28 March, 2024 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘરનોકર દ્વારા જ્યોતિ શાહની હત્યા થઈ હતી
મલબાર હિલમાં રહેતાં જ્યોતિ શાહની તેમના નવા રાખેલા નોકર કનૈયા પંડિતે ૧૨ માર્ચે હત્યા કરી હતી. એ વખતે તેમણે હાથમાં પહેરેલી ૩ લાખ રૂપિયાની હીરાજડિત બે બંગડીઓ ચોરીને કનૈયા નાસી ગયો હતો. જોકે મલબાર હિલ પોલીસે ઝડપી તપાસ કરીને તેને ઘટનાના ૨૪ જ કલાકમાં બિહાર જતી ટ્રેનમાંથી ભુસાવળ ખાતે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની મદદથી ઝડપી લીધો હતો. પૂછપરછ વખતે બહુ સહકાર ન આપી રહેલા કનૈયા પાસેથી આખરે પોલીસે બંગડીની માહિતી કઢાવી હતી. કનૈયાએ એ બંગડીઓ પોતાના ઘરે ચોખાની ગૂણમાં છુપાવી હતી જે આખરે પોલીસે હસ્તગત કરી છે.