15 April, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિરાગ એન્ટિલ
કૅનેડાના વૅનકુવર શહેરમાં ૧૨ એપ્રિલે ભારતથી ભણવા આવેલા ૨૪ વર્ષના ચિરાગ એન્ટિલ નામના સ્ટુડન્ટની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આઉડી કારમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાંથી કાર મળી આવી એ વિસ્તારના લોકોએ ગનશૉટ્સનો અવાજ સાંભળ્યો હતો. આ કેસમાં કોઈની ધરપકડ નથી થઈ. હરિયાણાના સોનીપતથી ચિરાગ માસ્ટર્સ ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA)નો કોર્સ કરવા માટે ૨૦૨૨માં સ્ટુડન્ટ વીઝા પર કૅનેડા ગયો હતો. તેને ડિગ્રી મળી ગઈ હતી અને તે નોકરી કરતો હતો. તેના પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને અપીલ કરી છે કે તેમને ન્યાય મળે. ચિરાગના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે ભારત લાવવાની જોગવાઈ કરવા માટે પણ પરિવારે વિનંતી કરી છે.’