ધક્કો વાગ્યો એમાં જીવ લઈ લીધો

11 November, 2025 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોટેલમાં મિત્રો સાથે ડિનર કરવા ગયેલી વ્યક્તિનું નજીવી વાતમાં મર્ડર થઈ ગયું

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલીના માનપાડામાં શનિવારે બે વ્યક્તિ વચ્ચે મામૂલી વાત પર ઝઘડો થયો હતો, જે મર્ડરમાં પરિણમ્યો હતો. જીવ ગુમાવનાર ૩૮ વર્ષનો આકાશ ભાનુ સિંહ તેના બે મિત્રો સાથે હોટેલમાં ડિનર કરવા ગયો હતો. આ સમયે તે આરોપી સાથે અજાણતાં અથડાયો હતો અને આરોપીને આકાશનો ધક્કો વાગ્યો હતો. ધક્કાને લીધે ગુસ્સે ભરાયેલા આરોપીએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આરોપીએ તેના સાથીદારો સાથે મળીને આકાશ સિંહ પર હુમલો કરી દીધો હતો અને તેને ચાકુ મારી દીધું હતું. એ વખતે આકાશને બચાવવા વચ્ચે પડેલા તેના બે મિત્રો પર પણ આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો એટલે તે બન્ને પણ જખમી થયા હતા. ચાકુના હુમલામાં ગંભીર ઈજા થવાથી આકાશનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે ૪ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને તેમની શોધ ચાલુ કરી છે.

mumbai news mumbai dombivli murder case Crime News mumbai crime news mumbai police