Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇટરથી માત્ર સિગારેટ નહીં, બીજું પણ ઘણું સળગે છે

સાદી બીડીથી ચાલુ થતી વ્યસનયાત્રા હવે મોંઘીદાટ સિગારેટ, વીડ, વેપિંગ અને ફૅન્સી ડ્રગ્સ સુધી વિસ્તરી ચૂકી છે

26 May, 2026 11:08 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

જેને તમે સાદી ટેવ સમજો છો, ક્યાંક એ વ્યસન તો નથીને?

સામાન્ય રીતે વ્યસનને આપણે સિગારેટ, ગુટકા, કૅફી દ્રવ્યો, દારૂ વગેરેના રૂપમાં જોતા અને સમજતા હોઈએ છીએ; પરંતુ આ બધાં વ્યસનો સિવાય અમુક એવાં સૂક્ષ્મ વ્યસનો પણ છે જેમને આપણે અવગણી દેતા હોઈએ છીએ

25 May, 2026 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રશિયાના બર્ફીલા ગામમાં ગુંજે છે કૃષ્ણ-શંકરનાં ભજનો

અહીં હિન્દુ પ્રેરિત આધ્યાત્મિક પરંપરાનાં દર્શન થાય છે જેને કારણે ઓકુનેવોને ‘સૌથી ઠંડું હિન્દુ-પ્રેરિત આધ્યાત્મિક ગામ’ તરીકે ઓળખવામાં આવે છે.

24 May, 2026 11:49 IST | Mumbai | Laxmi Vanita

જીવન શ્વાસથી ચાલે છે, પરંતુ શ્વાસ ચાલતા રહે એ જ જીવન નથી

આપણે આ સંસારને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નાશવંત શરીરથી કરીએ છીએ, પરંતુ જો પ્રભુપ્રાપ્તિનો પ્રયાસ કરીએ તો શરીર દિવ્ય સાધન બની જાય છે

22 May, 2026 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

વિષ્ણુ મંદિર

વિશ્વકર્માએ એક જ રાતમાં બનાવ્યું હતું વિષ્ણુનું આ મંદિર

આજે મલમાસ (અધિક મહિનો) બેસી ગયો છે અને આ પવિત્ર માસમાં ધર્મસ્થાનોની યાત્રા, પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, ઉપવાસ આદિ ધર્મકાર્ય કરવાનું વિશેષ ફળદાયી છે આથી આપણે કરીએ જાંજગીરના વિષ્ણુ મંદિરની માનસયાત્રા, પણ એ પૂર્વે પુરુષોત્તમ માસ વિશે થોડુંક.

17 May, 2026 02:24 IST | Mumbai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મા એ પહેલી ગુરુ છે તો એનાથી અવળું પણ, ગુરુ એ પહેલી મા પણ છે

સંસ્કારદાત્રી માતાઓમાં પણ જેમ જડ અને ચેતન બધા ગુરુ એમ સંસ્કારદાત્રી ગ્રંથના રૂપમાં પણ હોય અને સ્ત્રીના રૂપમાં પણ હોય

15 May, 2026 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 ‘મોસ્ટલી બીથોવન’ના બે વિશેષ કોન્સર્ટ એનસીપીએના એક્સપેરિમેન્ટલ થિયેટરમાં 20 મે અને 24 મે 2026ના રોજ સાંજે 7 વાગ્યે યોજાશે.

એનસીપીએમાં આર્ટીઝ ફેસ્ટિવલ ઈન્ડિયાની 30મી આવૃત્તિમાં ‘મોસ્ટલી બીથોવન’

દિગ્ગજ સંગીતકાર લુડવિગ વાન બીથોવનની 200મી પુણ્યતિથિ પહેલાં એનસીપીએ ‘મોસ્ટલી બીથોવન’ નામની ખાસ શ્રેણી લઈને આવી રહ્યું છે, જેમાં બીથોવનના તમામ સ્ટ્રિંગ ક્વાર્ટેટ્સ રજૂ થશે. આ ફેસ્ટિવલ ચાર મહિનાની અવધિમાં 2026 અને 2027 દરમિયાન યોજાશે.

14 May, 2026 04:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

કવિવાર: મેં તો દીઠો`તો એક સખી છોગાળો છેલ – કવિ મીનુ દેસાઈ

આજના કવિવારના એપિસોડમાં વાત કરી છે મુંબઈના કવિ મીનુ દેસાઈની. મીનુભાઈનો જન્મ નવસારીમાં થયો હતો. પારસી પરિવારમાં મોટા થયેલ મીનુભાઈએ `મુંબઈ સમાચાર દૈનિક` સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ આ જ દૈનિકના તંત્રી પણ રહ્યા હતા. તેમણે ‘સાંજ વર્તમાન’ના વાર્ષિક અંક, ‘અતિથિ’, ‘મંજરી’ જેવાં સામયિકોનું પણ સંપાદન કર્યું હતું. `પડથાર’ એ એમનો પહેલો કાવ્યસંગ્રહ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
26 May, 2026 12:37 IST | Mumbai | Dharmik Parmar

ગયા અઠવાડિયે મણિપુરમાં રહેતા બની મેનાશે જાતિના યહૂદીઓનો એક જથ્થો ઇઝરાયલના તેલ અવિવ પહોંચ્યો ત્યારે વતન પાછા ફરવાની ખુશી તેમના ચહેરા પર વર્તાતી હતી.

