Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શુગર સિસ્ટર્સ: બે ફ્રેન્ડે મળીને સ્ટ્રીટ પર શરૂ કરેલું સાહસ

કૉર્પોરેટ જૉબ કરતી બે ફ્રેન્ડ્સ સાંજના સમયે હોમમેડ કેકનો સ્ટૉલ લગાવે છે મુલુંડમાં.

06 December, 2025 12:26 IST | Mumbai | Darshini Vashi

સ્કૂટરવાલા સૅલડ: જેટલું નામ યુનિક એટલી જ અહીંની વરાઇટી

આજે ફૂડ-સ્ટૉલ શરૂ કરવો પણ એક પૅશન બની ગયું છે. એવું નથી કે જેને જરૂરિયાત હોય તેઓ જ ફૂડ-સ્ટૉલ શરૂ કરતા હોય છે. આજે જેઓ પોતાનું કંઈક શરૂ કરવાની ઇચ્છા ધરાવતા હોય અથવા તો ફૂડ ક્ષેત્રે પૅશન ધરાવતા હોય તેઓ પણ ફૂડ-સ્ટૉલ શરૂ કરે છે.

06 December, 2025 12:19 IST | Mumbai | Darshini Vashi

આખી દુનિયાનાં સૉફ્ટ ડ્રિન્ક્સ એક તરફ ને આ કાલાખટ્ટા બીજી તરફ

આજે આપણે જેની વાત કરવાના છીએ એ જગ્યા મારા નાનપણ સાથે જોડાયેલી છે. ક્રિકેટ રમી લીધા પછી, પરસેવાથી નીતરી ગયા પછીનું અમારું એક જ કામ હોય. બધા મિત્રો એક જગ્યાએ જઈએ, એ જગ્યાએ જેની હું હવે તમને વાત કરવાનો છું.

06 December, 2025 11:52 IST | Mumbai | Sanjay Goradia

આજની રેસિપી: મિલ્કી કાજુકતરી શૉટ્સ અને લાલ મરચાંના ટુકડા

રીત : કાજુકતરીના ટુકડા કરવા. દૂધ અને કાજુકતરીના ટુકડાને મિક્સરમાં ક્રશ કરવા. ગ્લાસમાં રેડીને ઉપર બદામ-પિસ્તાંનો ભૂકો, કેસર અને ગુલાબની પાંદડી નાખીને સર્વ કરવું.

05 December, 2025 05:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

મકાઈ વેજિટેબલ કટલેટ

આજની રેસિપી: મકાઈ વેજિટેબલ કટલેટ

અહીં શીખો મકાઈ વેજિટેબલ કટલેટ

03 December, 2025 11:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોમમેડ એલપિનો

આજની રેસિપી: હોમમેડ એલપિનો

અહીં શીખો હોમમેડ એલપિનો

02 December, 2025 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલક નાચોઝ

પાલક નાચોઝ

અહીં શીખો પાલક નાચોઝ

01 December, 2025 12:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

નવાબ અને કબાબના શહેર તરીકે ઓળખાતા લખનઉના લાજવાબ ફૂડ વિશે કેટલું જાણો છો?

