Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બિહાર મેં હોલી ગજબે હોલા, બબુઆ

આમ તો બિહારમાં દારૂબંધી છે, પરંતુ હોળીના તહેવારમાં બેરોકટોક ભાંગ પીરસાય અને પીવાય છે.

01 March, 2026 03:55 IST | Mumbai | Alpa Nirmal

કર્મ જ્યારે પાકે ત્યારે ફળ આપે પણ હા, કેટલાંક કર્મ બહુ ઇન્સ્ટન્ટ ફળ આપે

વિવેક વગરની વ્યક્તિ પશુ સમાન છે. વ્યવહારમાં વિવેકથી આપણું પ્રત્યેક કર્મ આપણા મન પર અમીટ છાપ છોડી જાય છે

27 February, 2026 12:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ હોળીમાં ઘરે જ બનાવો નૅચરલ કલર્સ

જો તમારે આ વખતે હોળીનું સેફ સેલિબ્રેશન કરવું હોય તો વર્ષો જૂની પદ્ધતિને અપનાવીને ઘરે જ રસોડાની સામગ્રી અને ફૂલોનો ઉપયોગ કરીને ઘરે જ કુદરતી રંગો બનાવીને રંગોના તહેવારને સેલિબ્રેટ કરી શકો છો

26 February, 2026 12:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પૃથ્વી થિયેટર દ્વારા ઉસ્તાદ ઝાકિર હુસૈનની સ્મૃતિમાં કોન્સર્ટ `રહનુમા`ની જાહેરાત

એક વિશેષ સંગીતના કાર્યક્રમ દ્વારા ઉસ્તાદ ઝાકિર હુસૈન અને પૃથ્વી થિયેટર વચ્ચેના વિશેષ સંબંધની ઉજવણી થશે. `રહનુમા` દ્વારા ઝાકિર સાહેબના સંગીત પ્રત્યેના સમર્પણ અને નવા કલાકારોને તૈયાર કરવાની તેમની ઉદારતાને બિરદાવવામાં આવશે.

25 February, 2026 05:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આંખમાં આંસુ આવવાં એ પણ સંસ્કાર, પ્રિયતમની ચિંતા થવી એ પણ સંસ્કાર

પ્રેમમાં વિશ્વાસ હોય છે અને નિઃશ્વાસ પણ નીકળતા રહે છે. પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ હોય છે અને બીજી બાજુ તે ક્યાંય દેખાતો ન હોવાની પીડામાં ફળફળતા નિઃશ્વાસ પણ નીકળે છે

25 February, 2026 01:06 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ધર્મ એક વિચારસરણી નહીં પણ જીવનશૈલીનો ભાગ બનીને રહેશે

સર્જરી દ્વારા ટ્યુમર નીકળી જાય પણ ફરીથી રોગનું રીઅકરન્સ રોકવા રેડિયેશનનો સહારો લેવાય છે જેની સાઇડ-ઇફેક્ટ ઘણી ભારે છે

24 February, 2026 11:52 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ટેક્નૉલૉજીની અનિવાર્યતાને સમજીને એના વધારાના વળગણમાંથી બહાર આવવું પડશે

કોઈ વખત તમારે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો પડે એ સમજાય, પણ તમે જો એને નિયમિત સ્વભાવ બનાવી લો તો એ ગેરવાજબી છે

23 February, 2026 02:32 IST | Mumbai | Swami Satchidananda


ફોટો ગેલેરી

કવિવાર : રંગ લીલો બની જાય લાલી... કવયિત્રી કાલિન્દી પરીખ

કવિવારની આજની શ્રેણીમાં વાત કરવી છે અમરેલીનાં કવયિત્રીની. કાલિન્દી પરીખ પાસેથી આપણને આજ સુધી ત્રીસ પુસ્તકો મળ્યાં છે. યજ્ઞેશષ, અંતર્દાહ,ગીરમંગલ, અપરિચિત એ તેમની નવલકથાઓ છે. ક્યાંક વચ્ચે દીવાલ, (ગઝલસંગ્રહ) અને શેતરંજી (અછાંદસ) આ બંને કાવ્યસંગ્રહ છે.  તે ઉપરાંત વાર્તાઓના અને અનુવાદના સંપુટ પણ મળ્યા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
03 March, 2026 02:39 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તમતમારે જવાબ ચકાસો, સોળમાંથી કોઈ પણ આઠ

સમજાય એવી વાત છે. વિકલ્પોનો અર્થ શો?’ પહેલા મિત્રએ સમજાવવાનું શરૂ કર્યું

12 February, 2026 12:24 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દૂરત્વ હોય નહીં અને સઘળું સમીપ હોય એનું નામ પ્રેમ

તમે પ્રેમમાં છો, થઈ ગયા પ્રગટ. એમાં વાર નથી લાગતી અને ઘટમાં પ્રગટ થઈ જાય છે. મોડું નથી થતું

11 February, 2026 01:59 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વિદેશી ફઈબાએ આપેલા નવા નામમાંથી દેશને મુક્તિ ક્યારે મળશે?

હિંસાથી જેનું નામ દુભાય એ હિન્દુ આવી ઓળખ ગ્રંથોમાં પામનાર હિન્દુસ્તાનને સિંધુ સંસ્કૃતિના દેશરૂપે જોવાતો

10 February, 2026 03:11 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK