ફ્લાઇટ ફુલ સ્પીડમાં આવી ગઈ હતી ત્યારે ટેક્નિકલ ખામીનો સંકેત મળ્યો

23 August, 2025 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍર ઇન્ડિયાની મુંબઈ-જોધપુર ફ્લાઇટનું ટેક-ઑફ પાઇલટે તરત જ માંડી વાળ્યું

શુક્રવારે સવારે ૯.૨૫ વાગ્યાની હતી ફ્લાઇટ

શુક્રવારે સવારે ૯.૨૫ વાગ્યે ફ્લાઇટ AI-645 રનવે પર ચડીને ફુલ સ્પીડ પકડ્યા બાદ પાઇલટને કૉકપિટમાં ફૉલ્ટ ઇન્ડિકેશન એટલે કે કોઈ ટે​ક્નિકલ ખામી સર્જાવાનો સંકેત મળતાં પાઇલટે ટેક-ઑફ અબોર્ટ કર્યું હતું. મુસાફરો અને ક્રૂની સલામતીને ધ્યાનમાં રાખીને પાઇલટે તાત્કાલિક લીધેલા નિર્ણયને ઍર ઇન્ડિયાએ માન્ય રાખ્યો હતો અને ટે​ક્નિકલ ખામી વિશે જરૂરી ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. મુસાફરોને સલામત રીતે ફ્લાઇટમાંથી ઉતારીને બીજી ફ્લાઇટમાં તેમના પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઍર ઇન્ડિયાએ એના નિવેદનમાં જણાવ્યું હતું.

air india airlines news jodhpur mumbai mumbai news tata group