કતલ માટે લાવેલા 131 ગૌ વંશોને પોલીસે બચાવ્યા, આરોપી પર MCOCA લગાવવાની તૈયારી

28 May, 2026 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છત્રપતિ સંભાજીનગર ગ્રામીણ પોલીસે પણ પશુધનના ગેરકાયદેસર પરિવહન, કતલ અને ગૌમાંસના વેપાર સામે સમાંતર ઝુંબેશ શરૂ કરી. એસપી પ્રકાશ જાધવના નિર્દેશો હેઠળ કાર્યવાહી કરીને, વૈજાપુર, ગંગાપુર, પૈઠણ, કન્નડ, ફુલંબરી, ખુલતાબાદ અને સિલ્લોડના ગ્રામીણ વિસ્તારોમાં નાક

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બકરી ઈદ પહેલા હાથ ધરવામાં આવેલા એક મોટા ઑપરેશનમાં, છત્રપતિ સંભાજીનગર શહેર પોલીસે બુધવારે 131 પશુઓ (ખાસ કરીને ગૌ વંશો)ને બચાવી લીધા હતા. આ ગૌ વંશોને અહીં કથિત રીતે કુરબાની માટે છુપાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ ઑપરેશન બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યાની વચ્ચે જીન્સી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા બૈજીપુરા અને સંજયનગર વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ શહેરમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હતી. પોલીસને સૂચના મળી હતી કે ચોક્કસ રહેણાંક મિલકતોમાં ગેરકાયદેસર રીતે ઢોર છુપાવવામાં આવી રહ્યા છે. આ ગુપ્ત માહિતીના આધારે, પોલીસ કમિશનર પ્રવીણ પવારની આગેવાની હેઠળ વિવિધ પોલીસ ટીમોએ લગભગ 10 થી 15 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. ઑપરેશન દરમિયાન, પોલીસે બીજા અને ત્રીજા માળે તેમજ અનેક ઘરોના છત પર છુપાવેલા પશુઓ શોધી કાઢ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આટલા ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં પશુઓને છુપાવવાની રીત જોઈને પોલીસ કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

8 આરોપીઓની અટકાયત; MCOCA ચાર્જ તૈયાર કરવામાં આવી રહ્યા છે