મુંબઈની પાણીની મુશ્કેલી દૂર કરવા ૩૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે વાડામાં નવો ડૅમ બનાવવામાં આવશે

20 April, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગારગાઈ ડૅમને વન અને પર્યાવરણ સંબંધી મંજૂરી આપી દીધી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાણીની તંગી પણ વધી રહી છે. ભવિષ્યમાં પાણીની સમસ્યા દૂર થઈ શકે એ માટે મહારાષ્ટ્રના પ્રધાનમંડળે ૩૧૦૫ કરોડ રૂપિયાના ખર્ચે નવો ડૅમ બનાવવાને મંજૂરી આપી છે. એટલું જ નહીં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગારગાઈ ડૅમને વન અને પર્યાવરણ સંબંધી મંજૂરી આપી દીધી છે. આથી આગામી સમયમાં પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ઓંગદે ગામ પાસે ગારગાઈ ડૅમ બનાવવામાં આવશે. આ ડૅમ તૈયાર થઈ ગયા બાદ મુંબઈને અત્યારે પાણીપુરવઠો કરવામાં આવે છે એમાં ૧૧ ટકાનો વધારો થશે. ગારગાઈ ડૅમ મુંબઈમાં પાણી પૂરું પાડતો પાલઘર અને થાણે જિલ્લામાં છઠ્ઠો તો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ચોથો ડૅમ હશે. 

mumbai news mumbai mumbai water levels brihanmumbai municipal corporation devendra fadnavis