26 April, 2024 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે
આજે મહારાષ્ટ્રની બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી લોકસભા બેઠક પર મતદાન હાથ ધરવામાં આવશે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો પર સરેરાશ અનુક્રમે ૬૨.૦૮ અને ૬૨.૮૬ ટકા મતદાન થયું હતું.
આઠમાંથી બુલઢાણા, હિંગોલી અને યવતમાળ-વાશિમ લોકસભા બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેના અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ વચ્ચે સીધો મુકાબલો છે. બાકીની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસ તેમ જ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) વચ્ચે લડાઈ છે.
છેલ્લી બે ચૂંટણીમાંક્યાં કેટલું મતદાન થયું હતું?
બેઠક | ૨૦૧૪ | ૨૦૧૯ |
બુલઢાણા | ૬૧.૩૫ ટકા | ૬૩.૬ ટકા |
અકોલા | ૫૮.૫૧ ટકા | ૬૦.૦૬ ટકા |
અમરાવતી | ૬૨.૨૯ ટકા | ૬૦.૭૬ ટકા |
વર્ધા | ૬૪.૭૯ ટકા | ૬૧.૫૩ ટકા |
યવતમાળ-વાશિમ | ૫૮.૮૭ ટકા | ૬૧.૩૧ ટકા |
હિંગોલી | ૬૬.૨૯ ટકા | ૬૬.૮૪ ટકા |
નાંદેડ | ૬૦.૧૧ ટકા | ૬૫.૬૯ યકા |
પરભણી | ૬૪.૪૪ ટકા | ૬૩.૧૨ ટકા |
મુખ્ય મુકાબલો
બુલઢાણા : ઉદ્ધવ ઠાકરે જૂથના નરેન્દ્ર ખેડેકર સામે શિંદેસેનાના પ્રતાપરાવ જાધવ
અકોલા : BJPના અનુપ ધોત્રે સામે વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકર
અમરાવતી : BJPનાં નવનીત રાણા સામે કૉન્ગ્રેસના બળવંત વાનખેડે
વર્ધા : NCP-શરદ પવાર જૂથના અમર કાળે સામે BJPના રામદાસ તડસ
યવતમાળ-વાશિમ : શિંદેસેનાનાં રાજશ્રી પાટીલ સામે ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય દેશમુખ
હિંગોલી : ઉદ્ધવ ઠાકરે જૂથના નાગેશ પાટીલ સામે શિંદેસેનાના બાબુરાવ કોહળીકર
નાંદેડ : કૉન્ગ્રેસના વસંતરાવ ચવાણ સામે BJPના પ્રતાપ ચીખલીકર
પરભણી : ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય જાધવ સામે રાષ્ટ્રીય સમાજ પક્ષના મહાદેવ જાનકર
204 - વિવિધ રાજકીય પક્ષોના આટલા ઉમેદવારો મેદાનમાં છે
1,50,78,242 - મહારાષ્ટ્રની આઠ બેઠકોનું ભાવિ આટલા મતદારો આજે નક્કી કરશે