂપ કાર્ય કરે

શિવજીના વિભૂતિરૂપ મહેશ્વર તિરોભાવનું કાર્ય કરે છે, પણ અનુગ્રહ તો ફક્ત શિવજી જ કરે છે એટલા માટે શિવજી મોક્ષદાતા છે

26 June, 2026 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આગથી, વાઘથી અને સાપથી ડરવાવાળા તો જોવા મળે; પણ પાપથી ડરનારા?

૩૬ વર્ષનો યુવક, કપડાં કહે છે કે આર્થિક સ્થિતિ બહુ સારી નથી. મુખ પરની વ્યગ્રતા જોઈને લાગે કે મુશ્કેલીમાં છે. ચાલમાં રહેલી ચંચળતા કહે કે ઉતાવળ પણ છે. 

25 June, 2026 11:37 IST | Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

નવનિધિની સંપદા જેની પાસે હોય તે માત્ર સફળ જ નહીં, સુફળ પણ છે

મારી એક વિનંતી છે કે કોઈના પ્રભાવમાં આવવું નહીં, પોતાના સ્વભાવમાં જીવવું. સંતોષ અને અસંતોષ વચ્ચે સંતુલન રાખવું, વિકાસ અને વિશ્રામ વચ્ચે સંતુલન રાખવું.

24 June, 2026 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK