23 April, 2026 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અથાણું બનાવતી વખતે આટલું ધ્યાન રાખજો
અથાણું બગડવાનું મુખ્ય કારણ ભેજ છે. કેરી કે ગૂંદાં જે પણ વાપરો એને ધોયા પછી કોરા કપડા પર ફેલાવીને પાંચથી છ કલાક સુધી પંખા નીચે અથવા હળવા તડકામાં સૂકવો. એમાં સહેજ પણ પાણીનો અંશ ન રહેવો જોઈએ.
અથાણું હંમેશાં કાચની બરણીમાં અથવા ચિનાઈ માટીના વાસણમાં જ ભરવું. પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં લાંબો સમય અથાણું રાખવાથી એની રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે અને સ્વાદ બગડી શકે છે.
અથાણામાં મીઠું થોડું ચડિયાતું હોવું જોઈએ. મીઠું અથાણાને ગળવા દેતું નથી અને એને બગડતું અટકાવે છે. અથાણું બરણીમાં ભરતાં પહેલાં થોડી હિંગ સળગતા કોલસા પર મૂકી બરણી ઊંધી રાખીને પછી અથાણું ભરશો તો સરસ સુગંધ આવશે અને બગડશે પણ નહીં.