પ્લેન-ક્રૅશ પછી સરાહનીય કામગીરી કરનારા અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ૪૫૦ કર્મચારીઓનું સન્માન

13 July, 2025 08:23 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ સિવિલ હૉસ્પિટલના સ્ટાફે રાત-દિવસ જોયા વિના પોતાની નૈતિક ફરજ સમજીને ફરજના કલાકોની પરવા કર્યા વગર કામ કર્યું હતું. 

કર્મચારીઓને સન્માનિત કરી રહેલા સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી.

અમદાવાદમાં બનેલી પ્લેન-ક્ર‍ૅશની ગોઝારી દુર્ઘટનાને ગઈ કાલે એક મહિનો પૂરો થયો હતો. આ દુર્ઘટના બાદ સિવિલ હૉસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનારા વર્ગ ૩ અને વર્ગ ૪ના ૪૫૦ જેટલા કર્મચારીઓનું હૉસ્પિટલ તંત્રએ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું.

સન્માન કાર્યક્રમમાં સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતો.

સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ સિવિલ હૉસ્પિટલના સ્ટાફે રાત-દિવસ જોયા વિના પોતાની નૈતિક ફરજ સમજીને ફરજના કલાકોની પરવા કર્યા વગર કામ કર્યું હતું. 

ahmedabad plane crash ahmedabad plane crash medical information gujarat news gujarat news