સોશ્યલ મીડિયા પર આક્રોશભરી લાગણીઓ ઠાલવી બિન્દુ ત્રિવેદીએ

01 January, 2026 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાગણીને વાચા આપવા તેમણે ​ઇન્સ્ટાગ્રામ પર મહાભારતનો સંદેશ ટાંકતી પોસ્ટ મૂકી છે અને ફેસબુક પર વેધક શાયરીઓ પોસ્ટ કરી છે.

બિન્દુ ત્રિવેદી અને તેમણે કરેલી પોસ્ટ

BJPએ આ વખતે BMCના ઇલેક્શનની ટિકિટ ન આપી એનાથી ઘાટકોપરનાં જાણીતાં રાજકારણી બિન્દુ ત્રિવેદીને ખૂબ આઘાત લાગ્યો છે અને આ આઘાતને તેમણે સોશ્યલ મીડિયા પરનાં અલગ-અલગ માધ્યમો પર વાચા આપી છે. ૨૦૧૭ની BMCની ચૂંટણીમાં બિન્દુબહેન ઘાટકોપરના જે વૉર્ડમાંથી ચૂંટાયાં હતાં એ વૉર્ડ આ વખતની લૉટરીમાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને ફાળે ગયો છે. એટલે બિન્દુબહેનને અપેક્ષા હતી કે તેઓ જ્યાં રહે છે એ વૉર્ડમાંથી તેમને ઉમેદવારી આપવામાં આવે, આ વૉર્ડ મહિલાઓ માટે અનામત છે એ પણ ફૅક્ટર હતું તેમની અપેક્ષામાં. જોકે પાર્ટીએ બિન્દુબહેનની અવગણના કરીને બીજા કોઈ પર પસંદગી ઉતારી એનું સ્વાભાવિકપણે જ તેમને લાગી આવ્યું છે. આ લાગણીને વાચા આપવા તેમણે ​ઇન્સ્ટાગ્રામ પર મહાભારતનો સંદેશ ટાંકતી પોસ્ટ મૂકી છે અને ફેસબુક પર વેધક શાયરીઓ પોસ્ટ કરી છે.

mumbai news mumbai bharatiya janata party bmc election brihanmumbai municipal corporation maharashtra political crisis ghatkopar social media life masala