ભારતમાં વસતા ઇઝરાયલી યહૂદીઓની વતનવાપસી શરૂ થઈ ગઈ છે

વાત છે ભારતના ઉત્તર-પૂર્વીય વિસ્તારની, વાત છે ઇઝરાયલના વારસાની અને વાત છે ઇઝરાયલના જ પણ ઇઝરાયલથી દૂર થઈ ગયેલા લોકોની.

03 May, 2026 11:54 IST | Mumbai | Aashutosh Desai
પુણેનો આગાખાન પૅલેસ, ૧૯મી સદીમાં

ખોજાઓ આવ્યા ગુજરાતથી, પણ મુંબઈના બની રહ્યા

ખોજા જમાતમાં પ્રચલિત માન્યતા પ્રમાણે ઈ.સ. ૧૭૯૦ સુધીમાં ખોજા જમાતનું અલગ કબ્રસ્તાન ડોંગરીમાં શરૂ થઈ ગયું હતું. આ જ ડોંગરી વિસ્તારમાં આજે પણ એક લત્તો ‘ખોજા મહોલ્લા’ તરીકે ઓળખાય છે.

02 May, 2026 12:09 IST | Mumbai | Deepak Mehta
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માનવે બનાવેલા મંદિરને પવિત્ર રાખીએ તો ભગવાને બનાવેલા મંદિરનું શું?

તમારું આ શરીર છે એ એક દેવાલય છે. કેવું અદ્ભુત મંદિર હાલતું-ચાલતું અને એમાં આત્મારૂપે શ્રીકૃષ્ણ રહે છે

01 May, 2026 01:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

વારસો બનાવનારૂ વચન: કથક કવીન વિદુષી ઉમા ડોગરાની અનટોલ્ડ સ્ટોરી

પ્રખ્યાત કથક નૃત્યાંગના અને કલા ગુરુ વિદુષી ઉમા ડોગરાએ ગુજરાતી મિડડે સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના જીવન અને સંઘર્ષો વિશે વાત કરી. આ વાતચીત ફક્ત પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલની 36મી વર્ષગાંઠ પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમના જીવનના ઘણા અણગમતા પાસાઓ પણ જાહેર કર્યા. ઉમા ડોગરાએ કહ્યું કે તે દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. બાળપણમાં, તેમને નૃત્ય શીખવા અને આગળ વધવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર અને સમાજના દબાણ વચ્ચે, તેમને નૃત્ય કરવાના અધિકાર માટે લડવું પડ્યું. બાદમાં, તેમણે મુંબઈમાં ‘સંવેદ’ સંસ્થા દ્વારા શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 36 વર્ષથી પંડિત દુર્ગા લાલ ફૅસ્ટિવલનું આયોજન કરવું સરળ નહોતું. મુંબઈ જેવા વ્યાપારી શહેરમાં શાસ્ત્રીય કલાને જીવંત રાખવી એ એક મોટો પડકાર છે. તેમણે સ્વીકાર્યું કે આ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જુસ્સો અને સમર્પણ જરૂરી છે. તેમણે ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે પણ વાત કરતા કહ્યું કે તેમને નથી લાગતું કે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લાંબા સમય સુધી શોકમાં રહેવું યોગ્ય છે. તેમના મતે, જીવનમાં અને કાર્યમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. તેમણે તેમના લગ્ન વિશે પણ વાત કરી, અને કહ્યું કે તેમના પતિની ફક્ત એક જ શરત હતી: તે પોતાની કલાત્મક કારકિર્દી ચાલુ રાખે. ઉમા ડોગરાએ આજના ‘ત્વરિત સંતોષ’ના યુગ પર પણ પોતાના વિચારો શૅર કર્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકો આજે તાત્કાલિક પરિણામો ઇચ્છે છે, ત્યારે શાસ્ત્રીય કલા માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વ્યાવસાયિક દબાણને ધ્યાનમાં લીધા વિના, તેઓ ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. આ વિશિષ્ટ વાતચીત દરમિયાન, તેમણે પોતાના કેટલાક અંગત લખાણો અને જાવેદ અખ્તરની કવિતાઓ વાંચી. તેમણે કહ્યું કે એક સાચો કલાકાર ફક્ત સ્ટેજ પર જ પ્રદર્શન કરતો નથી, પરંતુ કલાને તેમના જીવનમાં પણ જીવે છે. આ મુલાકાત તે બધા લોકો માટે પ્રેરણા છે જેઓ શાસ્ત્રીય કલા, નૃત્ય અને તેમના સપનાઓને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની મહેનતમાં વિશ્વાસ રાખે છે.

24 February, 2026 09:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK