ગણપતિબાપ્પા સુરત ચાલ્યા

27 July, 2026 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશમૂર્તિની બાજુમાં ૨૦ ભુજાધારી રાક્ષસે શિવ-પાર્વતીને ઊંચક્યાં હોવાની આ અનોખી પ્રતિમા

તસવીર : શાદાબ ખાન

ભાવિકો ગઈ કાલે પરેલની વર્કશૉપમાંથી તેમની ‘સુયોગચા સમ્રાટ’ની ગણશમૂર્તિ વાજતેગાજતે સુરત લઈ ગયા હતા. એ વખતે ટ્રાફિક-પોલીસે તેમને રસ્તા પરથી એક લેનમાં એ લઈ જવામાં સહાય કરી હતી. બીજી લેનમાંથી અન્ય વાહનો પસાર કરવામાં આવી રહ્યાં હતાં. વળી એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં રુદ્રાક્ષની માળા ધરાવતી ગણેશમૂર્તિની બાજુમાં ૨૦ ભુજાધારી રાક્ષસે શિવ-પાર્વતીને ઊંચક્યાં હોવાની આ અનોખી પ્રતિમા જોઈને રસ્તામાં જનારા રાહદારીઓ પણ ઊભા રહી જતા હતા અને ભાવથી નમન કરીને પોતાના મોબાઇલમાં ફોટો પાડી રહ્યા હતા.

ganesh chaturthi ganpati surat mumbai mumbai news mumbai traffic police parel