રેલવે-ટ્રૅક પરથી માદા રીંછ અને એના બચ્ચાના મૃતદેહ મળી આવ્યા

20 July, 2024 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેનની અડફેટે આવવાથી તેમનાં મોત થયાં હોવાની શક્યતા દર્શાવાઈ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

રેલવે-ટ્રૅક પરથી માદા રીંછ અને એના બચ્ચાના મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના મહારાષ્ટ્રના ગોંદિયા-બલ્લારશાહ રૂટ પર ગુરુવારે બની હતી. અર્જુની મોરગાવ જંગલ વિસ્તારમાં આવેલી એક ટનલ પાસે માદા રીંછ અને એનું બચ્ચું મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. રેલવેના કાર્મચારીના ધ્યાનમાં આ બાબત આવતાં તેણે સિનિયર ઑફિસરોને એ વિશે જાણ કરી હતી. ટ્રેનની અડફેટે આવવાથી તેમનાં મોત થયાં હોવાની શક્યતા દર્શાવાઈ છે. બન્નેના મૃતદેહોનો ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગાઇડલાઇન મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો.

mumbai news mumbai maharashtra news indian railways