હવે સ્વામીનારાયણ સંપ્રદાયના સુરતના નીલકંઠચરણ સ્વામીનું વિવાદાસ્પદ વક્તવ્ય

27 March, 2025 11:53 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

ભગવાન દ્વારકાધીશને મોટા ધામમાં નિવાસ કરવો હતો એટલે એવું બોલ્યા

સ્વામીનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામી

સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓનાં નિવેદનો છેલ્લા થોડાક સમયથી વિવાદાસ્પદ બની રહ્યાં છે અને એમાં હવે એકનો ઉમેરો થયો છે. એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સુરતમાં વેડ રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશ માટે જે કહ્યું છે એને લીધે ભગવાન દ્વારકાધીશના ભક્તોમાં રોષ ફેલાયો છે.

નીલકંઠચરણ સ્વામીના વાઇરલ થયેલા વિડિયોમાં સ્વામી સત્સંગ કરાવતી વખતે એવું બોલતા જણાય છે કે ‘મહારાજ કહે છે, અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઇચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે.’

આ પ્રકારનાં ઉચ્ચારણો સાથેનો વિડિયો વાઇરલ થતાં દ્વારકાધીશના ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામી માફી માગે એવી માગણી ઊઠી છે.

swaminarayan sampraday surat viral videos religion religious places hinduism gujarat gujarat news news