મુંબઈ રાણી બાગમાં જેન્મેલા આ પક્ષીના બચ્ચાઓને મરાઠી નામ આપો: ભાજપે કરી ગજબ માગણી

04 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપના નેતાઓએ દલીલ કરી હતી કે જ્યારે મરાઠી ભાષાને `શાસ્ત્રીય ભાષા`નો દરજ્જો છે, તો પછી પૅંગ્વિનના બાળકોને મરાઠી નામ કેમ ન આપી શકાય? તેમણે એમ પણ કહ્યું કે આ માગણી ફક્ત સાંસ્કૃતિક ઓળખનો વિષય નથી, પરંતુ મહારાષ્ટ્રના ગૌરવ સાથે જોડાયેલી છે.

પૅંગ્વિનની ફાઇલ તસવીર (સૌજન્ય મિડ-ડે)

મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ત્યાંની જ ભાષા બોલવી ફરજિયાતનો મુદ્દો ખૂબ જ વાસણી રહ્યો છે. જોકે હવે આ વિવાદે એક અલગ વળાંક લીધો છે, એવું જણાઈ રહ્યું છે. કારણ કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી `મરાઠી ભાષા`નું રાજકારણ ફક્ત માણસો સુધી મર્યાદિત હતું, પરંતુ હવે આ વિવાદ શહેરના એક પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા પૅંગ્વિનના બચ્ચાઓ સુધી પહોંચી ગયું છે. આ પ્રાણી બાગમાં થોડા સમય પહેલા પૅંગ્વિનના બચ્ચાઓનો જન્મ થયો હતો.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુંબઈના પ્રખ્યાત વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય (રાણી બાગ) માં જન્મેલા પૅંગ્વિનના બચ્ચાઓને મરાઠી નામો આપવાની માગણી સાથે મોરચો ખોલ્યો છે. ભાજપના ધારાસભ્ય નીતિન બેંકરના નેતૃત્વમાં પ્રદર્શન કરીને, પાર્ટીના કાર્યકરોએ માગ કરી હતી કે પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા આ પૅંગ્વિનના બચ્ચાઓના નામ મરાઠી રાખવામાં આવે, કારણ કે તેઓ મહારાષ્ટ્રની ધરતી પર જન્મ્યા હતા.

આ પ્રશ્નો ઉઠાવ્યા

નીતિન બેંકરે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો વિદેશી પૅંગ્વિનના અંગ્રેજી નામ હોઈ શકે છે, તો અહીં જન્મેલા બાળકોના મરાઠી નામ કેમ નહીં? તેમનું કહેવું છે કે પહેલા જ્યારે પૅંગ્વિન વિદેશથી લાવવામાં આવતા હતા, ત્યારે તેમના નામ અંગ્રેજીમાં રાખવામાં કોઈ વાંધો નહોતો, પરંતુ હવે મહારાષ્ટ્રની ધરતી પર જન્મેલા બાળકોને મરાઠી ઓળખ મળવી જોઈએ. નીતિન બેંકરે દાવો કર્યો હતો કે તેમણે આ માગણી અંગે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને અનેક પત્રો લખ્યા હતા અને વિનંતી કરી હતી, પરંતુ તેમના શબ્દોને અવગણવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમે વારંવાર અપીલ કરી, પરંતુ વહીવટીતંત્રે કોઈ જવાબ આપ્યો નહીં.

આ દલીલ આપી

ભાજપના નેતાઓએ દલીલ કરી હતી કે જ્યારે મરાઠી ભાષાને `શાસ્ત્રીય ભાષા`નો દરજ્જો છે, તો પછી પૅંગ્વિનના બાળકોને મરાઠી નામ કેમ ન આપી શકાય? તેમણે એમ પણ કહ્યું કે આ માગણી ફક્ત સાંસ્કૃતિક ઓળખનો વિષય નથી, પરંતુ મહારાષ્ટ્રના ગૌરવ સાથે જોડાયેલી છે. રાજકીય નિષ્ણાતો માને છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા સાંસ્કૃતિક ઓળખ સંબંધિત આવી માગણીઓને વેગ આપવો એ ભાજપની રણનીતિનો ભાગ હોઈ શકે છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે હવે રાજકારણ ફક્ત માણસો સુધી મર્યાદિત નથી, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના નામ પણ ચૂંટણી ચર્ચાનો ભાગ બની શકે છે. હાલમાં, આ બાબતે BMC તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. હવે, પૅંગ્વિનના બચ્ચાઓને મરાઠી નામો મળે છે કે નહીં તે જોવાનું બાકી છે.

byculla zoo wildlife bharatiya janata party brihanmumbai municipal corporation mumbai news mumbai