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ એવું શહેર છે જ્યાં દરેક ગલીમાં નવાબોની વાર્તાઓ ગુંજે છે, જ્યાંનાં સ્થાપત્યો ભૂતકાળના યુગની ગાથા ગાય છે અને જ્યાંનું ભોજન સદીઓથી સાંસ્કૃતિક ઉત્ક્રાન્તિનો જીવંત પુરાવો આપે છે. લખનઉની પાકકલા આ શહેરની વિરાસતમાં વસેલી છે. શહેરનો ઇતિહાસ અને એની ઓળખાણ આજે એના ભોજનને લીધે જ થાય છે એટલું જ નહીં, વૈશ્વિક સ્તરે પણ અહીંના ખાનપાનની ચર્ચા થાય છે. એટલે જ લખનઉને યુનેસ્કોએ એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક અૅન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશને તાજેતરમાં ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનોમીમાં સ્થાન આપ્યું છે. આ સન્માન ગૅસ્ટ્રોનોમી એટલે કે અહીંની પાકકલા માટે છે. અહીંની પાકકલા જીભને સ્વાદિષ્ટ વ્યંજનો પૂરાં પાડવા સુધી સીમિત નથી, એમાં રાંધવાનું વિજ્ઞાન પણ સંકળાયેલું છે.  લખનઉ એના અવધી ખાનપાન અને વૈવિધ્યસભર વારસા માટે જાણીતું છે. અવધના જે સમૃદ્ધ અને શાનદાર સ્વાદ-વારસાને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળવા જઈ રહી છે એ માત્ર લખનઉ કે ઉત્તર પ્રદેશ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગર્વ લેવા જેવી વાત છે. આ અગાઉ હૈદરાબાદને યુનેસ્કો દ્વારા ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનૉમીમાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદ લખનઉ બીજું એવું શહેર બન્યું છે જેને આ ખિતાબ મળ્યો છે. અર્થાત્, અહીંની પાકકલામાં કંઈક તો એવો જાદુ છે અને અહીંના સ્વાદમાં એવી તો કોઈ ખાસિયત છે જેને લીધે યુનેસ્કો પાસેથી એને આ વિશેષ ખિતાબ મળ્યો છે.  યુનેસ્કો કેવી રીતે પસંદગી કરે છે? જે શહેરમાં ખાવાનું બનાવવું માત્ર સ્વાદેન્દ્રિયની સંતુષ્ટિ પૂરતું સીમિત ન હોય અને એમાં જીવનશૈલી, ઇતિહાસ તથા પરંપરા પણ સામેલ હોય એને ગૅસ્ટ્રોનોમી કૅટેગરીમાં સામેલ કરવામાં આવે છે. એટલે કે રસોઈમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને રસોઈ બનાવવામાં પરંપરાગત પદ્ધતિ જળવાઈ રહેલી હોય તેમ જ આ શહેરના ફૂડમાં ન્યુટ્રિશન લેવલ અને બાયો-ડાઇવર્સિટી પર પણ ધ્યાન આપવામાં આવતું હોય એવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શહેરને ગૅસ્ટ્રોનોમી કૅટેગરીમાં સામેલ કરવામાં આવે છે. લખનઉ આ તમામ કૅટેગરીમાં સામેલ થતું હોવાથી એને યુનેસ્કોની ક્રીએટિવ સિટી ઑફ ગૅસ્ટ્રોનોમીમાં સ્થાન આપવામાં આવ્યું છે. લખનઉ જ કેમ? યુનેસ્કોએ જ્યારે ગૅસ્ટ્રોનોમીની યાદીમાં લખનઉનું નામ જાહેર કર્યું ત્યારે દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો હતો કે લખનઉ જ કેમ? ભારતનાં અનેક શહેર છે જે એનાં ખાનપાનને લઈને પ્રસિદ્ધ છે અને કેટલાંક તો ઊંડો ઇતિહાસ પણ ધરાવે છે. તો કેટલાંક શહેરોનાં વ્યંજનો વિશ્વભરમાં વખણાય પણ છે. તો તમને જણાવી દઈએ કે એનું કારણ છે સદીઓ જૂની અવધી વાનગીઓ. લખનઉ એના અવધી વ્યંજન માટે ખૂબ પ્રખ્યાત છે જેમાં શાકાહારી અને માંસાહારી એમ બન્નેનો સમાવેશ થાય છે. લખનઉનું ભોજન સંસ્કૃતિથી અલગ નથી. એ એક સંસ્કૃતિ જ છે. દરેક વાનગી રાંધણકળાની આગવી પરંપરાઓની ગાથા રજૂ કરે છે. ઇતિહાસકાર રાણા સફવીએ એક લેખમાં લખ્યું હતું કે લખનઉમાં જ્યારે નવાબો વસતા હતા ત્યારે તેમના દ્વારા કરવામાં આવતી અલગ-અલગ પ્રકારની સિફારિશ અને જરૂરિયાતના આધારે વિવિધ સામગ્રી અને પદ્ધતિથી કબાબ, બિરયાની વગેરે બનાવવામાં આવતાં અને નવાબો સમક્ષ રજૂ કરવામાં આવતાં. નવાબો તો હવે અહીં રહ્યા નથી પરંતુ તેમની ફરમાઈશ પર બનાવવામાં આવતી વિશેષ પ્રકારની વાનગીઓ હજી પણ લખનઉમાં એ જ ઢબે બને છે.  