21 March, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંજલિ દમણિયા
મંત્ર અને તંત્રની મદદથી મહિલાઓને હિપ્નોટાઇઝ કરીને તેમના પર બળાત્કાર કરવાનો આરોપ ધરાવતા અશોક ખરાતનાં નવાં કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યાં છે. સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ આરોપ લગાવ્યો હતો કે અશોક ખરાત વાયેગ્રા ઉમેરીને ‘ઓશનો જલ’ બનાવતો હતો અને રાજકારણીઓ એ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેતા હતા.
અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘અશોક ખરાત સમુદ્રનું પાણી કફ સિરપમાં ઉમેરીને એને વાયેગ્રામાં ભેળવીને ઓશનો જલ બનાવતો હતો. ઘણા રાજકારણીઓ આ પાણી મેળવવા માટે પોતાની કાર અને હેલિકૉપ્ટર મોકલતા હતા. અંજલિ દમણિયાએ આરોપ લગાવ્યો હતો કે એમાંથી એક તિરુપતિ બાલાજી મંદિરનો ટ્રસ્ટી છે.
અંજલિ દમણિયાએ રૂપાલી ચાકણકરનો એક જૂનો વિડિયો બહાર પાડ્યો છે જેમાં રૂપાલી ચાકણકર કહે છે કે હવે જ્યારે અષાઢી એકાદશી આવી ગઈ છે ત્યારે જેમણે પાંડુરંગનાં દર્શન નથી કર્યાં તેમણે અશોક ખરાતનાં દર્શન કરવાં જોઈએ.