પતંગ પકડવા જતાં મૃત્યુ પામનાર બાળકના કેસમાં તબેલાના માલિક સામે ગુનો

18 January, 2021 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પતંગ પકડવા જતાં મૃત્યુ પામનાર બાળકના કેસમાં તબેલાના માલિક સામે ગુનો

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી (વેસ્ટ)ની દહાણુકરવાડીના ફાઇવસ્ટાર તબેલાના ગોબરના ખાડામાં પડી જવાથી ગુરુવારે સાંજે ૧૨ વર્ષના દુર્ગેશ યાદવનું મોત થયું હતું. એ કેસમાં કાંદિવલી પોલીસે હવે ફાઇવસ્ટાર તબેલાના માલિક સામે ભારતીય દંડસંહિતાની કલમ 304 (એ) (સદોષ મનુષ્ય વધ પરંતુ હત્યાનો ઇરાદો નહીં,  બેદરકારીને કારણે કોઈનું મૃત્યુ થવું) હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તેની ધરપકડની પ્રોસીજર ચાલી રહી હોવાનું કાંદિવલી પોલીસે જણાવ્યું હતું.

mumbai mumbai news makar sankranti kandivli