અવધી વાનગીઓનો ઇતિહાસ દરેક જગ્યાએ લખનઉની વાનગીઓનો અલગ-અલગ ઇતિહાસ વર્ણવવામાં આવેલો છે પરંતુ જે સૌથી વધારે પ્રચલિત છે એ મુજબ, અવધી ભોજનનો ઇતિહાસ ૧૮મી સદીના અંતમાં નવાબોએ રાજધાની ફૈઝાબાદથી લખનઉ ખસેડી એ પહેલાંનો છે. કવિતાઓ અને વાર્તાઓમાં લખનઉનાં રાંધણકૌશલ્યનાં ઉલ્લેખ મળે છે. લખનઉનાં વ્યંજનો અને મિષ્ટાન્નનો ઇતિહાસ મુગલ અને નવાબી યુગ દ્વારા ઘડાયેલો છે જેમાં ફારસી અને ભારતીય પ્રભાવોને મિશ્ર કરીને અવધી ભોજન બનાવવામાં આવ્યું હતું. શાહી રસોડાંઓ દ્વારા કબાબ, બિરયાની અને કોરમા જેવી વાનગીઓ માટે દમ પુખ્ત જેવી તકનીકો વિકસાવી હતી. સમય જતાં આ શાહી વાનગીઓ લોકપ્રિય બની અને શહેરનું પ્રિય સ્ટ્રીટફૂડ બની ગયું. મુગલ સામ્રાજ્યના પતન પછી ઘણા ખાનસામા (શાહી રસોઈયા) રિયાસતો (રજવાડાંઓ) અને તાલુકદાર (જમીનદાર)માં સ્થળાંતર થયા. આમ અવધી શાસન હેઠળ શાહી ભોજનનો વિકાસ થયો અને કંઈક અનોખું બન્યું. મુખ્ય સમયગાળા અને એનો પ્રભાવ મુગલ યુગ : આ સમય દરમિયાન અવધી ભોજનનો પાયો નાખવામાં આવ્યો હતો જેમાં ફારસી પ્રભાવોએ નવી રસોઈશૈલીઓ અને ઘટકો રજૂ કર્યાં હતાં. નવાબી યુગ : લખનઉમાં અવધના શાસકોએ આ ભોજનને નવી ઊંચાઈએ પહોંચાડ્યું. શાહી રસોઈયાઓએ તકનીકોમાં સુધારો કર્યો અને નવી વાનગીઓ બનાવી. સ્ટ્રીટફૂડ ઉત્ક્રાન્તિ : સમય જતાં કબાબ અને બિરયાની જેવી આ અત્યાધુનિક વાનગીઓ, મહેલોથી શહેરનાં બજારોમાં ખસેડવામાં આવી જ્યાં એ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ સંસ્કૃતિનો આધાર બની. લખનઉનાં ભોજનની વિશેષતા લખનઉનાં ભોજનનો સ્વાદ અન્ય ઘણી ભારતીય પ્રાદેશિક વાનગીઓ કરતાં તદ્દન વિપરીત છે. સીલબંધ કન્ટેનરમાં ધીમી આંચે પકવીને વાનગીમાં ખાસ ફ્લેવર ઉમેરવાની પદ્ધતિ જેને દમ આપવો કહેવાય છે એ અને શુદ્ધ મસાલાનો ઉપયોગ લખનઉની ખાસિયત છે. લખનઉનાં ભોજનની એક ઓળખ એ છે કે એમાં એલચી, લવિંગ, તજ અને કેસર જેવા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે જે એક અલગ પરંપરાગત સ્વાદ આપે છે. આ રાંધણવારસામાંથી જન્મેલી વાનગીઓમાં કબાબ, લખનવી બિરયાની અને શીરમલનો સમાવેશ થાય છે. નવાબોના શહેરની પ્રતિષ્ઠિત વાનગીઓ લખનઉના રાંધણવારસાની કોઈ પણ ચર્ચા એની પ્રતિષ્ઠિત વાનગીઓનો ઉલ્લેખ કર્યા વિના પૂર્ણ થતી નથી. નો ડાઉટ અહીં નૉન-વેજ ફૂડની વરાઇટી વધારે છે અને એ ફેમસ પણ એટલાં જ છે, તેમ છતાં અહીં શાકાહારી ડિશમાં પણ એટલું જ વૈવિધ્ય છે જેમ કે વેજ કબાબ, વેજ બિરયાની, આલૂ રસેદાર, તેહરી (શાકભાજીવાળા ભાત), કચોરી અને બાસ્કેટ ચાટ જેવી વાનગીઓ. મિષ્ટાન્નમાં મખ્ખન મલાઈ, શીરમલ અને મલાઈ પાન આવે છે. હરદયાલ મૌર્યની બાસ્કેટ ચાટ લખનઉની વાત થતી હોય અને એમાં ચાટ-આઇટમ પર ચર્ચા થઈ રહી હોય ત્યારે હરદયાલ મૌર્યનું નામ યાદ આવ્યા વગર ન રહે. તેમની ચાટ-આઇટમ અને ખાસ કરીને બાસ્કેટ ચાટ એટલી પ્રખ્યાત છે કે તેઓ ચાટ કિંગ તરીકે પ્રખ્યાત છે. તેમના ફૂડને અનેક અવૉર્ડ પણ મળી ચૂક્યા છે. નેટફ્લિક્સના સ્ટ્રીટ ફૂડ : ઇન્ડિયા અને ઇન્ડિયા ટુડેના ટૉપ ૧૦ સ્ટ્રીટ ફૂડ લેજન્ડ્સમાં પણ હરદયાલનું નામ આવી ચૂક્યું છે. વાત જાણે એમ છે કે ૧૯૯૧ની સાલમાં તેમણે બાસ્કેટ પૂરી લૉન્ચ કરી હતી. એ બાસ્કેટ બટાટાની કતરણમાંથી બનાવવામાં આવી હતી અને એમાં થોડો ફૂડ કલર પણ ઉમેરવામાં આવ્યો હતો. એને બાસ્કેટના શેપમાં તળીને એની અંદર અલગ-અલગ ચાટ જેમ કે રગડા ચાટ, પાપડી ચાટ, દહીં ચાટ વગેરે નાખીને આપવામાં આવે છે. એટલે ચાટ આઇટમની સાથે બાસ્કેટને પણ ખાઈ શકાય છે. તેમણે રજૂ કરેલી આ આઇટમ એટલીબધી યુનિક હતી કે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ આ આઇટમ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું હતું.
07 December, 2025 03:54 IST | Lucknow | Darshini Vashi

