28 March, 2024 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર-ઈસ્ટમાં જૈન મંદિરની નજીક રહેતા અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની ડાયમન્ડ માર્કેટના પંચાવન વર્ષના વેપારી રાકેશ જૈને કરેલી ફરિયાદ અનુસાર મંગળવારે સાંજે ઘરે જવા માટે તેઓ બાંદરા રેલવે સ્ટેશન પરથી વિરાર જતી સ્લો લોકલના ફર્સ્ટ ક્લાસ કોચમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બાંદરાથી ટ્રેન આગળ જતાં તેમને ગળામાં પહેરેલી અઢી તોલાની ચેન ચોરાઈ ગઈ હોવાની જાણ થઈ હતી. અંતે આ ઘટનાની ફરિયાદ બાંદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.