18 March, 2025 09:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
IIT બૉમ્બેના ઑડિટ રિપોર્ટમાં ઍરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં કાટ, પાણીનો પ્રવાહ અને તિરાડો હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના પગલે ઍરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AERA) દ્વારા મુંબઈ ઍરપોર્ટ ટર્મિનલ 1 પર ઍર ટ્રાફિક કામગીરીની સલામતીની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોની સલામતી અને ઍરલાઇન કામગીરી સુનિશ્ચિત કરવા માટે AERA એ મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ટર્મિનલ 1 ને જરૂરી રીતે તોડી પાડવાનો આદેશ આપ્યો છે.
અગાઉ મુંબઈ ઇન્ટરનેશનલ એરિપોર્ટ લિમિટેડ (MIAL) ઓપરેટર અદાણી ગ્રુપે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (CSMIA) ટર્મિનલ 1 ને પુનઃવિકાસ માટે આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી જેથી વાર્ષિક 20 મિલિયન મુસાફરોને સંભાળવાની ક્ષમતામાં 33 ટકાનો વધારો થાય. "ટર્મિનલ તેની મુસાફરોની હેન્ડલિંગ ક્ષમતા વધારવા માટે મોટા પરિવર્તનમાંથી પસાર થશે. ટર્મિનલના પુનર્વિકાસ યોજનામાં હાલના માળખાને તોડી પાડવાનો અને તેને આધુનિક માળખામાં બદલવાનો સમાવેશ થશે," એવી અદાણી ગ્રુપે જાહેરાત કરી હતી.
ગયા વર્ષે 28 જૂને દિલ્હી ઍરપોર્ટના ટર્મિનલ 1 કેનોપી તૂટી પડ્યું હતું, જેને લીધે એક કૅબ ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું અને આઠ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ઍરપોર્ટ નિયમનકારે ભારતના તમામ ઍર ટર્મિનલના ઑડિટનો આદેશ આપ્યો હતો "દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ લિમિટેડ (DIAL) ના ત્રણેય ટર્મિનલના વ્યાપક સલામતી ઑડિટમાં અનેક સલામતી અંગે ચિંતાઓ સામે આવી છે. નવું ટર્મિનલ 4 બનાવવાની યોજના મુલતવી રાખવામાં આવી હતી અને તેના બદલે દિલ્હી ઍરપોર્ટના હાલના ટર્મિનલ 2 ના નવીનીકરણનો ઝડપી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને IIT મદ્રાસ એવિએશન (DGCA) અને IIT મદ્રાસ દ્વારા એપ્રોન અને બોર્ડિંગ બ્રિજ સાથેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઑડિટ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો," DGCA ના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી હતી. DGCA દ્વારા નિયુક્ત નિષ્ણાત પૅનલ શોધી કાઢ્યું કે ખામીયુક્ત ડિઝાઇન, નબળી કારીગરી અને અપૂરતી જાળવણી પતનના કારણો હોઈ શકે છે જેના કારણે અન્ય ઍરપોર્ટ ટર્મિનલના વ્યાપક ઑડિટ થયા હતા.
મુંબઈ ઍરપોર્ટના સમાન ઑડિટને કારણે DGCA એ ઍરપોર્ટ રેગ્યુલેટરને જૂના ઍરપોર્ટ માળખાને સુધારવા અને ટર્મિનલ 1 બિલ્ડિંગ અને એપ્રોન અને ઍર સાઇડ ઓપરેશન્સ પરના અન્ય આનુષંગિક એકમોના સલામતી ધોરણો વધારવા કહ્યું. "ઓછા બજેટવાળી ઍરલાઇન્સને ટર્મિનલ 2 અને આગામી નવી મુંબઈ ઍરપોર્ટ પર કામગીરી શિફ્ટ કરવા કહેવામાં આવ્યું છે. ટર્મિનલ 1 ના પુનર્વિકાસમાં ઓછામાં ઓછા 3 વર્ષ લાગશે અને તેને ઍર કાર્ગો હબમાં રૂપાંતરિત કરવામાં આવશે," એમ વરિષ્ઠ ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું.