નમે તે સૌને ગમે

29 September, 2022 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ૨.૭૫ એકર જમીન પર પથરાયેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી

નમે તે સૌને ગમે

નાશિકમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ૨.૭૫ એકર જમીન પર પથરાયેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેના નિર્માણ માટે રાજસ્થાની ગુલાબી પથ્થરનો ઉપયોગ થયો હતો. આ મંદિર ૭૦ ફુટ ઊંચું, ૯૨ ફુટ પહોળું અને ૧૬૬ ફુટ લાંબું છે. એમાં પાંચ કળશબદ્ધ શિખર, બે ગુંબજ, પાંચ નાના ગુંબજ, ૪ મોટા ઝરૂખા, ૪૧ નાના ઝરૂખા, ૧૭૫ સ્તંભનો સમાવેશ છે. આ પ્રસંગે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે રાજ્યના વિકાસ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આશીર્વાદ આપ્યા હતા. 

mumbai mumbai news eknath shinde