16 July, 2024 08:08 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
ઉમરપાડા પંથકમાંથી પસાર થતી મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં
દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ગઈ કાલે સવારે આભ ફાટ્યું હતું અને ૪ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદથી તાલુકો લથબથ થઈ ગયો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. સાંબેલાધાર વરસાદને કારણે મોહન અને વીરા નદીમાં પૂર આવ્યાં હતાં. માત્ર ઉમરપાડા જ નહીં, નેત્રંગ અને ગરુડેશ્વરમાં બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. જોકે રાહતની વાત એ બની હતી કે આ પહાડી વિસ્તાર હોવાને કારણે સાંજ પડતાં પરિસ્થિતિ થાળે પડતાં તંત્રએ હાશકારો લીધો હતો.