09 November, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ લોકલ ટ્રેન નેટવર્કમાં ટ્રૅક, ઓવરહેડ વાયર અને સિગ્નલના સમારકામ માટે રવિવારે ત્રણેય રેલવે લાઇનમાં બ્લૉક રાખવામાં આવ્યો છે. સેન્ટ્રલ રેલવેમાં માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર રવિવારે સવારે ૧૧.૦૫થી ૩.૪૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. આ સમય દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ઊપડતી ફાસ્ટ લાઇન પરની ટ્રેનો મુલુંડ સુધી સ્લો લાઇન પર દોડશે. અપ ફાસ્ટ લાઇનની ટ્રેનો થાણે અને માટુંગા વચ્ચે સ્લો લાઇન પર દોડશે.
કુર્લા અને વાશી વચ્ચે ચાલતી હાર્બર લાઇનની ટ્રેનો સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી બંધ રહેશે. બ્લૉક દરમ્યાન CSMT-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે. ટ્રાન્સ હાર્બર લાઇનમાં કોઈ બ્લૉક ન હોવાથી ટ્રેનો રાબેતા મુજબ દોડશે.
વેસ્ટર્ન લાઇનમાં સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે સવારે ૧૦થી બપોરે ૩ વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો લાઇન પર બ્લૉક હશે. બ્લૉક દરમ્યાન આ સ્ટેશનો વચ્ચે સ્લો લાઇનની ટ્રેનો ફાસ્ટ લાઇન પર દોડાવાશે. પ્લૅટફૉર્મ ઉપલબ્ધ ન હોવાથી ડાયવર્ટ કરેલી ટ્રેનો વિલે પાર્લે અને રામ મંદિર સ્ટેશનો પર થોભશે નહીં.
બ્લૉક દરમ્યાન અમુક ટ્રેનો શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને અમુક ટ્રેનો રદ કરવામાં આવશે.