પૂરતી ઊંઘ બાદ પણ ચહેરો ડલ કેમ લાગે છે?

09 October, 2025 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિસ્તેજ ચહેરા પાછળનું કારણ ફક્ત પૂરતી ઊંઘ જ હોય એવું જરૂરી નથી, લાઇફસ્ટાઇલમાં થતી નાની ભૂલો પણ જવાબદાર હોય છે

પ્રતીકાત્મક તસવીર

વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ બહુ જરૂરી હોય છે. જો ઊંઘ સારી થાય તો સવારે ફ્રેશ ફીલ થાય છે અને એની ચમક ચહેરા પર પણ દેખાય છે એવું આપણે માનીએ છીએ; પણ જ્યારે અરીસા સામે ઊભા રહો ત્યારે ચહેરો નિસ્તેજ, બેજાન અને થાકેલો લાગે છે. પૂરતી ઊંઘ લીધા પછી પણ ચહેરા પર થાક કેમ દેખાય છે એવા પ્રશ્નો થવા લાગે છે પણ હકીકત એ છે કે ત્વચાની ચમક ફક્ત ઊંઘ પર આધારિત નથી હોતી, આપણી લાઇફસ્ટાઇલમાં થતી નાની-મોટી ભૂલો નૅચરલ રિપેરની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે.

શું છે કારણો?

રાત્રે ઊંઘ દરમિયાન શરીર પૂરતું હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. પાણીના અભાવે રક્તપરિભ્રમણ ધીમું પડે છે અને ઑક્સિજન ઓછો પહોંચે છે, પરિણામે ચહેરા પરની ચમક ઘટી જાય છે અને ત્વચા ડ્રાય થતી જાય છે. સવારના પહોરમાં ડલ ચહેરાનું બીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ત્વચા પર ડેડ સ્કિન સેલ્સ જમા થાય છે. સામાન્યપણે આપણી ત્વચા સતત નવા કોષો બનાવે છે અને જૂના કોષોને દૂર કરે છે. આ પ્રક્રિયા જ્યારે ધીમી પડે ત્યારે ચહેરો નિસ્તેજ થવા લાગે છે. આવું ત્યારે થાય જ્યારે રાત્રે સૂતાં પહેલાં ચહેરો ધોયો ન હોય અથવા મેકઅપ ચહેરા પર રહી ગયો હોય. આવા કેસમાં ડેડ સ્કિન સેલ્સ વધે છે અને પોર્સ બંધ થાય છે. ત્રીજું અને સૌથી મહત્ત્વનું કારણ છે ક્રૉનિક સ્ટ્રેસ. તનાવ ત્વચાના કોલૅજન નામના પ્રોટીનને તોડે છે જેને લીધે સોજાની સમસ્યા થાય છે જે ચહેરાને થાકેલો બનાવે છે. આ ઉપરાંત સાકરનું અતિસેવન અને નબળી ડાયટ પણ ચહેરો ડલ થવાનાં કારણ હોઈ શકે.

શું છે ઉપાય?

fashion fashion news skin care lifestyle news life and style columnists