Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રાહુલ દેશપાંડે: ‘ભક્તિ આંદોલનનો સમાનતા અને માનવતાનો સંદેશ આજના સમયમાં વધુ જરૂરી

આ ટૂર માત્ર એક સંગીતનો કાર્યક્રમ નથી, પરંતુ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રાદેશિક સીમાઓથી પર લઈ જઈને દેશના નવા શ્રોતાઓ સાથે જોડવાનો એક મોટો સાંસ્કૃતિક પ્રયાસ છે. સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સંત એકનાથની રચનાઓ ગવાશે.

18 June, 2026 01:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉમેડી કે વિકૃતિ?

જાહેરમાં અભદ્ર વાત કરનારી વ્યક્તિ ગુનેગાર હોય તો એ સમયે તેને સાંભળીને વધાવનારા ઑડિયન્સનું શું?

18 June, 2026 12:29 IST | Mumbai | Ruchita Shah

જે રામાયણ હોય છે એ જીભની જ તો હોય છે

શ્રોતાઓના આ મસ્ત પ્રતિભાવને જોઈને હું ખુશ થઈ ગયો. સૌએ પ્રસન્નચિત્તે એનો નિયમ તો લીધો, પણ ચારેક દિવસ બાદ એક યુવક મળવા આવ્યો.

18 June, 2026 12:22 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

લક્ષ્મીને પામવી હોય તો પહેલાં વિષ્ણુ બનવું પડે

કોઈ પોતાની નીચતાને પદથી દબાવી દે છે અને સંસાર તેને ઊંચો કહે છે. પોતાની નીચતાને, નિમ્નતાને, કનિષ્ઠતાને કોઈ પૈસાથી દબાવી દે છે અને દુનિયા તેને પણ મહાન કહે છે

17 June, 2026 02:11 IST | Mumbai | Morari Bapu


અન્ય આર્ટિકલ્સ

સુનીલ ગ્રોવર અને રસિકા દુગ્ગલની તસવીરો - સૌજન્ય પીઆર

સ્ક્રીનના ચહેરાઓમાં જીવતી વાર્તાઓઃ અતુલ કસ્બેકરની તસવીરોનું `ઓનેસ્ટ` પ્રદર્શન

જિઓ વર્લ્ડ પ્લાઝાએ જાણીતા તસવીરકાર અતુલ કસ્બેકરના કેમેરાના કચકડે કંડારેલી તસવીરોનું પ્રદર્શન યોજ્યું છે. પાંચમી જૂને શરૂ થયેલું આ પ્રદર્શન પાંચમી જુલાઈ સુધી જોઈ શકાશે. ક્યાંક વિરામ, તો કોઈ ચહેરો વિસામો તો કોઇ ચહેરામાં તોફાન છે.

15 June, 2026 08:01 IST | Mumbai | Chirantana Bhatt
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દેશ શક્તિશાળી બને છે ત્યારે વ્યક્તિગત શું કામ દુર્બળ રહેવાનું?

તમે જુઓ કે દુનિયાના જે કોઈ શક્તિશાળી દેશો છે એ બધાનું સુરક્ષા-બજેટ કેવું તોતિંગ છે?

15 June, 2026 01:31 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્થિતપ્રજ્ઞ રહેવું, માનસિક સંતુલન બનાવવા માટેનું કેટલું મોટું સૂત્ર છે

શ્રીકૃષ્ણને આપણે જ્યારે પૂર્ણાવતાર કહીએ છીએ, ત્યારે એક પૂર્ણ વ્યક્તિમાં અપેક્ષિત જે બધા ગુણો છે એનાં આ બધાં પ્રતીકો છે. પછી એ મોરપીંછ હોય, મુરલી હોય, ગાય હોય કે સુદર્શનચક્ર કે કૃષ્ણની આહ્લાદિની શક્તિ રાધિકા હોય

12 June, 2026 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

મૅન્ટાસ્ટિક: રાધિકા મર્ચન્ટના જ નહિ, અનેક હાઇ-પ્રોફાઇલ પરિવારોના માનીતા આર્ટગુરુ

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું તો આજે આપણે મળીશું મુંબઈના એક એવા આર્ટટીચરને જેઓ બૉલીવુડથી માંડીને પૉલિટિશ્યન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એવા અનેક હાઇ-પ્રોફાઇલ સ્ટુડન્ટ્સના ગુરુ રહી ચૂક્યા છે. કવિ-ચિત્રકાર રમેશ પારેખના ભત્રીજા અમિત પારેખે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમની રસપ્રદ જર્ની શૅર કરી છે.
17 June, 2026 01:05 IST | Mumbai | Dharmik Parmar

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

લોકશાહી જોખમમાં છે એવું જાહેરમાં કહી શકો એ જ સાચી લોકશાહીની નિશાની

મેં તમને કહ્યું એમ જે સમયે તમે તમારા વિચારો કે તમારી વાત લોકો સુધી પહોંચાડી ન શકો એ સમયે માનવું કે લોકશાહીનો ક્ષય થઈ ગયો

01 June, 2026 01:06 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પાપ હંમેશાં બેહોશીમાં જ થાય, જાગૃત માણસ ક્યારેય પાપ કરી શકતો નથી

શ્રીરામ દ્વારા કર્તવ્યપરાયણતા, હનુમાનજી દ્વારા સેવાપરાયણતા, સીતાજી દ્વારા સમર્પણની ભાવના, શ્રીકૃષ્ણ દ્વારા જીવનને આનંદસભર બનાવીને મુશ્કેલીઓ વચ્ચે સંગીતમય બનાવવાની ભાવના શીખવા મળે છે

29 May, 2026 11:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જીવનમાં આપવાથી મોટું બીજું કોઈ સુખ નથી

 હું કંઈ કહું, પૂછું એ પહેલાં તો તે યુવકે મને કહ્યું, ‘એટલું જ નહીં, ડૉક્ટરે એ પણ નક્કી કર્યું કે ધારો કે કોઈ પૈસા આપે તો પણ ફી ૩ રૂપિયાથી એક રૂપિયો વધારે કોઈ પાસેથી નહીં લેવાનો.

28 May, 2026 11:09 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK