સુરક્ષાને પગલે ભારતે આજે બાંગ્લાદેશમાં રાજશાહી અને ખુલના વિઝા સેન્ટર બંધ કર્યા

18 December, 2025 03:14 PM IST  |  Bangladesh | Gujarati Mid-day Online Correspondent

સોમવારે, અબ્દુલ્લાએ જાહેર ભાષણમાં ભારતના સેવન સિસ્ટર્સ (ભારતના સાત ઉત્તરપૂર્વીય રાજ્યો) ને અલગ પાડવાની અને જો બાંગ્લાદેશ અસ્થિર થાય તો અલગતાવાદીઓને આશ્રય આપવાની ધમકી આપી હતી. અબ્દુલ્લા તેમના ભારત વિરોધી વલણ માટે જાણીતા છે.

હાઈ કમિશનની સુરક્ષા વધારી (તસવીર: એજન્સી)

ભારતે તેના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ગુરુવારે ૧૮ ડિસેમ્બના રોજ સુરક્ષા પરિસ્થિતિને કારણે બે વિઝા અરજી કેન્દ્રો બંધ કરી દીધા હોવાની જાહેરાત કરી હતી. આ વિઝા કેન્દ્રો બાંગ્લાદેશના રાજશાહી અને ખુલનામાં સ્થિત હતા. જે અરજદારોએ બુધવારે અહીંની એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી તેમને બીજો સ્લૉટ આપવામાં આવશે. "બાંગ્લાદેશમાં ફરી નિર્માણ થયેલી હિંસા અને અસૂરક્ષિતતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે તમને જણાવવા માંગી છીએ કે IVAC રાજશાહી અને ખુલના ૧૮.૧૨.૨૦૨૫ ના રોજ બંધ રાખવામાં આવશે. આજે સબમિશન માટે એપોઇન્ટમેન્ટ સ્લૉટ બુક કરાવનારા તમામ અરજદારોને આગળની તારીખે સ્લૉટ આપવામાં આવશે," ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC) બાંગ્લાદેશની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું હતું.

બુધવારે, "જુલાઈ ઓયિકો" (જુલાઈ યુનિટી) ના બૅનર હેઠળ મોટી સંખ્યામાં લોકોએ ઢાકામાં ભારતીય હાઈ કમિશન સુધી વિરોધ કૂચ યોજ્યા બાદ ઢાકામાં IVAC કેન્દ્ર પણ બંધ કરવામાં આવ્યું હતું. પોલીસે તેમને આગળ જતા અટકાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ શેખ હસીનાને ભારતમાંથી તાત્કાલિક સ્વદેશ પરત મોકલવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં ભારતમાં ૧૬ વિઝા અરજી કેન્દ્રો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા બાંગ્લાદેશમાં વિઝા અરજીઓ પ્રાપ્ત કરવા માટે અધિકૃત છે. ANIના અહેવાલ મુજબ, બુધવારે, વિદેશ મંત્રાલય (MEA) એ ઢાકામાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષા અંગે બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ રિયાઝ હમીદુલ્લાહને બોલાવીને ધમકી આપી હતી. નૅશનલ સિટીઝન પાર્ટી (NCP) ના નેતા હસનત અબ્દુલ્લા દ્વારા ભારત વિરોધી નિવેદન આપ્યાના એક દિવસ પછી બાંગ્લાદેશી રાજદૂતને બોલાવવામાં આવ્યા હતા. MEA એ અબ્દુલ્લાની સેવન સિસ્ટર્સ ટિપ્પણી પર બાંગ્લાદેશ હાઈ કમિશનર સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હોવાના અહેવાલ છે.

સોમવારે, અબ્દુલ્લાએ જાહેર ભાષણમાં ભારતના સેવન સિસ્ટર્સ (ભારતના સાત ઉત્તરપૂર્વીય રાજ્યો) ને અલગ પાડવાની અને જો બાંગ્લાદેશ અસ્થિર થાય તો અલગતાવાદીઓને આશ્રય આપવાની ધમકી આપી હતી. અબ્દુલ્લા તેમના ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. ભારતના સેવન સિસ્ટર્સ અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા છે. આમાંથી, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ બાંગ્લાદેશ સાથે સીધી સીમા ધરાવે છે. નોંધનીય છે કે, સિલિગુડી કોરિડોર, જેને ઘણીવાર ચિકન નેક તરીકે ઓળખવામાં આવે છે, જેનો સૌથી સાંકડો ભાગ 20-22 કિમી છે, તે ભારતની મુખ્ય ભૂમિ અને તેના ઉત્તરપૂર્વીય રાજ્યો વચ્ચે એકમાત્ર પાર્થિવ જોડાણ છે. ગયા વર્ષે ઑગસ્ટમાં શેખ હસીનાની દેશમાંથી હકાલપટ્ટી પછી, બાંગ્લાદેશમાં કટ્ટરપંથી અને ભારત વિરોધી શક્તિઓમાં વધારો જોવા મળ્યો છે, અને તેઓ હસીનાને પરત મોકલવાની વાત કરી રહ્યા છે.

બંગલાદેશમાં આવતા વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

ગયા વર્ષે બંગલાદેશમાં અચાનક થયેલા સત્તાપલટા પછી નવેસરથી ચૂંટણીની જાહેરાત થઈ છે. બંગલાદેશના ચીફ ઇલેક્શન કમિશનર નસીરુદ્દીને ગુરુવારે દેશનું ૧૩મું નૅશનલ ઍસેમ્બલી ઇલેક્શન ૨૦૨૬ની ૧૨ ફેબ્રુઆરીએ કરવાનું અનાઉન્સ કર્યું હતું. આ સાથે જ બંગલાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારનો કાર્યકાળ વધારવા વિશે ચાલી રહેલી અટકળોને પૂર્ણવિરામ લાગી ગયું છે.

bangladesh indian government dhaka international news national news jihad sheikh hasina