નાલાસોપારામાં પુરુષનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો

14 September, 2021 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરનાર વ્યક્તિ પાસે મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ ૩૮ વર્ષના પ્રિયકાંત જાધવ તરીકે કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારામાં એક વ્યક્તિનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ નાલાસોપારામાં એક વ્યક્તિના મૃતદેહને ઝાડ પર લટકેલો જોતાં પોલીસને જાણ કરી હતી. રવિવારે બનેલી આ ઘટનામાં કોઈ સુસાઇડ-નોટ મળી નહોતી.

મરનાર વ્યક્તિ પાસે મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ ૩૮ વર્ષના પ્રિયકાંત જાધવ તરીકે કરવામાં આવી હતી, જે નાલાસોપારામાં પ્રગતિનગર વિસ્તારમાં તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. મૃતદેહને વસઈની સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

mumbai mumbai news