અહીં મળશે કોલ્હાપુરી અને પુણેરી ટેસ્ટનું કૉમ્બિનેશન ધરાવતું મિસળ

અહીં મળશે કોલ્હાપુરી અને પુણેરી ટેસ્ટનું કૉમ્બિનેશન ધરાવતું મિસળ

વિલે પાર્લેમાં વર્ષો જૂની ‘છાન-ચવદાર’ નામની મહારાષ્ટ્રિયન વાનગી પીરસતી જગ્યા આવેલી છે જેનું મિસળ ઘણું પ્રખ્યાત છે

22 November, 2025 10:26 IST | Mumbai | Darshini Vashi
ખમણ બનાવવા જતાં લોચો લાગી ગયો અને આપણને લોચો મળી ગયો

ખમણ બનાવવા જતાં લોચો લાગી ગયો અને આપણને લોચો મળી ગયો

સુરતમાં જાનીનો લોચો ટ્રાય કર્યો અને એ પહેલાં સુરતીલાલાના મોઢે આ લોચો નામની વરાઇટી કેવી રીતે શોધાઈ એની હિસ્ટરી પણ જાણી

22 November, 2025 10:15 IST | Mumbai | Sanjay Goradia
બીટ-રાજમા કટલેટ

આજની રેસિપી: બીટ-રાજમા કટલેટ

અહીં શીખો કે કઈ રીતે બનાવાય બીટ-રાજમા કટલેટની રેસિપી

21 November, 2025 12:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર અને તહેવારની ઉજવણી માટે સ્વાદિષ્ટ કંઈક રાંધવું જ યોગ્ય છે. શૅફ હરપાલ સિંહ સોખીએ mid-day.com સાથેના ઇદ સ્પેશિયલ એપિસોડમાં, શેર ખુરમાની સ્વાદિષ્ટ રેસીપી શેર કરી અને તેમની સફર, શૅફ બનવાના નિર્ણય, નમક શામકની શોધ અને ભારતી સિંહ સાથેના તેમના નવા શો વિશે વાત કરી. હરપાલે શેર કર્યું કે અર્જુન બિજલાની અને અલી ગોની તેના નવા શોના તેઓ આગળના બેન્ચર છે. વધુ મસાલેદાર ગપશપ જાણવા માટે આખો વીડિયો જુઓ

17 June, 2024 04:04 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK