આર્યન ખાન જેલના વોશરૂમનો ઉપયોગ કરવાનું ટાળે છે, જેલ સ્ટાફ સ્વાસ્થ્યને લઈને ચિંતિત 

23 October, 2021 08:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આર્યન ખાવાનું ખાતો નથી. તે એક ખૂણામાં શાંતિથી બેસીને રડતો રહે છે.

આર્યન ખાન

બૉલિવૂડના કિંગ શાહરૂખ ખાનનું ઘર `મન્નત` એક સ્વર્ગથી ઓછું નથી, જેની કિંમત લગભગ 350 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાનનો આ લક્ઝરી બંગલો મુંબઈના બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ પર આવેલો છે, મુંબઈ જનારા લોકો તેને જોવા આતુર હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર લિવિંગ રૂમ, લાઇબ્રેરી, બેડરૂમ, પ્લે એરિયા, પ્રાઇવેટ બાર, સ્વિમિંગ પૂલ, પ્રાઇવેટ થિયેટર જેવી ઘણી વૈભવી સુવિધાઓ છે. આ `મન્નત`માં જન્મેલો અને ઉછરેલો આર્યન ક્રુઝ આજે રેવ પાર્ટીના કારણે જેલમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આર્યન જેલની અંદર રડતો રહે છે અને ખાવા -પીવા માટે વોશરૂમમાં ન જવાનો પ્રયાસ કરે છે.

કિંગ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. જેલની અંદરથી આર્યન વિશેના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ જેલની અંદર આર્યનની નજીક રહેતા એક કેદીએ જણાવ્યું કે આર્યન ખાવાનું ખાતો નથી. તે એક ખૂણામાં શાંતિથી બેસીને રડતો રહે છે, કોઈની સાથે વાત કરતો નથી. ડ્રગ્સ કેસમાં તેની સાથે પકડાયેલો અરબાઝ અને આરોપી મર્ચન્ટ સાથે વાત પણ કરતો નથી. નોંધનીય છે કે જેલ સ્ટાફ આર્યનના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને લઈને ખૂબ જ ચિંતિત છે. તે ત્યાંનું પાણી પણ યોગ્ય રીતે પીતો નથી. આર્યન ત્યાં સ્વચ્છતાને કારણે વોશરૂમનો ઉપયોગ કરવાનું પણ ટાળે છે.

અહીં નોંધવુ રહ્યું કે, આર્યન ખાન સ્ટાર કિડ હોવાથી તેને જેલમાં કોઈ ખાસ સુવિધા આપવામાં આવી નથી. આર્યનને જેલની અંદર એ જ રૂટિન ફોલો કરવાની હોય છે, જે અન્ય કેદીઓ પણ ફોલો કરે છે. જો તે કેન્ટીનથી કંઇક અલગ ખાવા માંગતો હોય, તો તેની પાસે તેને પોતાના પૈસાથી ખરીદવાની સુવિધા છે, જેના માટે પરિવારના સભ્યોએ 4500 નો મની ઓર્ડર મોકલ્યો. અહેવાલો અનુસાર, આર્યન કેન્ટીનમાંથી બિસ્કિટ ખાઈને પોતાનું કામ ચલાવી રહ્યો છે.

mumbai mumbai news aryan khan arthur road jail