Mumbai: કાંદિવલીમાં 20 વર્ષના યુવકની હત્યા કરવા બદલ 4ની ધરપકડ, જાણો વિગત

26 September, 2021 08:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના કાંદિવલીમાં 20 વર્ષીય વ્યક્તિની હત્યાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમ પોલીસે શનિવારે જણાવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

મુંબઈના કાંદિવલીમાં 20 વર્ષીય વ્યક્તિની હત્યાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમ પોલીસે શનિવારે જણાવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે અનવર બાબુ સૈયદનો મૃતદેહ શુક્રવારે વહેલી સવારે સંજય નગર વિસ્તારમાં વાલ્મીકી ચૌલ નજીકથી મળી આવ્યો હતો. મૃતદેહ પણ ગળા સહિત અનેક જગ્યાએ ઘા હતા.

પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે “અમને નજીકમાં એક બંધ મકાન પાસે લોહીના ડાઘા મળ્યા હતા. અમારી તપાસમાં જાણવા મળ્યું કે ચાર લોકોની સૈયદ સાથે જૂની દુશ્મનાવટ હતી. અમે થોડા જ સમયમાં તેમની ધરપકડ કરવામાં સફળ રહ્યા હતા.”

mumbai mumbai news mumbai crime news kandivli